27-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
ખેવૈયા આવ્યાં છે તમારી નૌકા પાર લગાવવા , તમે બાપ સાથે સાચાં થઈને રહો તો નૌકા હલશે
- ડોલશે પરંતુ ડૂબી ન શકે”
પ્રશ્ન :-
બાપ ની યાદ બાળકો ને યથાર્થ ન રહેવાનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર :-
સાકાર માં આવતાં-આવતાં ભૂલી ગયા છીએ કે આપણે આત્મા નિરાકાર છીએ અને આપણાં બાપ પણ
નિરાકાર છે, સાકાર હોવાનાં કારણે સાકાર ની યાદ સહજ આવી જાય છે. દેહી-અભિમાની બની
સ્વયં ને બિંદુ સમજી બાપ ને યાદ કરવા - આમાં જ મહેનત છે.
ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ.
આમનું નામ તો શિવ નથી ને? આમનું નામ છે બ્રહ્મા અને આમનાં દ્વારા વાત કરે છે શિવ
ભગવાનુવાચ. આ તો અનેક વાર સમજાવ્યું છે કોઈ મનુષ્ય ને કે દેવતા ને અથવા સૂક્ષ્મ
વતનવાસી બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને ભગવાન નથી કહેવાતાં. જેમને કોઈ આકારી અથવા સાકારી
ચિત્ર છે તેમને ભગવાન ન કહી શકાય. ભગવાન કહેવાય જ છે બેહદ નાં બાપ ને. ભગવાન કોણ
છે, આ કોઈને પણ ખબર નથી. નેતી-નેતી કહે છે અર્થાત્ અમે નથી જાણતાં. તમારા માં પણ બહુ
જ થોડા છે જે યથાર્થ રીતે જાણે છે. આત્મા કહે છે-હે ભગવાન. હવે આત્મા તો છે બિંદુ.
તો બાપ પણ બિંદુ જ હશે. હવે બાપ બાળકોને સમજાવે છે. બાબા ની પાસે ઘણાં એવાં બાળકો
છે, જે આ પણ નથી સમજતાં કે આપણે આત્મા કેવું બિંદુ છીએ! કોઈ તો સારી રીતે સમજે છે,
બાપ ને યાદ કરે છે. બેહદ નાં બાપ છે સાચાં હીરા. હીરા ને ખૂબ સારી ડબ્બી માં રખાય
છે. કોઈ ની પાસે સારા હીરા હોય છે તો કોઈ ને દેખાડવા હોય તો સોના-ચાંદી ની ડબ્બી
માં રાખી પછી દેખાડે છે. હીરા ને ઝવેરી જ જાણે બીજા કોઈ જાણી ન શકે. ખોટો હીરો બતાવે
તો પણ કોઈને ખબર ન પડે. એવાં ઘણાં ઠગી જાય છે. તો હવે સાચાં બાપ આવ્યાં છે, પરંતુ
જુઠ્ઠા પણ એવાં-એવાં છે જે મનુષ્યો ને કાંઈ પણ ખબર નથી પડતી. ગવાય પણ છે સત્ય ની
નૌકા હલે-ડોલે પણ ડૂબે નહીં. અસત્ય ની નૌકા હલતી નથી, એને કેટલું હલાવવાની કોશિશ કરે
છે. જે અહીં આ નાવ માં બેઠેલાં છે તે પણ હલાવવાની કોશિશ કરે છે. ટ્રેટર (દગાબાજ)
ગવાય છે ને? હવે આપ બાળકો જાણો છો કે ખેવૈયા બાપ આવેલા છે. બાગવાન પણ છે. બાપે
સમજાવ્યું છે આ છે કાંટાઓ નું જંગલ. બધા પતિત છે ને? કેટલું જુઠ્ઠ છે. સાચાં બાપ ને
કોઈ વિરલા જાણે છે. અહીં વાળા પણ કોઈ પૂરું નથી જાણતાં, પૂરો પરિચય નથી, કારણકે
ગુપ્ત છે ને? ભગવાન ને યાદ તો બધા કરે છે, આ પણ જાણે છે કે એ નિરાકાર છે. પરમધામ
માં રહે છે. અમે પણ નિરાકાર આત્મા છીએ - આ નથી જાણતાં. સાકાર માં બેઠાં-બેઠાં આ ભૂલી
ગયાં છે. સાકાર માં રહેતાં-રહેતાં સાકાર જ યાદ આવી જાય છે. આપ બાળકો હવે
દેહી-અભિમાની બનો છો. ભગવાન ને કહેવાય છે-પરમપિતા પરમાત્મા. આ સમજવું તો બિલકુલ સહજ
છે. પરમપિતા અર્થાત્ પરે થી પરે રહેવાવાળા પરમ આત્મા. તમને કહેવાય છે આત્મા. તમને
પરમ નહીં કહેવાશે. તમે તો પુનર્જન્મ લો છો ને? આ વાતો કોઈ પણ નથી જાણતાં. ભગવાન ને
પણ સર્વવ્યાપી કહી દે છે. ભક્ત ભગવાન ને શોધે છે, પહાડો પર, તીર્થો પર, નદીઓ પર પણ
જાય છે. સમજે છે નદી પતિત-પાવની છે, તેમાં સ્નાન કરી અમે પાવન બની જઈશું.
ભક્તિમાર્ગ માં આ પણ કોઈને ખબર નથી પડતી કે અમને જોઈએ છે શું? ફક્ત કહી દે છે મુક્તિ
જોઈએ, મોક્ષ જોઈએ કારણકે અહીં દુઃખી હોવાનાં કારણે હેરાન છે. સતયુગ માં કોઈ મોક્ષ
અથવા મુક્તિ થોડી માંગે છે? ત્યાં ભગવાન ને કોઈ બોલાવતા નથી, અહીં દુઃખી હોવાનાં
કારણે બોલાવે છે. ભક્તિ થી કોઈનું દુઃખ હરી નથી શકાતું. ભલે કોઈ આખો દિવસ રામ-રામ
બેસીને જપે, તો પણ દુઃખ હરી નથી શકતાં. આ છે જ રાવણ રાજ્ય. દુઃખ તો ગળા સાથે જાણે
બાંધેલું છે. ગાય પણ છે દુઃખ માં સિમરણ સૌ કરે સુખ માં કરે ન કોઈ. એનો મતલબ જરુર
સુખ હતું, હવે દુઃખ છે. સુખ હતું સતયુગ માં, દુઃખ છે હમણાં કળિયુગ માં એટલે આને
કાંટાઓ નું જંગલ કહેવાય છે. પહેલો નંબર છે દેહ-અભિમાન નો કાંટો. પછી છે કામ નો કાંટો.
હમણાં બાપ સમજાવે છે - તમે આ આંખો થી જે કાંઈ જુઓ છો તે વિનાશ થવાનું છે. હવે તમારે
ચાલવાનું (જવાનું) છે શાંતિધામ. પોતાનાં ઘર ને અને રાજધાની ને યાદ કરો. ઘર ની યાદ
ની સાથે-સાથે બાપ ની યાદ પણ જરુરી છે કારણકે ઘર કોઈ પતિત-પાવન નથી. તમે પતિત-પાવન
બાપ ને કહો છો. તો બાપ ને જ યાદ કરવા પડે. એ કહે છે મામેકમ્ યાદ કરો. મને જ બોલાવો
છો ને-બાબા, આવીને પાવન બનાવો. જ્ઞાન નાં સાગર છે તો જરુર મુખ થી આવીને સમજાવવું પડે.
પ્રેરણા તો નહીં કરશે. એક તરફ શિવજયંતિ પણ મનાવે છે, બીજી તરફ પછી કહે છે નામ-રુપ
થી ન્યારા છે. નામ-રુપ થી ન્યારી ચીજ તો કોઈ હોતી નથી. પછી કહી દે છે ઠીક્કર-ભિત્તર
બધા માં છે. અનેક મત છે ને? બાપ સમજાવે છે તમને ૫ વિકારો રુપી રાવણે તુચ્છ બુદ્ધિ
બનાવી દીધાં છે એટલે દેવતાઓ ની આગળ જઈને નમસ્તે કરે છે. કોઈ તો નાસ્તિક હોય છે, કોઈ
ને પણ માનતા નથી. અહીં બાપ ની પાસે તો આવે છે જ બ્રાહ્મણ, જેમને ૫ હજાર વર્ષ પહેલાં
પણ સમજાવ્યું હતું. લખેલું પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે
તો બ્રહ્મા નાં સંતાન થયાં. પ્રજાપિતા બ્રહ્મા તો પ્રસિદ્ધ છે. જરુર
બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ પણ હશે. હવે તમે શુદ્ર ધર્મ થી નીકળી બ્રાહ્મણ ધર્મ માં આવ્યાં
છો. હકીકત માં હિન્દુ કહેવડાવવા વાળા પોતાનાં અસલી ધર્મ ને જાણતા નથી એટલે ક્યારેક
કોઈને માનશે, ક્યારેક કોઈને માનશે. અનેક ની પાસે જતા રહેશે. ક્રિશ્ચન લોકો ક્યારેય
કોઈની પાસે જશે નહીં. હમણાં તમે સિદ્ધ કરીને બતાવો છો-ભગવાન બાપ કહે છે મને યાદ કરો.
એક દિવસ સમાચાર પત્ર માં પણ આવશે કે ભગવાન કહે છે - મને યાદ કરવાથી જ તમે પતિત થી
પાવન બની જશો. જ્યારે વિનાશ નજીક હશે ત્યારે સમાચાર પત્રો દ્વારા પણ આ અવાજ કાનો પર
પડશે. સમાચાર પત્રો માં તો ક્યાં-ક્યાં થી સમાચાર આવે છે ને? હમણાં પણ નાખી (લખી)
શકો છો. ભગવાનુવાચ-પરમપિતા પરમાત્મા શિવ કહે છે-હું છું પતિત-પાવન, મને યાદ કરો તો
તમે પાવન બની જશો. આ પતિત દુનિયા નો વિનાશ સામે છે. વિનાશ જરુર થવાનો છે, આ પણ બધાને
નિશ્ચય થઈ જશે. રિહર્સલ (પૂર્વ અભ્યાસ) પણ થતું રહેશે. આપ બાળકો જાણો છો જ્યાં સુધી
રાજધાની સ્થાપન નથી થઈ ત્યાં સુધી વિનાશ નહીં થશે, અર્થક્વેક (ધરતીકંપ) વગેરે પણ
થવાનો છે ને? એક તરફ બોમ્બ્સ ફુટશે બીજી તરફ નેચરલ કેલામીટિઝ (કુદરતી આપદાઓ) પણ આવશે.
અન્ન વગેરે નહીં મળે, સ્ટીમર નહીં આવશે, ફેમન (દુકાળ) પડી જશે, ભૂખે મરતાં-મરતાં
ખતમ થઈ જશે. ભૂખ હડતાલ જે કરે છે તે પછી કાંઈ ને કાંઈ પાણી અથવા મધ (શહદ) વગેરે લેતાં
રહે છે. વજન માં હલકા થઈ જાય છે. અહીં તો બેઠાં-બેઠાં અચાનક અર્થક્વેક થશે, મરી જશે.
વિનાશ તો જરુર થવાનો છે. સાધુ-સંત વગેરે એવું નહીં કહેશે કે વિનાશ થવાનો છે એટલે
રામ-રામ કહો. મનુષ્ય તો ભગવાન ને જ નથી જાણતાં. ભગવાન તો સ્વયં જ પોતાને જાણે, બીજા
ન જાણે કોઈ. એમનો સમય છે આવવાનો. જે પછી આ વૃદ્ધ તન માં આવીને આખી સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ની નોલેજ સંભળાવે છે. આપ બાળકો જાણો છો હવે પાછાં જવાનું છે. આમાં તો
ખુશ થવું જોઈએ, આપણે શાંતિધામ જઈએ છીએ. મનુષ્ય શાંતિ જ ઈચ્છે છે પરંતુ શાંતિ કોણ આપે?
કહે છે ને - શાંતિ દેવા… હવે દેવો નાં દેવ તો એક જ ઊંચા માં ઊંચા બાપ છે. એ કહે છે
હું તમને બધાને પાવન બનાવીને લઈ જઈશ. એક ને પણ નહીં છોડીશ. ડ્રામા અનુસાર બધાને
જવાનું જ છે. ગવાયેલું છે મચ્છરો સદૃશ્ય બધા આત્માઓ જાય છે. આ પણ જાણે છે સતયુગ માં
બહુ જ થોડા મનુષ્ય હોય છે. હમણાં કળિયુગ અંત માં કેટલાં અનેક મનુષ્યો છે પછી થોડા
કેવી રીતે હશે? હમણાં છે સંગમ. તમે સતયુગ માં જવા માટે પુરુષાર્થ કરો છો. જાણો છો આ
વિનાશ થશે. મચ્છરો સદૃશ્ય આત્માઓ જશે. આખું ઝુંડ ચાલ્યું જશે. સતયુગ માં બહુ જ થોડા
રહેશે.
બાપ કહે છે કોઈ પણ દેહધારી ને યાદ ન કરો, જોવા છતાં આપણે નથી જોતાં. આપણે આત્મા છીએ,
આપણે આપણા ઘરે જઈશું. ખુશી થી જૂનું શરીર છોડી દેવાનું છે. પોતાનાં શાંતિધામ ને યાદ
કરતાં રહીશું તો અંત મતિ સો ગતિ થઈ જશે. એક બાપ ને યાદ કરવાં, આમાં જ મહેનત છે.
મહેનત વગર ઊંચ પદ થોડી મળશે? બાપ આવે જ છે તમને નર થી નારાયણ બનાવવા માટે. હવે આ
જૂની દુનિયા માં કોઈ ચેન નથી. ચેન છે જ શાંતિધામ અને સુખધામ માં. અહીં તો ઘર-ઘર માં
અશાંતિ છે, માર-પીટ છે. બાપ કહે છે હવે આ છી-છી દુનિયા ને ભૂલો. મીઠાં-મીઠાં બાળકો,
હું તમારા માટે સ્વર્ગ ની સ્થાપના કરવા આવ્યો છું, આ નર્ક માં તમે પતિત બની ગયા છો.
હવે સ્વર્ગ માં ચાલવાનું છે. હવે બાપ ને અને સ્વર્ગ ને યાદ કરો તો અંત મતિ સો ગતી
થઈ જશે. લગ્ન વગેરે માં ભલે જાઓ પરંતુ યાદ બાપ ને કરો. નોલેજ બધી બુદ્ધિ માં રહેવી
જોઈએ. ભલે ઘર માં રહો, બાળકો વગેરે ની સંભાળ કરો પરંતુ બુદ્ધિ માં યાદ રાખો-બાબા
નું ફરમાન છે મને યાદ કરો. ઘર છોડવાનું નથી. નહીં તો બાળકો ની સંભાળ કોણ કરશે? ભક્ત
લોકો ઘર માં રહે છે, ગૃહસ્થ વ્યવહાર માં રહે છે તો પણ ભક્ત કહેવાય છે, કારણકે ભક્તિ
કરે છે, ઘરબાર સંભાળે છે. વિકાર માં જાય છે તો પણ ગુરુ લોકો તેમને કહે છે શ્રીકૃષ્ણ
ને યાદ કરો તો તેમનાં જેવું બાળક આવશે. આ વાતો માં હવે આપ બાળકોએ નથી જવાનું કારણકે
તમને હવે સતયુગ માં જવાની વાતો સંભળાવાય છે, જેની સ્થાપના થઈ રહી છે. વૈકુંઠ ની
સ્થાપના કંઈ શ્રીકૃષ્ણ નથી કરતા, શ્રીકૃષ્ણ તો માલિક બન્યાં છે. બાપ પાસે થી વારસો
લીધો છે. સંગમ નાં સમયે જ ગીતા નાં ભગવાન આવે છે. ગીતા સંભળાવી બાપે અને બાળકોએ
સાંભળી. ભક્તિમાર્ગ માં પછી બાપ ની બદલે બાળક નું નામ નાખી દીધું છે. બાપ ને ભૂલી
ગયા છે ગીતા પણ ખંડન થઈ ગઈ. તે ખંડન થયેલી ગીતા વાંચવાથી શું થશે? બાપ તો રાજયોગ
શીખવાડીને ગયા, એનાં થી શ્રીકૃષ્ણ સતયુગ નાં માલિક બન્યાં. ભક્તિમાર્ગ માં
સત્યનારાયણ ની કથા સાંભળવા થી કોઈ સ્વર્ગ નાં માલિક બનશે શું? નથી કોઈ આ વિચાર થી
સાંભળતા, એનાં થી ફાયદો કાંઈ નથી મળતો. સાધુ-સંત વગેરે પોત-પોતાનાં મંત્ર આપે છે,
ફોટો આપે છે. અહીં તે કોઈ વાત નથી. બીજા સત્સંગો માં જશે તો કહેશે ફલાણા સ્વામી ની
કથા છે. કોની કથા? વેદાંત ની કથા, ગીતા ની કથા, ભાગવત ની કથા. હવે આપ બાળકો જાણો છો
આપણને ભણાવવા વાળા કોઈ દેહધારી નથી, નથી કોઈ શાસ્ત્ર વગેરે કાંઈ ભણેલાં. શિવબાબા
કોઈ શાસ્ત્ર ભણેલાં છે શું? ભણે છે મનુષ્ય. શિવબાબા કહે છે-હું ગીતા વગેરે કાંઈ
ભણેલો નથી. આ રથ જેમાં બેઠો છું, આ ભણેલાં છે, હું નથી ભણેલો. મારા માં તો આખા
સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અત નું જ્ઞાન છે. આ રોજ ગીતા વાંચતા હતાં. પોપટ ની જેમ
કંઠસ્થ કરી લેતાં હતાં, જ્યારે બાપે પ્રવેશ કર્યો તો ઝટ ગીતા છોડી દીધી કારણકે
બુદ્ધિ માં આવી ગયું આ તો શિવબાબા સંભળાવે છે.
બાપ કહે છે હું તમને સ્વર્ગ ની બાદશાહી આપું છું તો હવે જૂની દુનિયા માંથી મમત્વ
કાઢી નાખો. ફક્ત મામેકમ્ યાદ કરો. આ મહેનત કરવાની છે. સાચાં આશિક ને ઘડી-ઘડી માશૂક
ની યાદ જ આવતી રહે છે. તો હવે બાપ ની યાદ પણ એવી પાક્કી રહેવી જોઈએ. પારલૌકિક બાપ
કહે છે-બાળકો, મને યાદ કરો અને સ્વર્ગ નાં વારસા ને યાદ કરો. આમાં બીજો કાંઈ પણ
અવાજ કરવાની, ઝાંઝ વગેરે વગાડવાની કોઈ જરુર નથી. ગીત પણ કોઈ સારા-સારા આવે છે તો
વગાડાય છે, જેનો અર્થ પણ તમને સમજાવે છે. ગીત બનાવવા વાળા પોતે કાંઈ પણ નથી જાણતાં.
મીરા ભક્તણ (ભક્તાણી) હતી, તમે તો હમણાં જ્ઞાની છો. બાળકો થી જ્યારે કોઈ કામ ઠીક નથી
થતું તો બાબા કહે છે તમે તો જાણે ભક્ત છો. તો તે સમજી જાય છે કે બાબાએ અમને આવું
કેમ કહ્યું? બાપ સમજાવે છે-બાળકો, હવે બાપ ને યાદ કરો, પૈગંબર બનો, મેસેન્જર બનો,
બધાને આ જ પૈગામ (સંદેશ) આપો કે બાપ અને વારસા ને યાદ કરો તો જન્મ-જન્માંતર નાં પાપ
ભસ્મ થઈ જશે. હવે પાછાં ઘરે જવાનો સમય છે. ભગવાન એક જ નિરાકાર છે, એમને પોતાનો દેહ
નથી. બાપ જ પોતાનો પરિચય આપે છે. મનમનાભવ નો મંત્ર આપે છે. સાધુ-સંન્યાસી વગેરે એવું
ક્યારેય નહીં કહેશે કે હવે વિનાશ થવાનો છે, બાપ ને યાદ કરો. બાપ જ બ્રાહ્મણ બાળકો
ને યાદ અપાવે છે. યાદ થી હેલ્થ (તંદુરસ્તી), ભણવાથી વેલ્થ (સંપત્તિ) મળશે. તમે કાળ
પર જીત મેળવો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. દેવતાઓ એ કાળ પર વિજય
પ્રાપ્ત કરેલો છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એવાં કોઈ
કર્મ નથી કરવાનાં જે બાપ દ્વારા ભક્ત નું ટાઈટલ (શીર્ષક) મળે. પૈગંબર બની બધા ને
બાપ અને વારસો ને યાદ કરવાનો પૈગામ (સંદેશ) આપવાનો છે.
2. આ જૂની દુનિયામાં
કોઈ ચેન નથી, આ છી-છી દુનિયા છે આને ભૂલતાં જવાનું છે. ઘર ની યાદ ની સાથે-સાથે પાવન
બનવા માટે બાપ ને પણ જરુર યાદ કરવાનાં છે.
વરદાન :-
પ્રવૃત્તિ માં
રહેતાં પર - વૃત્તિ માં રહેવા વાળા નિરંતર યોગી ભવ
નિરંતર યોગી બનવાનું
સહજ સાધન છે-પ્રવૃત્તિ માં રહેતાં પર-વૃત્તિ માં રહેવું. પર-વૃત્તિ અર્થાત્ આત્મિક
રુપ. જે આત્મિક રુપ માં સ્થિર રહે છે તે સદા ન્યારા અને બાપ નાં પ્યારા બની જાય છે.
કાંઈ પણ કરશે પરંતુ આ મહસૂસ થશે જાણે કામ નથી કર્યુ પરંતુ ખેલ કર્યો છે. તો
પ્રવૃત્તિ માં રહેતાં આત્મિક રુપ માં રહેવા થી બધું ખેલ ની જેમ સહજ અનુભવ થશે. બંધન
નહીં લાગશે. ફક્ત સ્નેહ અને સહયોગ ની સાથે શક્તિ નો ઉમેરો કરો તો હાઈ જમ્પ લગાવી
લેશો.
સ્લોગન :-
બુદ્ધિ ની
મહીનતા અથવા આત્મા નું હલકાપણું જ બ્રાહ્મણ જીવન ની પર્સનાલિટી છે.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
હિંમતે શક્તિઓ, મદદે
સર્વ શક્તિમાન્. સિંહણો ક્યારેય ડરતી નથી, નિર્ભય હોય છે. આ પણ ભય નથી કે ખબર નહીં
શું થશે? સત્યતા નાં શક્તિ સ્વરુપ બનીને નશા થી બોલો, નશા થી જુઓ. અમે ઓલમાઈટી
ગવર્મેન્ટ નાં અનુચર છીએ, આ જ સ્મૃતિ થી અયથાર્થ ને યથાર્થ માં લાવવાનું છે. સત્ય
ને પ્રસિદ્ધ કરવાનું છે નહીં કે છુપાવવાનું છે પરંતુ સત્યતા ની સાથે બોલ માં મધુરતા
અને સભ્યતા આવશ્યક છે.