25-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
તમને નવી દુનિયા માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે , એટલે આ જૂની દુનિયા નો વિનાશ પણ
જરુર થવાનો છે”
પ્રશ્ન :-
મનુષ્યો માં કઈ એક સારી આદત પડેલી છે પરંતુ એનાંથી પણ પ્રાપ્તિ નથી થતી?
ઉત્તર :-
મનુષ્યો માં ભગવાન ને યાદ કરવાની જાણે આદત પડેલી છે, જ્યારે કોઈ વાત બને છે તો કહી
દે છે - હે ભગવાન! સામે શિવલિંગ આવી જાય છે પરંતુ પરિચય યથાર્થ ન હોવાનાં કારણે
પ્રાપ્તિ નથી થતી પછી કહી દે છે સુખ-દુઃખ બધું એ જ આપે છે. આપ બાળકો હવે એવું નહીં
કહેશો.
ઓમ શાંતિ!
બાપ જેમને
રચયિતા કહેવાય છે, કોનાં રચયિતા? નવી દુનિયા નાં રચયિતા. નવી દુનિયા ને કહેવાય છે
સ્વર્ગ અથવા સુખધામ, નામ કહે છે પરંતુ સમજતા નથી. શ્રીકૃષ્ણ નાં મંદિર ને પણ સુખધામ
કહે છે. હવે તે તો થઈ ગયું નાનું મંદિર. શ્રીકૃષ્ણ વિશ્વ નાં માલિક હતાં. બેહદ નાં
માલિક ને જાણે હદ નાં માલિક બનાવી દે છે. શ્રીકૃષ્ણ નાં નાનકડા મંદિર ને સુખધામ કહે
છે. બુદ્ધિ માં આ નથી આવતું કે એ તો વિશ્વ નાં માલિક હતાં. ભારત માં જ રહેવા વાળા
હતાં. તમને પણ પહેલાં કાંઈ ખબર નહોતી. બાપ ને તો બધી જ ખબર છે, એ સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ને જાણે છે. હમણાં આપ બાળકો જાણો છો, દુનિયા માં તો આ પણ કોઈને ખબર નથી
- બ્રહ્મા-વિષ્ણુ-શંકર કોણ છે? શિવ તો છે ઊંચા માં ઊંચા ભગવાન. અચ્છા, પછી પ્રજાપિતા
બ્રહ્મા ક્યાંથી આવ્યાં? છે તો મનુષ્ય જ. પ્રજાપિતા બ્રહ્મા તો જરુર અહીં જ જોઈએ ને
જેમનાં દ્વારા બ્રાહ્મણ જન્મે. પ્રજાપિતા એટલે જ મુખ દ્વારા એડોપ્ટ કરવા વાળા, તમે
છો મુખ વંશાવલી. હમણાં તમે જાણો છો કે કેવી રીતે બ્રહ્મા ને બાપે પોતાનાં બનાવીને
મુખ વંશાવલી બનાવ્યાં છે, આમનાં માં પ્રવેશ પણ કર્યો પછી કહ્યું કે આ મારું બાળક પણ
છે. તમે જાણો છો બ્રહ્મા નામ કેવી રીતે પડ્યું, કેવી રીતે જન્મ થયો, આ બીજા કોઈ નથી
જાણતાં. ફક્ત મહિમા ગાય છે કે પરમપિતા પરમાત્મા ઊંચા માં ઊંચા છે, પરંતુ આ કોઈ ની
બુદ્ધિ માં નથી આવતું કે ઊંચા માં ઊંચા બાપ છે. આપણા સર્વ આત્માઓનાં એ પિતા છે. એ
પણ બિંદુ રુપ જ છે, એમનાં માં સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. આ નોલેજ પણ
તમને હમણાં મળ્યું છે. પહેલાં જરા પણ આ જ્ઞાન નહોતું. મનુષ્ય ફક્ત કહેતાં રહે છે
બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પરંતુ જાણતા કાંઈ પણ નથી. તો એમને જ સમજાવવાનું છે. હવે તમે
સમજદાર બન્યાં છો. જાણો છો કે બાપ જ્ઞાન નાં સાગર છે, જે આપણને જ્ઞાન સંભળાવે છે,
ભણાવે છે. આ રાજયોગ છે જ સતયુગ નવી દુનિયા માટે તો જરુર જૂની દુનિયાનો વિનાશ થવો
જોઈએ. એનાં માટે આ મહાભારત લડાઈ છે. અડધાકલ્પ થી લઈને તમે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર
વાંચતા આવ્યાં છો. હમણાં તો બાપ પાસે થી ડાયરેક્ટ સાંભળો છો. બાપ કોઈ શાસ્ત્ર નથી
સંભળાવતાં. જપ-તપ કરવા, શાસ્ત્ર વગેરે વાંચવા આ બધી છે ભક્તિ. હવે ભક્તો ને ભક્તિ
નું ફળ જોઈએ કારણકે મહેનત કરે જ છે ભગવાન ને મળવા માટે. પરંતુ જ્ઞાન થી છે સદ્દગતિ.
જ્ઞાન અને ભક્તિ બંને સાથે ચાલી ન શકે. હમણાં છે જ ભક્તિ નું રાજ્ય. બધા ભગત છે.
દરેક નાં મુખ થી ઓ ગોડ ફાધર (હે ભગવાન) જરુર નીકળશે. હવે આપ બાળકો જાણો છો કે બાપે
પોતાનો પરિચય આપ્યો છે કે હું નાનું બિંદુ છું. મને જ જ્ઞાન નાં સાગર કહે છે. મુજ
બિંદુ માં બધું જ્ઞાન ભરેલું છે. આત્મા માં જ નોલેજ રહે છે. હમણાં આપ બાળકો સમજો છો
કે એમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. એ છે સુપ્રીમ સોલ અર્થાત્ સૌથી ઊંચા માં ઊંચા
પતિત-પાવન બાપ જ સુપ્રીમ (સર્વોચ્ચ) છે ને? મનુષ્ય હે ભગવાન કહેશે તો શિવલિંગ જ યાદ
આવશે. તે પણ યથાર્થ રીતે નહીં. એક જાણે આદત પડી ગઈ છે કે ભગવાન ને યાદ કરવાના છે.
ભગવાન જ સુખ-દુઃખ આપે છે. હવે આપ બાળકો એવું નહીં કહેશો. તમે જાણો છો કે બાપ તો
સુખદાતા છે. સતયુગ માં સુખધામ હતું. ત્યાં દુઃખ નું નામ નહોતું. કળિયુગ માં છે જ
દુઃખ, અહીં સુખ નું નામ જ નથી. ઊંચા માં ઊંચા ભગવાન, એ છે સર્વ આત્માઓનાં બાપ. આ
કોઈને ખબર નથી કે આત્માઓ નાં બાપ પણ છે, કહે પણ છે અમે બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ.
તો જરુર બધા એક બાપ નાં બાળક થયા ને? કોઈ પછી કહી દે છે કે એ તો સર્વવ્યાપી છે -
તારા માં પણ છે, મારા માં પણ છે… અરે, તમે તો આત્મા છો, આ તમારું શરીર છે, પછી
ત્રીજી વસ્તુ કેવી રીતે હોઈ શકે છે? આત્મા ને પરમાત્મા થોડી કહેવાશે? જીવ આત્મા
કહેવાય છે. જીવ પરમાત્મા નથી કહેવાતું. પછી પરમાત્મા સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે?
બાપ સર્વવ્યાપી હોત તો પછી ફાધરહુડ (પિતૃત્વ) થઈ જાય, ફાધર ને ફાધર પાસે થી વારસો
થોડી મળશે? બાપ પાસે થી તો બાળક જ વારસો લે છે. બધા ફાધર કેવી રીતે હોય શકે? આટલી
નાનકડી વાત પણ કોઈની સમજ માં નથી આવતી. ત્યારે બાપ કહે છે - બાળકો, મેં આજ થી ૫
હજાર વર્ષ પહેલાં તમને કેટલાં સમજદાર બનાવ્યા હતાં, તમે એવરહેલ્થી, વેલ્થી, સમજદાર
હતાં. આનાં કરતાં વધારે સમજદાર કોઈ હોઈ ન શકે. તમને હમણાં જે સમજ મળે છે એ પછી ત્યાં
નહીં હશે. ત્યાં આ થોડી ખબર હોય છે કે અમે ફરી ઉતરીશું? આ ખબર હોય તો પછી સુખ ની
ભાસના જ ન આવે. આ જ્ઞાન પછી પ્રાયઃલોપ થઈ જાય છે. આ ડ્રામા નું જ્ઞાન ફક્ત હમણાં
તમારી બુદ્ધિ માં છે. બ્રાહ્મણ જ અધિકારી રહે છે. તમારી બુદ્ધિ માં છે કે હવે આપણે
બ્રાહ્મણ વર્ણ નાં છીએ. બ્રાહ્મણો ને જ બાપ જ્ઞાન સંભળાવે છે. બ્રાહ્મણ પછી બધાને
સંભળાવે છે. ગાયન પણ છે કે ભગવાને આવીને સ્વર્ગ ની સ્થાપના કરી હતી, રાજયોગ
શીખવાડ્યો હતો. જુઓ, શ્રીકૃષ્ણ જયંતિ મનાવે છે, સમજે છે કે શ્રીકૃષ્ણ વૈકુંઠ નાં
માલિક હતાં, પરંતુ એ વિશ્વ નાં માલિક હતાં - આ બુદ્ધિ માં નથી આવતું. જ્યારે એમનું
રાજ્ય હતું તો બીજો કોઈ ધર્મ નહોતો. એમનું જ આખા વિશ્વ પર રાજ્ય હતું અને જમુના નાં
કિનારે હતું. હમણાં તમને આ કોણ સમજાવી રહ્યું છે? ભગવાનુવાચ. બાકી તેઓ જે પણ
વેદ-શાસ્ત્ર વગેરે સંભળાવે તે છે ભક્તિમાર્ગ નાં. અહીં તો સ્વયં ભગવાન તમને સંભળાવી
રહ્યાં છે. હમણાં તમે સમજો છો આપણે પુરુષોત્તમ બની રહ્યાં છીએ. તમને જ આ બુદ્ધિ માં
છે કે આપણે શાંતિધામ નાં રહેવા વાળા છીએ પછી આપણે આવીને ૨૧ જન્મો ની પ્રારબ્ધ
ભોગવીશું.
આપ બાળકોએ અંદર ખુશી
થી ગદ્દગદ્દ થવું જોઈએ કે બેહદ નાં બાબા શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે, એ જ્ઞાન
નાં સાગર છે, સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. એવાં બાબા આપણા માટે આવ્યાં છે
તો ખુશી થી ગદ્દગદ્દ થાય છે. બાબા ને કહે છે બાબા અમે તમને અમારા વારિસ બનાવ્યાં
છે. બાપ બાળકો પર વારી જાય છે. બાળકો પછી કહે છે કે ભગવાન તમે જ્યારે આવશો તો અમે
તમારા પર વારી જઈશું અર્થાત્ બાળક બનાવીશું. એ પણ પોતાનાં બાળકો ને જ વારિસ બનાવે
છે. બાબા ને વારિસ કેવી રીતે બનાવશે? આ પણ ગુહ્ય વાત છે. પોતાનું બધું જ એક્સચેન્જ
(બદલી) કરવું - આમાં બુદ્ધિ નું કામ છે. ગરીબ તો ઝટ એક્સચેન્જ કરી લેશે, સાહૂકાર
મુશ્કેલ કરશે. જ્યાં સુધી કે પૂરી રીતે જ્ઞાન ન ઉઠાવે. એટલી હિંમત નથી રહેતી. ગરીબ
તો ઝટ કહી દે છે - બાબા, અમે તો તમને જ વારિસ બનાવીશું. અમારી પાસે રાખ્યું જ શું
છે? વારિસ બનાવીને પછી શરીર નિર્વાહ પણ પોતાનું કરવાનું છે. ફક્ત ટ્રસ્ટી સમજીને
રહેવાનું છે. યુક્તિઓ ઘણી બતાવતા રહે છે. બાપ તો ફક્ત જુએ છે કે કોઈ પાપ કર્મ માં
તો પૈસા ખરાબ નથી કરતાં? મનુષ્ય ને પુણ્ય આત્મા બનાવવા માં પૈસા લગાવે છે? સર્વિસ (સેવા)
પણ કાયદેસર કરે છે? આ પૂરી તપાસ કરશે, પછી બધી સલાહ આપશે. આ પણ ધંધા માં ઈશ્વર અર્થ
કાઢતા હતાં ને? તે તો હતું ઇનડાયરેક્ટ. હમણાં બાપ ડાયરેક્ટ આવ્યાં છે. મનુષ્ય સમજે
છે અમે જે કાંઈ કરીએ છીએ એનું ફળ ઈશ્વર બીજા જન્મ માં આપે છે. કોઈ ગરીબ દુ:ખી છે તો
સમજશે કર્મ જ એવાં કરેલા છે. સારા કર્મ કર્યા છે તો સુખી છે. બાપ આપ બાળકો ને કર્મો
ની ગતિ પર સમજાવે છે, રાવણ રાજ્ય માં તમારા બધા કર્મ વિકર્મ જ થઈ જાય છે. સતયુગ અને
ત્રેતા માં રાવણ જ નથી એટલે ત્યાં કોઈ કર્મ વિકર્મ નથી થતાં. અહીં જે સારા કર્મ કરે
છે તેનું અલ્પકાળ માટે સુખ મળે છે. છતાં પણ કોઈ ન કોઈ રોગ ખીટપીટ તો રહે જ છે કારણકે
અલ્પકાળ નું સુખ છે. હવે બાપ કહે છે આ રાવણ રાજ્ય જ ખતમ થવાનું છે. રામ રાજ્ય ની
સ્થાપના શિવબાબા કરી રહ્યાં છે.
તમે જાણો છો આ ચક્ર
કેવી રીતે ફરે છે. ભારત જ પછી ગરીબ થઈ જાય છે. ભારત આજ થી ૫ હજાર વર્ષ પહેલાં
સ્વર્ગ હતું, આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. પહેલાં ગાદી આમની ચાલી હતી.
શ્રીકૃષ્ણ પ્રિન્સ પછી સ્વયંવર કર્યો તો રાજા બન્યાં. શ્રીનારાયણ નામ પડ્યું. આ પણ
તમે હમણાં સમજો છો તો તમને વન્ડર (આશ્ચર્ય) લાગે છે. બાબા તમે રચયિતા અને રચના ની
બધી જ નોલેજ સંભળાવો છો. તમે અમને કેટલું ઊંચું ભણાવો છો! બલિહાર જાઉં, આપણે તો એક
બાપ સિવાય બીજા કોઈ ને યાદ નથી કરવાનાં. અંત સુધી ભણવાનું છે તો જરુર શિક્ષક ને યાદ
કરવાના છે. સ્કૂલ માં શિક્ષક ને યાદ કરે છે ને? એ સ્કૂલો માં તો કેટલાં શિક્ષક હોય
છે? દરેક દરજ્જા નાં શિક્ષક અલગ હોય છે, અહીં તો એક જ શિક્ષક છે. કેટલાં લવલી (પ્રેમાળ)
છે! બાપ લવલી, શિક્ષક લવલી… પહેલાં ભક્તિમાર્ગ માં અંધશ્રદ્ધા થી યાદ કરતા હતાં.
હમણાં તો ડાયરેક્ટ બાપ ભણાવે છે તો કેટલી ખુશી થવી જોઈએ તો પણ કહે છે બાબા, ભૂલી
જઈએ છીએ. ખબર નહીં અમારી બુદ્ધિ તમને કેમ નથી યાદ કરતી? ગાય પણ છે ઈશ્વર ની ગતિ-મતિ
ન્યારી છે. બાબા તમારી ગતિ અને સદ્દગતિ ની મત તો ખૂબ વન્ડરફુલ છે. આવાં બાપ ને યાદ
કરવા જોઈએ. સ્ત્રી પોતાનાં પતિ નાં ગુણ ગાય છે ને? ખૂબ સારા છે, આ-આ તેમની મિલકત
છે, અંદર ખુશી રહે છે ને? આ તો પતિઓ નાં પતિ, બાપો નાં બાપ છે, આમની પાસે થી કેટલું
આપણને સુખ મળે છે. બીજા બધા થી તો દુઃખ મળે છે. હા, શિક્ષક દ્વારા સુખ મળે છે કારણકે
ભણતર થી ઈન્કમ (આવક) થાય છે. ગુરુ હંમેશા કરાય છે વાનપ્રસ્થ માં. બાપ પણ કહે છે હું
વાનપ્રસ્થ માં આવ્યો છું. આ પણ વાનપ્રસ્થી, હું પણ વાનપ્રસ્થી. આ બધા મારા બાળકો પણ
વાનપ્રસ્થી છે. બાપ, શિક્ષક, ગુરુ ત્રણે સાથે છે. બાપ શિક્ષક પણ બને છે પછી ગુરુ બની
સાથે લઈ જાય છે. એ એક બાપ ની જ મહિમા છે, આ વાતો બીજા કોઈ શાસ્ત્ર વગેરે માં નથી.
બાબા દરેક વાત સારી રીતે સમજાવે છે. આનાંથી ઊંચી નોલેજ કોઈ હોતી નથી, નથી જાણવાની
જરુર રહેતી. આપણે બધું જ જાણીને વિશ્વ નાં માલિક બની જઈએ છીએ હજી વધારે શું કરીશું?
બાળકો ની બુદ્ધિ માં આ હોય ત્યારે ખુશી માં અને એ જ યાદ માં રહે. પુણ્ય આત્મા બનવા
માટે યાદ માં જરુર રહેવું જોઈએ. માયા નો ધર્મ છે તમારા યોગ ને તોડવાનો. યોગ માં જ
માયા વિઘ્ન નાખે છે. ભૂલી જાઓ છો. માયા નાં તોફાન ખૂબ આવે છે. આ પણ ડ્રામા માં નોંધ
છે. સૌથી આગળ તો આ છે, તો આમને બધો અનુભવ થાય છે. મારી પાસે જ્યારે આવે ત્યારે તો
બધાને સમજાવું ને? આ બધા માયા નાં તોફાન આવશે. બાબા ની પાસે પણ આવે છે. તમને પણ આવશે.
માયા નાં તોફાન જ ન આવે, યોગ લાગ્યો જ રહે તો કર્માતીત અવસ્થા થઈ જાય. પછી આપણે અહીં
રહી ન શકીએ. કર્માતીત અવસ્થા થઈ જશે તો પછી બધા ચાલ્યાં જશે. શિવ ની બારાત ગવાયેલી
છે ને? શિવબાબા આવે ત્યારે આપણે બધા આત્માઓ જઈએ. શિવબાબા આવે જ છે બધાને લઈ જવાં.
સતયુગ માં આટલાં આત્માઓ થોડા હશે? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શિવબાબા ને
પોતાનાં વારિસ બનાવીને બધું જ એક્સચેન્જ કરી દેવાનું છે. વારિસ બનાવીને શરીર
નિર્વાહ પણ કરવાનું છે, ટ્રસ્ટી સમજી ને રહેવાનું છે. પૈસા કોઈ પણ પાપ કર્મ માં નથી
લગાવવાનાં.
2. અંદર ખુશી માં
ગુદગુદી થતી રહે કે સ્વયં જ્ઞાન નાં સાગર બાબા આપણને ભણાવી રહ્યાં છે. પુણ્ય આત્મા
બનવા માટે યાદ માં રહેવાનું છે, માયા નાં તોફાન થી ડરવાનું નથી.
વરદાન :-
સત્યતા નાં
આધાર પર એક બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા નિર્ભય ઓથોરિટી સ્વરુપ ભવ
સત્યતા જ પ્રત્યક્ષતા
નો આધાર છે. બાપ ને પ્રત્યક્ષ કરવા માટે નિર્ભય અને ઓથોરિટી સ્વરુપ બનીને બોલો,
સંકોચ થી નહીં. જ્યારે અનેક મત વાળા ફક્ત એક વાત ને માની લેશે કે આપણા બધા નાં બાપ
એક છે અને એ જ બધું કાર્ય કરી રહ્યાં છે, આપણે બધા એક નાં સંતાન એક છીએ અને આ એક જ
યથાર્થ છે… તો વિજય નો ઝંડો લહેરાઈ જશે. આ જ સંકલ્પ થી મુક્તિધામ જશો અને પછી જ્યારે
પોત-પોતાનો પાર્ટ ભજવવા આવશો તો પહેલાં આ જ સંકલ્પ ઈમર્જ થશે કે ગોડ ઈઝ વન. આ જ
ગોલ્ડન એજ ની સ્મૃતિ છે.
સ્લોગન :-
સહન કરવું જ
સ્વયં નાં શક્તિ રુપ ને પ્રત્યક્ષ કરવું છે.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો
જેમ આ દેહ સ્પષ્ટ
દેખાય છે તેમ પોતાનાં આત્મા નું સ્વરુપ સ્પષ્ટ દેખાય અર્થાત્ અનુભવ માં આવે. મસ્તક
અર્થાત્ બુદ્ધિ ની સ્મૃતિ તથા દૃષ્ટિ થી આત્મિક સ્વરુપ સિવાય બીજું કાંઈ પણ ન દેખાય
તથા સ્મૃતિ માં ન આવે. એવાં નિરંતર તપસ્વી બનો ત્યારે દરેક આત્મા પ્રત્યે કલ્યાણ નો
શુભ સંકલ્પ ઉત્પન્ન થશે. ભલે કોઈ પોતાનાં સંસ્કાર-સ્વભાવ નાં વશ તમારા પુરુષાર્થ
માં પરીક્ષા નાં નિમિત્ત બનેલા હોય, એમનાં પ્રત્યે પણ સદા કલ્યાણ નો સંકલ્પ ઉત્પન્ન
થાય.