27-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારી
જ્યારે કર્માતીત અવસ્થા થશે ત્યારે વિષ્ણુપુરી માં જશો , પાસ વિથ ઓનર થવાવાળા બાળકો
જ કર્માતીત બને છે”
પ્રશ્ન :-
આપ બાળકો પર બંને બાપ કઇ મહેનત કરે છે?
ઉત્તર :-
બાળકો સ્વર્ગ નાં લાયક બને. સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ બનાવવાની મહેનત
બાપદાદા બંને કરે છે. આ જેમ કે તમને ડબલ એન્જિન મળ્યું છે. એવું વન્ડરફુલ ભણતર ભણાવે
છે જેનાંથી તમે ૨૧ જન્મ ની બાદશાહી મેળવી લો છો.
ગીત :-
બચપન કે દિન
ભુલા ન દેના…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકીલધા બાળકોએ ગીત સાંભળ્યું. ડ્રામા પ્લાન અનુસાર આવાં-આવાં ગીતો પસંદ કરેલા છે.
મનુષ્ય આશ્ચર્ય થાય છે કે આ શું નાટક નાં રેકોર્ડ ઉપર વાણી ચલાવે છે. આ પછી કયા
પ્રકાર નું જ્ઞાન છે? શાસ્ત્ર, વેદ, ઉપનિષદ વગેરે છોડી દીધું, હવે રેકોર્ડ ઉપર વાણી
ચાલે છે! આ પણ આપ બાળકોની બુદ્ધિમાં છે કે આપણે બેહદ નાં બાપ નાં બન્યા છીએ,
જેમનાંથી અતીન્દ્રિય સુખ મળે છે એવાં બાપ ને ભૂલવાનાં નથી. બાપ ની યાદ થી જ
જન્મ-જન્માંતર નાં પાપ દગ્ધ થાય છે. એવું ન થાય જે યાદ ને છોડી દો અને પાપ રહી જાય.
પછી પદ પણ ઓછું થઈ જશે. આવાં બાપ ને તો સારી રીતે યાદ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
જેમ સગાઈ થાય છે તો પછી એક-બીજા ને યાદ કરે છે. તમારી પણ સગાઈ થઈ છે પછી જ્યારે તમે
કર્માતીત અવસ્થા ને પામો છો ત્યારે વિષ્ણુપુરી માં જશો. હમણાં શિવબાબા પણ છે.
પ્રજાપિતા બ્રહ્મા બાબા પણ છે. બે એન્જિન મળ્યા છે - એક નિરાકારી, બીજા સાકારી. બંને
મહેનત કરે છે કે બાળકો સ્વર્ગ નાં લાયક બની જાય. સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ
બનવાનું છે. અહીં પરીક્ષા પાસ કરવાની છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. આ ભણતર બહુજ
વન્ડરફુલ છે-ભવિષ્ય ૨૧ જન્મો નાં માટે. બીજા ભણતર હોય છે મૃત્યુલોક માટે, આ ભણતર છે
અમરલોક માટે. તેનાં માટે ભણવાનું તો અહીં જ છે ને? જ્યાં સુધી આત્મા પવિત્ર ન બને
ત્યાં સુધી સતયુગ માં જઈ ન શકે એટલે બાપ સંગમ પર જ આવે છે, આને જ પુરુષોત્તમ
કલ્યાણકારી યુગ કહેવાય છે. જ્યારે તમે કોડી થી હીરા જેવા બનો છો એટલે શ્રીમત પર
ચાલતા રહો. શ્રી શ્રી શિવબાબા ને જ કહેવાય છે. માળા નો અર્થ પણ બાળકો ને સમજાવ્યો
છે. ઉપર ફૂલ છે શિવબાબા, પછી છે યુગલ મેરુ. પ્રવૃત્તિ માર્ગ છે ને! પછી છે દાણા જે
વિજય મેળવવા વાળા છે, તેમની જ રુદ્ર માળા પછી વિષ્ણુ ની માળા બને છે. આ માળા નો
અર્થ કોઈ પણ નથી જાણતા. બાપ બેસી સમજાવે છે આપ બાળકોએ કોડી થી હીરા જેવા બનવાનું
છે. ૬૩ જન્મ તમે બાપ ને યાદ કરતા આવ્યા છો. તમે હમણાં આશિક છો એક માશુક નાં. બધાં
ભક્ત છે એક ભગવાન નાં. પતિઓ નાં પતિ, બાપો નાં બાપ એ એક જ છે. આપ બાળકો ને રાજાઓનાં
રાજા બનાવે છે. પોતે નથી બનતાં. બાપ વારં-વાર સમજાવે છે-બાપ ની યાદ થી જ તમારા
જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થશે. સાધુ સંત તો કહી દે છે આત્મા નિર્લેપ છે. બાપ
સમજાવે છે સંસ્કાર સારા અથવા ખરાબ આત્મા જ લઈ જાય છે. તેઓ કહી દે છે બસ જ્યાં જોઉં
છું બધા ભગવાન જ ભગવાન છે. ભગવાન ની જ આ બધી લીલા છે. બિલકુલ જ વામમાર્ગ માં ગંદા
બની જાય છે. આવાં-આવાં ની મત પર પણ લાખો મનુષ્ય ચાલી રહ્યા છે. આ પણ ડ્રામા માં
નોંધ છે. હંમેશા બુદ્ધિમાં ત્રણ ધામ યાદ રાખો-શાંતિધામ જ્યાં આત્માઓ રહે છે, સુખધામ
જેનાં માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો, દુ:ખધામ શરુ થાય છે અડધાકલ્પ પછી. ભગવાન ને
કહેવાય છે હેવનલી ગોડફાધર. તે કોઈ હેલ (નર્ક) સ્થાપન નથી કરતાં. બાપ કહે છે હું તો
સુખધામ જ સ્થાપન કરું છું. બાકી આ હાર અને જીત ની રમત છે. આપ બાળકો શ્રીમત પર ચાલીને
હવે માયારુપી રાવણ પર જીત મેળવો છો. પછી અડધાકલ્પ બાદ રાવણ રાજ્ય શરુ થાય છે. આપ
બાળકો હમણાં યુદ્ધ નાં મેદાન પર છો. આ બુદ્ધિ માં ધારણ કરવાનું છે પછી બીજાઓને
સમજાવવાનું છે. આંધળાઓ ની લાઠી બની ઘર નો રસ્તો બતાવવાનો છે કારણકે બધા તે ઘર ને
ભૂલી ગયા છે. કહે પણ છે આ એક નાટક છે. પરંતુ આની આયુ લાખો હજારો વર્ષ કહી દે છે.
બાપ સમજાવે છે રાવણે તમને કેટલા આંધળા (જ્ઞાન નયનહીન) બનાવી દીધા છે. હવે બાપ બધી
વાતો સમજાવી રહ્યા છે. બાપ ને જ નોલેજફુલ કહેવાય છે. આનો અર્થ એ નથી કે દરેકનાં
અંદરને જાણવાવાળા છે. તે તો રિદ્ધિ-સિદ્ધિ વાળા શીખે છે જે તમારી અંદરની વાતો
સંભળાવી દે છે. નોલેજફુલ નો અર્થ આ નથી. આ તો બાપની જ મહિમા છે. એ જ્ઞાન નાં સાગર,
આનંદ નાં સાગર છે. મનુષ્ય તો કહી દે છે કે એ અંતર્યામી છે. હમણાં આપ બાળકો સમજો છો
કે એ તો શિક્ષક છે, આપણને ભણાવે છે. એ રુહાની બાપ પણ છે, રુહાની સદ્દગુરુ પણ છે. તે
શારીરિક શિક્ષક ગુરુ હોય છે, તે પણ અલગ-અલગ હોય છે, ત્રણેય એક હોઈ ન શકે. કરીને
કોઈ-કોઈ બાપ, શિક્ષક પણ હોય છે. ગુરુ તો હોઈ ન શકે. તે તો છતાં પણ મનુષ્ય છે. અહીં
તો એ સુપ્રીમ (સર્વોચ્ચ) રુહ પરમપિતા પરમાત્મા ભણાવે છે. આત્મા ને પરમાત્મા નથી
કહેવાતા. આ પણ કોઈ સમજતું નથી. કહે છે પરમાત્માએ અર્જુન ને સાક્ષાત્કાર કરાવ્યો તો
તેણે કહ્યું બસ કરો, બસ કરો હું આટલું તે જ સહન નથી કરી શકતો. આ જે બધું સાંભળ્યું
છે તે સમજે છે પરમાત્મા એટલા તેજોમય છે. પહેલાં બાબાની પાસે આવતા હતાં તો
સાક્ષાત્કાર માં ચાલ્યા જતાં હતાં. કહેતાં હતાં બસ કરો, બહુજ તેજ છે, અમે સહન નથી
કરી શકતાં. જે સાંભળેલું છે તે જ બુદ્ધિમાં ભાવના રહે છે. બાપ કહે છે જે જેવી ભાવના
થી યાદ કરે છે, હું તેમની ભાવના પૂરી કરી શકું છું. કોઈ ગણેશ નાં પુજારી હશે તો
તેમને ગણેશ નો સાક્ષાત્કાર કરાવશે. સાક્ષાત્કાર થવાથી સમજે છે બસ, મુક્તિધામ માં
પહોંચી ગયા. પરંતુ નહીં, મુક્તિધામ માં કોઈ જઈ ન શકે. નારદ નું પણ ઉદાહરણ છે. તેઓ
શિરોમણી ભક્ત ગવાયેલાં છે. તેમણે પૂછ્યું હું લક્ષ્મી ને વરી શકું છું તો કહ્યું
સ્વયં નો ચહેરો તો જુઓ. ભક્ત માળા પણ હોય છે. સ્ત્રી માં મીરા અને પુરુષ માં નારદ
મુખ્ય ગવાયેલા છે. અહીં પછી જ્ઞાન માં મુખ્ય શિરોમણી છે સરસ્વતી. નંબરવાર તો હોય છે
ને?
બાપ સમજાવે છે માયા
થી બહુજ ખબરદાર રહેવાનું છે. માયા એવું ઉલટું કામ કરાવી લેશે. પછી અંતમાં બહુજ રડવું,
પસ્તાવું પડશે-ભગવાન આવ્યા અને અમે વારસો લઈ ન શક્યાં! પછી પ્રજા માં પણ દાસ-દાસી
જઈને બનશો. અંત માં ભણતર તો પૂરું થઈ જાય છે, પછી બહુજ પસ્તાવું પડે છે એટલે બાપ
પહેલાં થી જ સમજાવી દે છે કે પછી પસ્તાવું ન પડે. જેટલું બાપ ને યાદ કરતાં રહેશો તો
યોગ અગ્નિ થી પાપ ભસ્મ થશે. આત્મા સતોપ્રધાન હતો પછી તેમાં ખાદ પડતાં-પડતાં
તમોપ્રધાન બન્યો છે. ગોલ્ડન, સિલ્વર, કોપર, આયરન… નામ પણ છે. હમણાં આયરન એજ (કળિયુગ)
થી પછી તમારે ગોલ્ડન એજ (સતયુગ) માં જવાનું છે. પવિત્ર બન્યા વગર આત્માઓ જઈ ન શકે.
સતયુગ માં પવિત્રતા હતી તો સુખ-શાંતિ પણ હતા. અહીં પવિત્રતા નથી તો સુખ-શાંતિ પણ નથી.
રાત-દિવસ નો ફર્ક છે. તો બાપ સમજાવે છે આ બાળપણ નાં દિવસ ભૂલી ન જતાં. બાપે એડોપ્ટ
(દત્તક) કર્યા છે ને? બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે, આ એડોપ્શન છે. સ્ત્રી ને
એડોપ્ટ કરાય છે. બાકી બાળકો ને પછી જન્મ આપે છે. સ્ત્રી ને રચના નહીં કહેવાશે. આ
બાપ પણ એડોપ્ટ કરે છે કે તમે મારાં એજ બાળકો છો જેમને કલ્પ પહેલાં એડોપ્ટ કર્યા હતાં.
એડોપ્ટેડ બાળકો ને જ બાપ પાસે થી વારસો મળે છે. ઊંચા માં ઊંચા બાપ પાસે થી ઉંચે થી
ઉંચો વારસો મળે છે. એ છે જ ભગવાન પછી બીજા નંબરમાં છે લક્ષ્મી-નારાયણ સતયુગ નાં
માલિક. હમણાં તમે સતયુગ નાં માલિક બની રહ્યા છો. હમણાં સંપૂર્ણ નથી બન્યાં, બની
રહ્યા છો.
પાવન બનીને પાવન
બનાવવાં, એ જ રુહાની સાચ્ચી સેવા છે. તમે હમણાં રુહાની સેવા કરો છો એટલે તમે ખુબ
ઊંચા છો. શિવબાબા પતિતો ને પાવન બનાવે છે. તમે પણ પાવન બનાવો છો. રાવણે કેટલા
તુચ્છબુદ્ધિ બનાવી દીધા છે. હવે બાપ ફરી લાયક બનાવી વિશ્વનાં માલિક બનાવે છે. આવાં
બાપ ને પછી પથ્થર-ઠીક્કર માં કેવી રીતે કહી શકો? બાપ કહે છે આ ખેલ બનેલ છે. કલ્પ પછી
ફરી આવું થશે. હવે ડ્રામા પ્લેન અનુસાર હું આવ્યો છું તમને સમજાવવાં. આમાં જરા પણ
ફરક નથી પડી શકતો. બાપ એક સેકન્ડ ની વાર નથી કરી શકતાં. જેમ બાબા નો રીઇનકારનેશન (અવતરણ)
થાય છે તેમ આપ બાળકો નું પણ રીઇનકારનેશન થાય છે, તમે અવતરિત છો. આત્મા અહીં આવીને
પછી સાકાર માં પાર્ટ ભજવે છે, આને કહેવાય છે અવતરણ. ઉપરથી નીચે આવ્યા પાર્ટ ભજવવાં.
બાપનો પણ દિવ્ય, અલૌકિક જન્મ છે. બાપ સ્વયં કહે છે મારે પ્રકૃતિનો આધાર લેવો પડે
છે. હું આ તન માં પ્રવેશ કરું છું. આ મારું મુકરર તન છે. આ બહુજ વિશાળ વન્ડરફુલ ખેલ
છે. આ નાટક માં દરેક નો પાર્ટ નોંધાયેલો છે જે ભજવતા જ રહે છે. ૨૧ જન્મો નો પાર્ટ
ફરી આવી જ રીતે ભજવશે. તમને ક્લિયર (સ્પષ્ટ) નોલેજ મળ્યું છે તે પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર. મહારથીઓ ની બાબા મહિમા તો કરે છે ને? આ જે દેખાડે છે પાંડવો અને
કૌરવો નું યુદ્ધ થયું, આ બધી છે બનાવટી વાતો. હવે તમે સમજો છો તેઓ છે શારીરિક ડબલ
હિંસક, તમે છો રુહાની ડબલ અહિંસક. બાદશાહી લેવા માટે જુઓ તમે કેવાં બેઠાં છો! જાણો
છો બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થશે. આ જ તલપ લાગેલી છે. મહેનત બધી યાદ કરવામાં જ છે
એટલે ભારત નો પ્રાચીન યોગ ગવાયેલો છે. તેઓ બહારવાળા પણ આ ભારત નો પ્રાચીન યોગ શીખવા
માંગે છે. સમજે છે કે સંન્યાસી લોકો અમને આ યોગ શિખવાડશે. હકીકત માં તે શિખવાડતા
કાંઈ પણ નથી. તેમનો સંન્યાસ છે જ હઠયોગ નો. તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. તમારું
શરુમાં જ રાજ્ય હતું. હમણાં છે અંત. હમણાં તો પંચાયતી રાજ્ય છે. દુનિયામાં અંધકાર
તો બહુજ છે. તમે જાણો છો હવે તો ખૂને નાહક ખેલ થવાનો છે. આ પણ એક ખેલ દેખાડે છે, આ
તો બેહદની વાત છે, કેટલા ખૂન થશે. નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદાઓ) થશે. બધાનાં મોત
થશે. આને ખૂને નાહક કહેવાય છે. આમાં જોવાની પણ બહુજ હિંમત જોઈએ. ડરપોક તો ઝટ બેહોશ
થઇ જશે, આમાં નીડરપણું બહુજ જોઈએ. તમે તો શિવ શક્તિઓ છો ને? શિવબાબા છે સર્વ
શક્તિમાન, આપણે એમનાં થી શક્તિ લઈએ છીએ, પતિત થી પાવન બનવાની યુક્તિ બાપ જ બતાવે
છે. બાપ બિલકુલ સરળ સલાહ આપે છે-બાળકો, તમે સતોપ્રધાન હતાં, હવે તમોપ્રધાન બન્યાં
છો, હવે બાપ કહે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન સતોપ્રધાન બની જશો. આત્માએ બાપ
સાથે યોગ લગાડવાનો છે તો પાપ ભસ્મ થઇ જાય. ઓથોરિટી (સત્તા) પણ બાપ જ છે. ચિત્રો માં
દેખાડે છે-વિષ્ણુ ની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. તેમનાં દ્વારા બેસી બધા શાસ્ત્રો,
વેદો નું રહસ્ય સમજાવ્યું. હવે તમે જાણો છો બ્રહ્મા થી વિષ્ણુ, વિષ્ણુ થી બ્રહ્મા
બને છે. બ્રહ્મા દ્વારા સ્થાપના કરે પછી જે સ્થાપના થઇ તેની પાલના પણ જરુર કરશે ને?
આ બધું સારી રીતે સમજાવાય છે, જે સમજે છે તેમને આ ખ્યાલ રહેશે કે આ રુહાની નોલેજ
કેવી રીતે બધાને મળવું જોઈએ. અમારી પાસે ધન છે તો કેમ નહીં સેવાકેન્દ્ર ખોલીએ. બાપ
કહે છે સારું, ભાડા પર જ મકાન લઈ લો, તેમાં હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલો. યોગ થી
છે મુક્તિ, જ્ઞાન થી છે જીવનમુક્તિ. બે વારસા મળે છે. આમાં ફક્ત ત્રણ પગ પૃથ્વીનાં
જોઈએ, બીજું કંઈ નહીં. ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વવિદ્યાલય) ખોલો. વિશ્વ
વિદ્યાલય કે યુનિવર્સિટી, વાત તો એક જ થઈ. આ મનુષ્ય થી દેવતા બનવાની કેટલી મોટી
યુનિવર્સિટી છે. પૂછશે, તમારો ખર્ચો કેવી રીતે ચાલે છે? અરે, બી.કે.નાં બાપ નાં આટલાં
બધા બાળકો છે, તમે પૂછવા આવ્યાં છો! બોર્ડ ઉપર જુઓ શું લખેલું છે? બહુજ વન્ડરફુલ
જ્ઞાન છે. બાપ પણ વન્ડરફુલ છે ને? વિશ્વ નાં માલિક તમે કેવી રીતે બનો છો? શિવબાબા
ને કહેશું શ્રી શ્રી કારણ કે ઊંચા માં ઊંચા છે ને? લક્ષ્મી-નારાયણ ને કહીશું શ્રી
લક્ષ્મી, શ્રી નારાયણ. આ બધી સારી રીતે ધારણ કરવાની વાતો છે. બાપ કહે છે હું તમને
રાજયોગ શીખવાડું છું. આ છે સાચ્ચી-સાચ્ચી અમરકથા. ફક્ત એક પાર્વતી ને થોડી અમરકથા
સંભળાવી હશે. કેટલાં બધા મનુષ્ય અમરનાથ પર જાય છે. આપ બાળકો બાપ પાસે આવ્યા છો
રિફ્રેશ થવાં. પછી બધાને સમજાવાનું છે, જઈને રિફ્રેશ કરવાનાં છે, સેવાકેન્દ્ર
ખોલવાનાં છે. બાપ કહે છે ફક્ત ૩ પગ પૃથ્વી નાં લઈને હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલતા
જાઓ તો અનેક નું કલ્યાણ થશે. આમાં ખર્ચો તો કાંઈ પણ નથી. હેલ્થ (સ્વાસ્થ્ય), વેલ્થ
(સંપત્તિ) અને હેપ્પીનેસ (સુખ) એક સેકન્ડ માં મળી જાય છે. બાળક જન્મ્યો અને વારીસ
થયો. તમને પણ નિશ્ચય થયો અને વિશ્વ નાં માલિક બન્યાં. પછી છે પુરુષાર્થ પર આધાર.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતિમ ખૂને
નાહેક દૃશ્ય જોવાં માટે ખૂબ-ખૂબ નિર્ભય, શિવ શક્તિ બનવાનું છે. સર્વશક્તિમાન્ બાપ
ની યાદ થી શક્તિ લેવાની છે.
2. પાવન બનીને, પાવન
બનાવવાની રુહાની સાચ્ચી સેવા કરવાની છે. ડબલ અહિંસક બનવાનું છે. આંધળાઓ ની લાઠી
બનીને બધાને ઘરનો રસ્તો બતાવવાનો છે.
વરદાન :-
હું અને
મારાપણા ને સમાપ્ત કરી સમાનતા કે સંપૂર્ણતા નો અનુભવ કરવાવાળા સાચાં ત્યાગી ભવ
હર સેકન્ડ, હર સંકલ્પ
માં બાબા-બાબા યાદ રહે, હું-પણું સમાપ્ત થઈ જાય, જ્યારે હું નથી તો મારું પણ નથી.
મારો સ્વભાવ, મારા સંસ્કાર, મારી નેચર, મારું કામ કે ડ્યુટી, મારું નામ, મારી શાન…
જ્યારે આ હું અને મારાપણું સમાપ્ત થઈ જાય તો આ જ સમાનતા અને સંપૂર્ણતા છે. આ હું અને
મારાપણા નો ત્યાગ જ મોટા માં મોટો સૂક્ષ્મ ત્યાગ છે. આ હું-પણા નાં અશ્વ ને યજ્ઞ
માં સ્વાહા કરો ત્યારે અંતિમ આહુતિ પડશે અને વિજય નાં નગારા વાગશે.
સ્લોગન :-
હાજી કરી
સહયોગ નો હાથ વધારો અર્થાત્ દુવાઓની માળાઓ પહેરવી.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
મન્સા દ્વારા સકાશ
ત્યારે આપી શકશો જ્યારે નિરંતર એકરસ સ્થિતિ માં સ્થિત થવાનો અભ્યાસ હશે. એનાં માટે
પહેલા વ્યર્થ સંકલ્પો ને શુદ્ધ સંકલ્પો માં પરિવર્તન કરો. પછી માયા દ્વારા આવવા વાળા
અનેક પ્રકાર નાં વિઘ્નો ને ઈશ્વરીય લગન નાં આધાર થી સમાપ્ત કરો. એક બાપ બીજા ન કોઈ
આ પાઠ દ્વારા એકાગ્રતા ની શક્તિ ને વધારો.