26-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાની તકદીર ઊંચી બનાવવી છે તો કોઈની સાથે પણ વાત કરતા , જોતા બુદ્ધિ નો યોગ એક
બાપ સાથે લગાવો”
પ્રશ્ન :-
નવી દુનિયાની સ્થાપના
નાં નિમિત્ત બનવા વાળા બાળકો ને બાપ નું કયું માર્ગદર્શન મળેલું છે?
ઉત્તર :-
બાળકો, તમારું આ જુની દુનિયા સાથે કોઈ કનેક્શન (સંબંધ) નથી. પોતાનું દિલ આ જૂની
દુનિયા થી ન લગાવો. તપાસ કરો અમે શ્રીમત નાં વિરુદ્ધ કર્મ તો નથી કરતાં? રુહાની
સર્વિસ (સેવા) નાં નિમિત્ત બન્યાં છીએ?
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…
ઓમ શાંતિ!
હવે ગીત
સાંભળવાની કોઈ જરુર નથી રહેતી. ગીત વધારે કરીને ભક્ત જ ગાય છે અને સાંભળે છે. તમે
તો ભણતર ભણો છો. આ ગીત પણ બાળકો માટે જ ખાસ બનેલા છે. બાળકો જાણે છે - બાપ આપણી
તકદીર ઊંચી બનાવી રહ્યાં છે. હવે આપણે બાપ ને જ યાદ કરવાના છે અને દૈવી ગુણ ધારણ
કરવાના છે. પોતાનો પોતામેલ જોવાનો છે. જમા થાય છે કે નુકસાન થતું રહે છે? આપણા માં
કોઈ ખામી તો નથી? જો ખામી છે, જેનાથી આપણી તકદીર માં ઘાટો (નુકસાન) પડી જશે તો એને
કાઢી દેવી જોઈએ. આ સમયે દરેકે પોતાની તકદીર ઊંચી બનાવવાની છે. તમે સમજાવો છો આપણે આ
લક્ષ્મી-નારાયણ બની શકીએ છીએ. જો એક બાપ સિવાય બીજા કોઈ ને યાદ નહીં કરીશું તો.
કોઈની સાથે વાત કરતા, જોવા છતાં બુદ્ધિ નો યોગ ત્યાં એક ની સાથે લાગેલો રહે. આપણે
આત્માઓ એ બાપ ને જ યાદ કરવાના છે. બાપ નું ફરમાન મળેલું છે. મારા સિવાય બીજા કોઈ
સાથે દિલ ન લગાવો અને દૈવી ગુણ ધારણ કરો. બાપ સમજાવે છે, તમારા હવે ૮૪ જન્મ પૂરાં
થયા છે. હવે પાછા તમે જઈને પહેલો નંબર લો રાજાઈ માં. એવું ન થાય કે રાજાઈ થી ઉતરીને
નીચે પ્રજા માં ચાલ્યાં જાઓ, પ્રજા માં પણ નીચે ચાલ્યાં જાઓ. ના, પોતાની તપાસ કરતા
રહો. આ સમજણ બાપ વગર તો બીજું કોઈ આપી ન શકે. બાપ ને, શિક્ષક ને યાદ કરવાથી ડર રહેશે.
એવું ન થાય આપણને કોઈ સજા મળી જાય. ભક્તિ માં પણ સમજે છે પાપ કર્મ કરવાથી અમે સજા
નાં ભાગી બની જઈશું. મોટા બાબા નાં ડાયરેક્શન તો હમણાં જ મળે છે, જેને શ્રીમત
કહેવાય છે. બાળકો જાણે છે કે શ્રીમત થી આપણે શ્રેષ્ઠ બનીએ છીએ. પોતાની તપાસ કરવાની
છે. ક્યાંક-ક્યાંક આપણે શ્રીમત નાં વિરુદ્ધ તો કાંઈ કરતા નથી? જે વાત સારી ન લાગે
તે કરવી ન જોઈએ. સારા ખરાબ ને તો હવે સમજો છો, પહેલાં સમજતા નહોતાં. હવે તમે એવાં
કર્મ શીખો છો જે પછી જન્મ-જન્માંતર કર્મ અકર્મ બની જાય છે. આ સમયે તો બધા માં ૫ ભૂત
પ્રવેશ છે. હવે સારી રીતે પુરુષાર્થ કરી કર્માતીત બનવાનું છે. દૈવીગુણ પણ ધારણ
કરવાના છે. સમય નાજુક થતો જાય છે, દુનિયા બગડતી જાય છે. દિવસે-દિવસે બગડતી જ રહેશે.
આ દુનિયા સાથે તમારું જાણે કનેક્શન જ નથી. તમારું કનેક્શન છે નવી દુનિયા સાથે, જે
સ્થાપન થઈ રહી છે. તમે જાણો છો આપણે નિમિત્ત બનીએ છીએ નવી દુનિયા સ્થાપન કરવાં. તો
જે મુખ્ય ઉદ્દેશ સામે છે, એમનાં જેવું બનવાનું છે. કોઈ પણ આસુરી ગુણ અંદર ન હોય.
રુહાની સર્વિસ માં લાગેલા રહેવાથી ઉન્નતિ બહુ જ થાય છે. પ્રદર્શન, મ્યુઝિયમ વગેરે
બનાવે છે. સમજે છે ઘણાં લોકો આવશે, એમને બાપ નો પરિચય આપીશું, પછી તે પણ બાપ ને યાદ
કરવા લાગી જશે. આખો દિવસ આ જ વિચારો ચાલતાં રહે. સેવાકેન્દ્ર ખોલી સર્વિસ ને વધારીએ,
આ રત્ન બધા તમારી પાસે છે. બાપ દૈવીગુણ પણ ધારણ કરાવે છે અને ખજાના આપે છે. તમે અહીં
બેઠાં છો, બુદ્ધિ માં છે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. પવિત્ર પણ રહો છો.
મન્સા-વાચા-કર્મણા કોઈ ખરાબ કર્મ ન થાય, એની પૂરી તપાસ કરવાની હોય છે. બાપ આવ્યાં જ
છે પતિતો ને પાવન બનાવવાં. એનાં માટે યુક્તિઓ પણ બતાવતા રહે છે. એમાં જ રમણ કરતા
રહેવાનું છે. સેવાકેન્દ્ર ખોલી અનેક ને નિમંત્રણ આપવાનું છે. પ્રેમ થી બેસીને
સમજાવવાનું છે. આ જૂની દુનિયા ખતમ થવાની છે. પહેલાં તો નવી દુનિયા ની સ્થાપના ખૂબ
જરુરી છે. સ્થાપના થાય છે સંગમ પર. આ પણ મનુષ્યો ને ખબર નથી કે હમણાં સંગમયુગ છે. આ
પણ સમજાવવાનું છે કે નવી દુનિયા ની સ્થાપના, જૂની દુનિયા નો વિનાશ એનો હવે સંગમ છે.
નવી દુનિયા ની સ્થાપના શ્રીમત પર થઈ રહી છે. બાપ સિવાય બીજું કોઈ નવી દુનિયા ની
સ્થાપના ની મત આપશે નહીં. બાપ જ આવીને આપ બાળકો દ્વારા નવી દુનિયા નું ઉદ્દઘાટન
કરાવે છે. એકલા તો નહીં કરશે. બધા બાળકો ની મદદ લે છે. તે લોકો ઉદ્દઘાટન કરવા માટે
મદદ નહીં લેશે. આવીને કાતર થી રીબીન કાપશે. અહીં તો તે વાત નથી. આમાં તમે બ્રાહ્મણ
કુળભૂષણ મદદગાર બનો છો. બધા મનુષ્ય માત્ર રસ્તો બિલકુલ મૂંઝાયેલા છે. પતિત દુનિયા
ને પાવન બનાવવી એ બાપ નું જ કામ છે. બાપ જ નવી દુનિયા ની સ્થાપના કરે છે, જેનાં માટે
રુહાની નોલેજ આપે છે. તમે જાણો છો બાપ ની પાસે નવી દુનિયા ની સ્થાપના કરવાની યુક્તિ
છે. ભક્તિમાર્ગ માં એમને પોકારો છો ને - હે પતિત-પાવન, આવો. ભલે શિવ ની પૂજા પણ કરતા
રહે છે. પરંતુ આ જાણતા નથી કે પતિત-પાવન કોણ છે. દુઃખ માં યાદ તો કરે છે હે ભગવાન,
હે રામ. રામ પણ નિરાકાર ને જ કહેવાય છે. નિરાકાર ને જ ઊંચ ભગવાન કહેવાય છે. પરંતુ
મનુષ્ય બહુ જ મૂંઝાયેલા છે. બાપે આવીને કાઢ્યાં છે. જેમ ફાગી (ધુમ્મસ) માં મનુષ્ય
મૂંઝાઈ જાય છે ને? આ તો છે બેહદ ની વાત. ખૂબ મોટા જંગલ માં આવીને પડ્યાં છે. તમને
પણ બાપે મહેસૂસ કરાવ્યું છે કે આપણે કયા જંગલ માં પડ્યાં હતાં! આ પણ હવે ખબર પડી છે
- આ જૂની દુનિયા છે. આનો પણ અંત છે. મનુષ્ય તો બિલકુલ રસ્તો જાણતા જ નથી. બાપ ને
પોકારતા રહે છે. તમે હવે પોકારતા નથી. હમણાં આપ બાળકો ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને
જાણો છો. તે પણ નંબરવાર. જે જાણે છે તે બહુ જ ખુશી માં રહે છે. બીજાઓ ને પણ રસ્તો
બતાવવા માટે તત્પર રહે છે. બાપ તો કહેતાં રહે છે મોટાં-મોટાં સેવાકેન્દ્ર ખોલો.
ચિત્ર મોટાં-મોટાં હશે તો મનુષ્ય સહજ સમજી શકશે. બાળકો માટે નક્શા (ચિત્ર) જરુર
જોઈએ. કહેવું જોઈએ - આ પણ સ્કૂલ છે. અહીં નાં આ વન્ડરફુલ નક્શા છે, એ સ્કૂલો નાં
નક્શા માં તો હોય છે હદ ની વાતો. આ છે બેહદ ની વાતો. આ પણ પાઠશાળા છે, જેમાં બાપ
અમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવી અને લાયક બનાવે છે. મનુષ્ય થી દેવતા
બનવાની આ ઈશ્વરીય પાઠશાળા છે. લખેલું જ છે ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય. આ છે રુહાની
પાઠશાળા. ફક્ત ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય થી પણ મનુષ્ય સમજી નથી શકતાં. યુનિવર્સિટી પણ
લખવું જોઈએ. આવું ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય કોઈ નથી. બાબાએ કાર્ડ જોયા હતાં. કોઈક
શબ્દ ભૂલાયેલા હતાં. બાબાએ કેટલીવાર કહ્યું છે કે પ્રજાપિતા શબ્દ જરુર લખો છતાં પણ
બાળકો ભૂલી જાય છે. લખાણ પૂરું હોવું જોઈએ. જે મનુષ્યો ને ખબર પડે કે આ ઈશ્વરીય મોટી
કોલેજ છે. બાળકો જે સેવા પર ઉપસ્થિત છે, જે સારા સેવાધારી છે, એમને પણ દિલ માં રહે
છે અમે ફલાણા સેવાકેન્દ્ર ને જઈને ઉઠાવીએ (ઉન્નતિ કરીએ), ઠંડુ પડી ગયું છે, એમને
જગાડીએ કારણકે માયા એવી છે જે ઘડી-ઘડી સુવડાવી દે છે. હું સ્વદર્શન ચક્રધારી છું, એ
પણ ભૂલી જાય છે. માયા બહુ જ ઓપોઝિશન (વિરોધ) કરે છે. તમે યુદ્ધ નાં મેદાન માં છો.
માયા માથું ફેરવીને ઉંધી તરફ ન લઈ જાય, એની બહુ જ સંભાળ કરવાની છે. માયા નાં તોફાન
તો બધાને ખૂબ લાગે છે. નાનાં અથવા મોટા બધાં યુદ્ધ નાં મેદાન માં છો. પહેલવાન ને
માયા નાં તોફાન હલાવી ન શકે. તે અવસ્થા પણ આવવાની છે.
બાપ સમજાવે છે - સમય
બહુ જ ખરાબ છે, હાલત બગડેલી છે. રાજાઈ તો બધી ખતમ થઈ જવાની છે. બધાને ઉતારી દેશે.
પછી પ્રજા નું પ્રજા પર રાજ્ય આખી દુનિયા માં થઈ જશે. તમે પોતાની નવી રાજાઈ સ્થાપન
કરો છો તો અહીંયા રાજાઈ નું નામ પણ ખતમ થઈ જશે. પંચાયતી રાજ્ય થતું જાય છે. જ્યારે
પ્રજા નું રાજ્ય છે ત્યારે તો પરસ્પર લડે-ઝઘડે. સ્વરાજ્ય અથવા રામરાજ્ય તો હકીકત
માં નથી એટલે આખી દુનિયા માં ઝઘડા જ થતા રહે છે. આજકાલ તો હંગામા બધી જગ્યાએ છે. તમે
જાણો છો - આપણે પોતાની રાજાઈ સ્થાપન કરી રહ્યાં છીએ. તમે બધાને રસ્તો બતાવો છો. બાપ
કહે છે - મામેકમ્ યાદ કરો. બાપ ની યાદ માં રહી બીજાઓ ને પણ આ સમજાવવાનું છે -
દેહી-અભિમાની બનો. દેહ-અભિમાન છોડો. એવું નથી કે તમારા માં બધા દેહી-અભિમાની બન્યાં
છે. ના, બનવાનું છે. તમે પુરુષાર્થ કરો છો બીજાઓ ને પણ કરાવો છો. યાદ કરવાની કોશિશ
કરે છે પછી ભૂલી જાય છે. પુરુષાર્થ આ જ કરવાનો છે. મૂળ વાત છે બાપ ને યાદ કરવાની.
બાળકો ને કેટલું સમજાવે છે. નોલેજ બહુ જ સારી મળે છે. મૂળ વાત છે પવિત્ર રહેવું.
બાપ પાવન બનાવવા આવ્યાં છે તો પછી પતિત નથી બનવાનું, યાદ થી જ તમે સતોપ્રધાન બની જશો.
આ ભૂલવાનું નથી. માયા આમાં જ વિઘ્ન નાખી ભૂલાવી દે છે. રાત-દિવસ આ તાત (લગન) રહે અમે
બાપ ને યાદ કરી સતોપ્રધાન બનીએ. યાદ એવી પાક્કી હોવી જોઈએ જે પાછળ થી એક બાપ સિવાય
બીજું કોઈ પણ યાદ ન રહે. પ્રદર્શન માં પણ પહેલાં-પહેલાં આ સમજાવવું જોઈએ એ છે બધાનાં
બાપ, ઊંચા માં ઊંચા ભગવાન. બધાનાં બાપ પતિત-પાવન સદ્દગતિ દાતા એ છે. એ જ સ્વર્ગ નાં
રચયિતા છે.
હમણાં આપ બાળકો જાણો
છો બાપ આવે જ છે સંગમયુગ પર. બાપ જ રાજયોગ શીખવાડે છે. પતિત-પાવન એક સિવાય બીજું
કોઈ હોય ન શકે. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવો પડે છે. હવે એક-એક ને આમ એક
ચિત્ર પર બેસીને સમજાવશો તો આટલી ભીડ ને કેવી રીતે સમજાવી શકશો? પરંતુ પહેલાં-પહેલાં
બાપ નાં ચિત્ર પર સમજાવવું મુખ્ય છે. સમજાવવું પડે છે - ભક્તિ છે અથાહ, જ્ઞાન તો છે
એક. બાપ કેટલી યુક્તિઓ બાળકોને બતાવતા રહે છે. પતિત-પાવન એક બાપ છે. રસ્તો પણ બતાવે
છે. ગીતા ક્યારે સંભળાવી? આ પણ કોઈને ખબર નથી. દ્વાપરયુગ ને કાંઈ સંગમયુગ નથી
કહેવાતો. યુગે-યુગે તો બાપ નથી આવતાં. મનુષ્ય તો બિલકુલ મુંઝાઈ ગયા છે. આખો દિવસ આ
જ વિચાર ચાલે છે, કેવી રીતે સમજાવાય. બાપે ડાયરેક્શન આપવા પડે છે. ટેપ પર પણ મોરલી
પૂરી સાંભળી શકો છો. કોઈ-કોઈ કહે છે ટેપ દ્વારા અમે સાંભળી રહ્યાં છીએ, કેમ નહીં
ડાયરેક્ટ જઈને સાંભળીએ, એટલે સન્મુખ આવે છે. બાળકોએ ખૂબ સર્વિસ કરવાની છે. રસ્તો
બતાવવાનો છે. પ્રદર્શન માં આવે છે. સારું-સારું પણ કહે છે પછી બહાર જવાથી માયા નાં
વાયુમંડળ માં બધું ઉડી જાય છે. સિમરણ નથી કરતાં. એમની પછી પીઠ કરવી જોઈએ. બહાર જવાથી
માયા ખેંચી લે છે. ગોરખધંધા માં લાગી જાય છે એટલે મધુબન નું ગાયન છે. તમને તો હવે
સમજ મળી છે. તમે ત્યાં પણ જઈને સમજાવશો. ગીતા નાં ભગવાન કોણ છે? પહેલાં તો તમે પણ
આમ જ જઈને માથું નમાવતા હતાં. હવે તો તમે બિલકુલ બદલાઈ ગયા છો. તમે હમણાં મનુષ્ય થી
દેવતા બની રહ્યાં છો. બુદ્ધિ માં પૂરું જ્ઞાન છે. બીજા શું જાણે પ્રજાપિતા
બ્રહ્માકુમાર, કુમારીઓ કોણ છે? તમે સમજાવો છો, હકીકત માં તમે પણ પ્રજાપિતા
બ્રહ્માકુમાર, કુમારી છો. આ સમયે જ બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ રહી છે. બ્રાહ્મણ કુળ
પણ જરુર જોઈએ ને? સંગમ પર જ બ્રાહ્મણ કુળ હોય છે. પહેલાં બ્રાહ્મણો ની ચોટલી
પ્રસિદ્ધ હતી. ચોટલી થી અથવા જનોઈ થી ઓળખતા હતાં કે આ હિન્દુ છે. હવે તો તે નિશાનીઓ
પણ ચાલી ગઈ છે. હવે તમે જાણો છો આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બની
શકાય છે. બ્રાહ્મણોએ જ નવી દુનિયા સ્થાપન કરી છે. યોગબળ થી સતોપ્રધાન બની રહ્યાં
છીએ. પોતાની તપાસ કરવાની છે. કોઈ પણ આસુરી ગુણ ન હોય. લૂણપાણી નથી બનવાનું. આ તો
યજ્ઞ છે ને? યજ્ઞ થી બધાની સંભાળ થતી રહે છે. યજ્ઞ માં સંભાળવા વાળા ટ્રસ્ટી પણ હોય
છે. યજ્ઞ નાં માલિક તો છે શિવબાબા. આ બ્રહ્મા પણ ટ્રસ્ટી છે. યજ્ઞ ની સંભાળ કરવી પડે
છે. આપ બાળકો ને જે જોઈએ યજ્ઞ માંથી લેવાનું છે. બીજા કોઈ પાસે થી લઈને પહેરશો તો
તે યાદ આવતા રહેશે. એમાં બુદ્ધિ ની લાઈન બહુ જ ક્લિયર જોઈએ. હવે તો પાછું જવાનું
છે. સમય બહુ થોડો છે એટલે યાદ ની યાત્રા પાક્કી રહે. આ જ પુરુષાર્થ કરવાનો છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
ઉન્નતિ માટે રુહાની સર્વિસ માં તત્પર રહેવાનું છે. જે પણ જ્ઞાન-રત્ન મળ્યાં છે એને
ધારણ કરીને બીજાઓ ને પણ કરાવવાના છે.
2. પોતાની તપાસ કરવાની
છે - અમારા માં કોઈ આસુરી ગુણ તો નથી? અમે ટ્રસ્ટી બનીને રહીએ છીએ? ક્યારેય લૂણપાણી
તો નથી બનતાં? બુદ્ધિ ની લાઈન ક્લિયર છે?
વરદાન :-
પુરુષાર્થ ની
સૂક્ષ્મ આળસ નો પણ ત્યાગ કરવા વાળા ઓલરાઉન્ડર એલર્ટ ભવ
પુરુષાર્થ નો થાક આળસ
ની નિશાની છે. આળસ વાળા જલ્દી થાકે છે, ઉમંગ વાળા અથક હોય છે. જે પુરુષાર્થ માં
દિલશિકસ્ત થાય છે એમને જ આળસ આવે છે, તે વિચારે છે શું કરીએ આટલું જ કરી શકીએ છીએ,
વધારે નથી થઈ શકતું. હિંમત નથી, ચાલી તો રહ્યાં છીએ, કરી તો રહ્યાં છીએ - હવે આ
સૂક્ષ્મ આળસ નું પણ નામ-નિશાન ન રહે એનાં માટે સદા એલર્ટ, એવરરેડી અને ઓલરાઉન્ડર બનો.
સ્લોગન :-
સમય નાં મહત્વ
ને સામે રાખી સર્વ પ્રાપ્તિઓ નું ખાતું ફુલ (ભરપૂર) જમા કરો.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
અવાજ થી પરે પોતાની
શ્રેષ્ઠ સ્થિતિ માં સ્થિત થઈ જાઓ તો સર્વ વ્યક્ત આકર્ષણ થી પરે શક્તિશાળી ન્યારી અને
પ્યારી સ્થિતિ બની જશે. એક સેકન્ડ પણ આ શ્રેષ્ઠ સ્થિતિ માં સ્થિત હશો તો એનો પ્રભાવ
આખો દિવસ કર્મ કરતા પણ સ્વયં માં વિશેષ શાંતિ ની શક્તિ અનુભવ કરશો, આ જ સ્થિતિ ને
કર્માતીત સ્થિતિ, બાપ સમાન સંપૂર્ણ સ્થિતિ કહેવાય છે.