25-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ઘણાં સમય પછી ફરી થી બાપ ને મળ્યાં છો એટલે તમે ખૂબ - ખૂબ સિકીલધા છો”

પ્રશ્ન :-
પોતાની સ્થિતિ ને એકરસ બનાવવાનું સાધન કયું છે?

ઉત્તર :-
સદા યાદ રાખો જે સેકન્ડ પસાર થઈ, ડ્રામા. કલ્પ પહેલાં પણ આવું જ થયું હતું. હવે તો નિંદા-સ્તુતિ, માન-અપમાન બધું સામે આવવાનું છે એટલે પોતાની સ્થિતિ ને એકરસ બનાવવા માટે ભૂતકાળ નું ચિંતન ન કરો.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે. રુહાની બાપ નું નામ શું છે? શિવબાબા. એ બધા રુહો નાં બાપ છે. બધા રુહાની બાળકો નું નામ શું છે? આત્મા. જીવ નું નામ પડે છે, આત્મા નું નામ એ જ રહે છે. આ પણ બાળકો જાણે છે સત્સંગ અસંખ્ય છે. આ છે સાચ્ચો-સાચ્ચો સત્ નો સંગ જે સત્ બાપ રાજયોગ શીખવાડી આપણને સતયુગ માં લઈ જાય છે. આવો બીજો કોઈ પણ સત્સંગ કે પાઠશાળા ન હોઈ શકે. આ પણ આપ બાળકો જાણો છો. આખું સૃષ્ટિ ચક્ર આપ બાળકો ની બુદ્ધિ માં છે. આપ બાળકો જ સ્વદર્શન ચક્રધારી છો. બાપ સમજાવે છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. કોઈને પણ સમજાવો તો ચક્ર ની સામે ઉભા કરો. હવે તમે આ તરફ જશો. બાપ જીવાત્માઓ ને કહે છે પોતાને આત્મા સમજો. આ નવી વાત નથી, જાણો છો કલ્પ-કલ્પ સાંભળો છો, હમણાં ફરી થી સાંભળી રહ્યાં છો. તમારી બુદ્ધિ માં કોઈપણ દેહધારી બાપ, શિક્ષક, ગુરુ નથી. તમે જાણો છો વિદેહી શિવબાબા આપણા શિક્ષક, ગુરુ છે. બીજા કોઈપણ સત્સંગ વગેરે માં આવી વાત નહીં કરતા હશે. મધુબન તો આ એક જ છે. તેઓ પછી એક મધુબન વૃંદાવન માં દેખાડે છે. તે ભક્તિમાર્ગ માં મનુષ્યોએ બેસીને બનાવ્યું છે. પ્રેક્ટિકલ મધુબન તો આ છે. તમારી બુદ્ધિ માં છે કે આપણે સતયુગ-ત્રેતા થી લઈને પુનર્જન્મ લેતાં-લેતાં હમણાં સંગમ પર આવીને ઉભા છીએ - પુરુષોત્તમ બનવા માટે. આપણને બાપે આવીને સ્મૃતિ અપાવી છે. ૮૪ જન્મ કોણ અને કેવી રીતે લે છે, તે પણ તમે જાણો છો. મનુષ્ય તો ફક્ત કહી દે છે, સમજતા કાંઈ નથી. બાપ સારી રીતે સમજાવે છે. સતયુગ માં સતોપ્રધાન આત્માઓ હતાં, શરીર પણ સતોપ્રધાન હતાં. આ સમયે તો સતયુગ નથી, આ છે કળિયુગ. ગોલ્ડન એજ (સતયુગ) માં આપણે હતાં. પછી ચક્ર લગાવીને પુનર્જન્મ લેતાં-લેતાં આપણે આયરન એજ (કળિયુગ) માં આવી ગયા ફરી થી ચક્ર જરુર લગાવવાનું છે. હવે જવાનું છે પોતાનાં ઘરે. તમે સિકીલધા બાળકો છો ને? સિકીલધા તેમને કહેવાય છે જે ગુમ થઈ જાય છે, ફરી ઘણાં સમય પછી મળે છે. તમે ૫ હજાર વર્ષ પછી આવીને મળ્યાં છો. આપ બાળકો જ જાણો છો - આ એ જ બાબા છે જેમણે ૫ હજાર વર્ષ પહેલાં આ સૃષ્ટિ ચક્ર નું આપણને જ્ઞાન આપ્યું હતું. સ્વદર્શન ચક્રધારી બનાવ્યાં હતાં. હવે ફરી થી બાપ આવીને મળ્યાં છે. જન્મસિદ્ધ અધિકાર આપવા માટે. અહીં બાપ રિયલાઈઝ (અનુભવ) કરાવે છે. આમાં આત્મા નાં ૮૪ જન્મો નું પણ રિયલાઈઝેશન આવી જાય છે. આ બધું બાપ સમજાવે છે. જેમ ૫ હજાર વર્ષ પહેલાંં પણ સમજાવ્યું હતું - મનુષ્ય ને દેવતા અથવા કંગાળ ને સિરતાજ બનાવવા માટે. તમે સમજો છો આપણે ૮૪ પુનર્જન્મ લીધાં છે, જેમણે નથી લીધાં તેઓ અહીં શીખવા માટે આવશે પણ નહીં. કોઈ થોડુંક સમજશે. નંબરવાર તો હોય છે ને? પોત-પોતાનાં ઘર ગૃહસ્થ માં રહેવાનું છે. બધા તો અહીં આવીને નહીં બેસશે. રિફ્રેશ થવા તે આવશે જેમને ખૂબ સારું પદ મેળવવું હશે. ઓછું પદ મેળવવા વાળા વધારે પુરુષાર્થ પણ નહીં કરશે. આ જ્ઞાન એવું છે થોડો પણ પુરુષાર્થ કર્યો તો તે વ્યર્થ નહીં જશે. સજા ખાઈને આવી જશે. પુરુષાર્થ સારો કરે તો સજા પણ ઓછી થશે. યાદ ની યાત્રા વગર વિકર્મ વિનાશ નહીં થશે. આ તો ઘડી-ઘડી પોતાને યાદ કરાવો. કોઈ પણ મનુષ્ય મળે તો પહેલાં તો તેમને આ સમજાવવાનું છે - પોતાને આત્મા સમજો. આ નામ તો પાછળ થી શરીર ને મળ્યાં છે, કોઈને બોલાવશો શરીર નાં નામ થી. આ સંગમ પર જ બેહદ નાં બાપ રુહાની બાળકો ને બોલાવે છે. તમે કહેશો રુહાની બાપ આવ્યાં છે. બાપ કહેશે રુહાની બાળકો. પહેલાં રુહ પછી બાળકો નું નામ લે છે. રુહાની બાળકો તમે સમજો છો રુહાની બાપ શું સમજાવે છે. તમારી બુદ્ધિ જાણે છે - શિવબાબા આ ભાગીરથ પર વિરાજમાન છે, આપણને એ જ સહજ રાજયોગ શીખવાડી રહ્યાં છે. બીજા કોઈ એવાં મનુષ્ય માત્ર નથી જેમનામાં બાપ આવીને રાજયોગ શીખવાડે. એ બાપ આવે જ છે પુરુષોત્તમ સંગમયુગ પર, બીજા કોઈ પણ મનુષ્ય ક્યારેય એવું કહી ન શકે, સમજાવી ન શકે. આ પણ તમે જાણો છો આ શિક્ષા કોઈ આ બાપ ની નથી. આમને તો આ ખબર નહોતી કે કળિયુગ ખત્મ થઈ સતયુગ આવવાનો છે. આમનાં હવે કોઈ દેહધારી ગુરુ નથી બીજા તો બધાં મનુષ્ય માત્ર કહેશે અમારા ફલાણા ગુરુ છે. ફલાણા જ્યોતિ જ્યોત સમાયા. બધાનાં દેહધારી ગુરુ છે. ધર્મસ્થાપક પણ દેહધારી છે. આ ધર્મ કોણે સ્થાપન કર્યો? પરમપિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવબાબાએ બ્રહ્મા દ્વારા સ્થાપન કર્યો છે. આમનાં શરીર નું નામ બ્રહ્મા છે. ક્રિશ્ચન લોકો કહેશે ક્રાઈસ્ટે આ ધર્મ સ્થાપન કર્યો. તે તો દેહધારી છે. ચિત્ર પણ છે. આ ધર્મ નાં સ્થાપક નું ચિત્ર શું દેખાડશો? શિવ નું જ દેખાડશો. શિવ નાં ચિત્ર પણ કોઈ મોટા, કોઈ નાનાં બનાવે છે. છે તો એ બિંદુ જ. નામ-રુપ પણ છે પરંતુ અવ્યક્ત છે. આ આંખો થી જ નથી જોઈ શકતાં. શિવબાબા આપ બાળકો ને રાજ્ય-ભાગ્ય આપીને ગયા છે ત્યારે તો યાદ કરો છો ને? શિવબાબા કહે છે મનમનાભવ. મુજ એક બાપ ને યાદ કરો. કોઈ ની સ્તુતિ નથી કરવાની. આત્મા ની બુદ્ધિ માં કોઈ દેહ યાદ ન આવે, આ સારી રીતે સમજવાની વાત છે. આપણને શિવબાબા ભણાવે છે. આખો દિવસ આ રિપીટ કરતા રહો. શિવ ભગવાનુવાચ પહેલાં-પહેલાં તો અલ્ફ જ સમજવું પડે. આ પાક્કું નથી કર્યુ અને બે વિશે સમજાવ્યું તો કાંઈ પણ બુદ્ધિ માં બેસશે નહીં. કોઈ કહી દે છે આ વાત તો સાચ્ચી છે. કોઈ કહે આ સમજવામાં તો સમય જોઈએ. કોઈ કહે વિચાર કરીશું. ભિન્ન-ભિન્ન પ્રકાર નાં આવે છે. આ છે નવી વાત. પરમપિતા પરમાત્મા શિવ આત્માઓ ને ભણાવે છે. વિચાર ચાલે છે, શું કરીએ કે મનુષ્ય ને આ સમજ માં આવી જાય. શિવ જ જ્ઞાન નાં સાગર છે. આત્મા ને જ્ઞાન નાં સાગર કેવી રીતે કહેવાશે, જેમને શરીર જ નથી. જ્ઞાન નાં સાગર છે તો જરુર, ક્યારેક જ્ઞાન સંભળાવ્યું છે ત્યારે તો એમને જ્ઞાન સાગર કહેવાય છે. એમ જ કેમ કહેશે. કોઈ ખૂબ ભણે છે તો કહેવાય છે આ તો ખૂબ વેદ શાસ્ત્ર ભણ્યાં છે, એટલે શાસ્ત્રી અથવા વિદ્વાન કહેવાય છે. બાપ ને જ્ઞાન નાં સાગર ઓથોરિટી (સત્તા) કહેવાય છે. જરુર થઈને ગયા છે. પહેલાં તો પૂછવું જોઈએ હમણાં કળિયુગ છે કે સતયુગ? નવી દુનિયા છે કે જૂની દુનિયા? મુખ્ય ઉદ્દેશ તો તમારી સામે છે. આ લક્ષ્મી-નારાયણ જો હોત તો એમનું રાજ્ય હોત. આ જૂની દુનિયા, કંગાળપણુ જ ન હોત. હમણાં તો ફક્ત એમનાં ચિત્ર છે. મંદિર માં મોડલ્સ (મૂર્તિઓ) દેખાડે છે. નહીં તો એમનાં મહેલ, બગીચા વગેરે કેટલાં મોટાં-મોટાં હશે. ફક્ત મંદિર માં થોડી રહેતાં હશે. પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) નું મકાન કેટલું મોટું છે! દેવી-દેવતાઓ તો મોટાં-મોટાં મહેલો માં રહેતાં હશે. ખૂબ જગ્યા હશે. ત્યાં ડરવા વગેરે ની વાત જ નથી હોતી. સદૈવ ફૂલવાડી રહે છે. કાંટા હોતાં જ નથી. તે છે જ બગીચો. ત્યાં તો લાકડીઓ વગેરે બાળતા નહીં હશે. લાકડીઓ માં ધુમાડો થાય છે તો દુઃખ અનુભવ થાય છે. ત્યાં આપણે ખૂબ થોડા ટુકડા માં રહીએ છીએ. પાછળ થી વૃદ્ધિ થતી જાય છે. ખૂબ સારા-સારા બગીચા હશે, સુગંધ આવતી રહેશે. જંગલ હશે જ નહીં. હમણાં ફીલિંગ આવે છે, જોતા તો નથી. તમે ધ્યાન માં મોટાં-મોટાં મહેલ વગેરે જોઈને આવો છો, તે તો અહીંયા બનાવી ન શકાય. સાક્ષાત્કાર થયો પછી ગુમ થઈ જશે. સાક્ષાત્કાર કર્યો તો છે ને? રાજાઓ પ્રિન્સ-પ્રિન્સેસ હશે. ખૂબ રમણીક સ્વર્ગ હશે. જેમ અહીં મૈસૂર વગેરે રમણીક છે, એમ ત્યાં ખૂબ સારી હવાઓ આવતી રહે છે. પાણી નાં ઝરણા વહેતા રહે છે. આત્મા સમજે છે અમે સારી-સારી ચીજો બનાવીએ. આત્મા ને સ્વર્ગ તો યાદ આવે છે ને?

આપ બાળકો ને રિયલાઈઝ થાય છે - શું-શું હશે, ક્યાં આપણે રહેતાં હોઈશું! આ સમયે આ સ્મૃતિ રહે છે. ચિત્રો ને જુઓ તમે કેટલાં ખુશનસીબ છો. ત્યા દુઃખ ની કોઈ વાત નહીં હશે. આપણે તો સ્વર્ગ માં હતાં પછી નીચે ઉતર્યા. હવે ફરી સ્વર્ગ માં જવાનું છે. કેવી રીતે જઈએ? દોરી પર લટકીને જઈશું શું? આપણે આત્માઓ તો રહેવા વાળા છીએ શાંતિધામ નાં. બાપે સ્મૃતિ અપાવી હવે તમે ફરી દેવતા બની રહ્યાં છો અને બીજાઓ ને બનાવી રહ્યાં છો. કેટલાંક ઘરે બેઠાં પણ સાક્ષાત્કાર કરે છે. બાંધેલીઓએ ક્યારેય જોયું થોડી છે? કેવી રીતે આત્મા ને ઉછળ આવે છે. પોતાનું ઘર નજીક આવવા થી આત્મા ને ખુશી થાય છે. સમજે છે બાબા અમને જ્ઞાન આપીને શૃંગારવા આવ્યાં છે. અંતે એક દિવસ સમાચાર-પત્ર માં પણ આવશે. હમણાં તો સ્તુતિ-નિંદા, માન-અપમાન બધું સામે આવે છે. જાણો છો કલ્પ પહેલાં પણ એવી રીતે થયું હતું, જે સેકન્ડ પસાર થઈ ગઈ, તેનું ચિંતન નથી કરવાનું હોતું. સમાચાર-પત્રો માં કલ્પ પહેલાં પણ આવી રીતે આવ્યું હતું. પછી પુરુષાર્થ કરાય છે. હંગામા (તોફાન) તો જે થયા હતાં તે થઈ ગયાં. નામ તો થઈ ગયું ને? પછી તમે રેસપોન્ડ (પ્રતિઉત્તર) કરો છો. કોઈ વાંચે છે, કોઈ નથી વાંચતાં. ફુરસદ નથી મળતી. બીજા કામો માં લાગી જાય છે. હમણાં તમારી બુદ્ધિ માં છે - આ બેહદ નો મોટો ડ્રામા છે. ટીક-ટીક ચાલતી રહે છે, ચક્ર ફરતું રહે છે. એક સેકન્ડ માં જે પસાર થયું તે ફરી ૫ હજાર વર્ષ પછી રિપીટ થશે. જે થઈ ગયું સેકન્ડ પછી વિચાર માં આવે છે. આ ભૂલ થઈ ગઈ, ડ્રામા માં નોંધાઈ ગયું. કલ્પ પહેલાં પણ એવી રીતે જ ભૂલ થઈ હતી, ભૂતકાળ થઈ ગયું. હવે ફરી આગળ નાં માટે નહીં કરીશું. પુરુષાર્થ કરતા રહે છે. તમને સમજાવાય છે ઘડી-ઘડી આ ભૂલ સારી નથી. આ કર્મ સારું નથી. દિલ ખાતું હશે - અમારા થી આ ખરાબ કામ થયું. બાપ સમજણ આપે છે, એવું ન કરો, કોઈને દુઃખ થશે. મનાઈ કરાય છે. બાપ કહી દે છે - આ કામ નથી કરવાનું, પૂછ્યાં વગર ચીજ ઉઠાવી, તેને ચોરી કહેવાય છે. એવાં કામ ન કરો. કડવું ન બોલો. આજકાલ દુનિયા જુઓ કેવી છે - કોઈ નોકર પર ગુસ્સો કર્યો તો તે પણ દુશ્મની કરવા લાગી જાય છે. ત્યાં તો સિંહ-બકરી આપસ માં ક્ષીરખંડ થઈને રહે છે. લૂણપાની અને ક્ષીરખંડ. સતયુગ માં બધા મનુષ્ય આત્માઓ પરસ્પર ક્ષીરખંડ રહે છે. અને આ રાવણ ની દુનિયા માં બધા મનુષ્ય લૂણપાણી છે. બાપ-બાળક પણ લૂણપાણી. કામ મહાશત્રુ છે ને? કામ કટારી ચલાવી એક-બીજા ને દુઃખ આપે છે. આ આખી દુનિયા લૂણપાણી છે. સતયુગી દુનિયા ક્ષીરખંડ છે. આ વાતો થી દુનિયા શું જાણે? મનુષ્ય તો સ્વર્ગ ને લાખો વર્ષ કહી દે છે. તો કોઈ વાત બુદ્ધિ માં આવી ન શકે. જે દેવતાઓ હતાં તેમને જ સ્મૃતિ માં આવે છે. તમે જાણો છો આ દેવતા સતયુગ માં હતાં. જેમણે ૮૪ જન્મ લીધાં છે એ જ ફરી થી આવીને ભણશે અને કાંટા થી ફૂલ બનશે. આ બાપ ની એક જ યુનિવર્સિટી છે, આની બ્રાન્ચેસ (શાખાઓ) નીકળતી રહે છે. ખુદા જ્યારે આવશે ત્યારે એમનાં ખિદ્દમતગાર (મદદગાર) બનશે, જેમનાં દ્વારા સ્વયં ભગવાન રાજાઈ સ્થાપન કરશે. તમે સમજો છો આપણે ખુદા નાં ખિદ્દમતગાર છીએ. તેઓ શારીરિક ખિદ્દમત કરે છે, આ રુહાની. બાબા આપણને આત્માઓ ને રુહાની સર્વિસ શીખવાડી રહ્યાં છે કારણકે રુહ જ તમોપ્રધાન બની ગયો છે. પછી બાબા સતોપ્રધાન બનાવી રહ્યાં છે. બાબા કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ યોગ અગ્નિ છે. ભારત નો પ્રાચીન યોગ ગવાયેલો છે ને? આર્ટિફિશિયલ (બનાવટી) યોગ તો ઘણાં થઈ ગયા છે એટલે બાબા કહે છે યાદ ની યાત્રા કહેવું ઠીક છે. શિવબાબા ને યાદ કરતાં-કરતાં તમે શિવપુરી માં ચાલ્યાં જશો. એ છે શિવપુરી. તે વિષ્ણુપુરી. આ રાવણ પુરી. વિષ્ણુપુરી ની પાછળ છે રામપુરી. સૂર્યવંશી પછી ચંદ્રવંશી છે. આ તો સામાન્ય વાત છે. અડધોકલ્પ સતયુગ-ત્રેતા, અડધોકલ્પ દ્વાપર-કળિયુગ. હમણાં તમે સંગમ પર છો. આ પણ ફક્ત તમે જાણો છો. જે સારી રીતે ધારણા કરે છે, તે બીજાઓ ને પણ સમજાવે છે. આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. આ કોઈની બુદ્ધિ માં યાદ રહે તો પણ આખો ડ્રામા બુદ્ધિ માં આવી જાય. પરંતુ કળિયુગી દેહ નાં સંબંધી વગેરે યાદ આવતા રહે છે. બાપ કહે છે - તમારે યાદ કરવાના છે એક બાપ ને. સર્વ નાં સદ્દગતિ દાતા રાજયોગ શીખવાડવા વાળા એક જ છે એટલે બાબાએ સમજાવ્યું છે કે શિવબાબા ની જ જયંતી છે જે આખી દુનિયા ને પલટાવે છે. તમે બ્રાહ્મણ જ જાણો છો, હમણાં આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. જે બ્રાહ્મણ છે એમને જ રચયિતા અને રચના નું જ્ઞાન બુદ્ધિ માં છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ એવું કર્મ નથી કરવાનું જેનાથી કોઈને દુઃખ થાય. કડવા બોલ નથી બોલવાનાં. ખૂબ-ખૂબ ક્ષીરખંડ બનીને રહેવાનું છે.

2. કોઈપણ દેહધારી ની સ્તુતિ નથી કરવાની. બુદ્ધિ માં રહે આપણને શિવબાબા ભણાવે છે, એ એક ની જ મહિમા કરવાની છે, રુહાની ખિદ્દમતગાર બનવાનું છે.

વરદાન :-
શુદ્ધ સંકલ્પ નાં વ્રત દ્વારા વૃત્તિ નું પરિવર્તન કરવાવાળા દિલતખ્તનશીન ભવ

બાપદાદા નું દિલતખ્ત એટલું પ્યોર (પવિત્ર) છે જે આ તખ્ત પર સદા પ્યોર આત્માઓ જ બેસી શકે છે. જેમનાં સંકલ્પ માં પણ અપવિત્રતા કે અમર્યાદા આવી જાય છે તે તખ્તનશીન નાં બદલે ઉતરતી કળા માં નીચે આવે છે એટલે પહેલાં શુદ્ધ સંકલ્પ નાં વ્રત દ્વારા પોતાની વૃત્તિ નું પરિવર્તન કરો. વૃત્તિ પરિવર્તન થી ભવિષ્ય જીવનરુપી સૃષ્ટિ બદલાઈ જશે. શુદ્ધ સંકલ્પ કે દૃઢ સંકલ્પ નાં વ્રત નું પ્રત્યક્ષ ફળ છે જ સદાકાળ માટે બાપદાદા નું દિલતખ્ત.

સ્લોગન :-
જ્યાં સર્વ શક્તિઓ સાથે છે ત્યાં નિર્વિઘ્ન સફળતા છે જ.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો

અંતઃવાહક સ્થિતિ અર્થાત્ કર્મબંધન મુક્ત કર્માતીત સ્થિતિ નું વાહન અર્થાત્ અંતિમ વાહન, જેનાં દ્વારા જ સેકન્ડ માં સાથે ઉડશો. એનાં માટે સર્વ હદો થી પાર બેહદ સ્વરુપ માં, બેહદ નાં સેવાધારી, સર્વ હદો ની ઉપર વિજય પ્રાપ્ત કરવાવાળા વિજયી રત્ન બનો ત્યારે જ અંતિમ કર્માતીત સ્વરુપ નાં અનુભવી સ્વરુપ બનશો.