28-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
સંગમ પર સેવા કરીને ગાયન લાયક બનવાનું છે પછી ભવિષ્ય માં પુરુષોત્તમ બનવા થી તમે
પૂજા લાયક બની જશો”
પ્રશ્ન :-
કઈ બિમારી જડ થી સમાપ્ત થાય ત્યારે બાપ નાં દિલ પર ચઢશો?
ઉત્તર :-
૧. દેહ-અભિમાન ની બિમારી. આ જ દેહ-અભિમાન નાં કારણે બધા વિકારોએ મહારોગી બનાવ્યાં
છે. આ દેહ-અભિમાન સમાપ્ત થઈ જાય તો તમે બાપ નાં દિલ પર ચઢો. ૨. દિલ પર ચઢવું છે તો
વિશાળ બુદ્ધિ બનો, જ્ઞાન ચિતા પર બેસો. રુહાની સેવા માં લાગી જાઓ અને વાણી ચલાવવાની
સાથે-સાથે બાપ ને સારી રીતે યાદ કરો.
ગીત :-
જાગ સજનીયાં
જાગ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું - રુહાની બાપે આ સાધારણ જૂનાં તન દ્વારા મુખ થી કહ્યું.
બાબા કહે છે મારે જૂનાં તન માં જૂની રાજધાની માં આવવું પડ્યું. હમણાં આ રાવણ ની
રાજધાની છે. તન પણ પારકું છે કારણકે આ શરીર માં તો પહેલાં થી જ આત્મા છે. હું પારકા
તન માં પ્રવેશ કરું છું. પોતાનું તન હોત તો એનું નામ પડત. મારું નામ બદલાતું નથી.
મને તો પણ કહે છે શિવબાબા. ગીત તો બાળકો રોજ સાંભળે છે. નવયુગ અર્થાત્ નવી દુનિયા
સતયુગ આવ્યો. હવે કોને કહે છે જાગો? આત્માઓ ને કારણકે આત્માઓ ઘોર અંધારા માં સૂતેલા
છે. કાંઈ પણ સમજ નથી. બાપ ને જ નથી જાણતાં. હવે બાપ જગાડવા આવ્યાં છે. હમણાં તમે
બેહદ નાં બાપ ને જાણો છો. એમની પાસે થી બેહદ નું સુખ મળવાનું છે નવા યુગ માં. સતયુગ
ને નવો કહેવાય છે, કળિયુગ ને જૂનો યુગ કહેવાશે. વિદ્વાન, પંડિત વગેરે કોઈ પણ નથી
જાણતાં. કોઈને પણ પૂછો નવો યુગ પછી જૂનો કેવી રીતે થાય છે? કોઈ પણ બતાવી ન શકે.
કહેશે આ તો લાખો વર્ષ ની વાત છે. હમણાં તમે જાણો છો આપણે નવા યુગ થી પછી જૂનાં યુગ
માં કેવી રીતે આવ્યાં છીએ અર્થાત્ સ્વર્ગવાસી થી નર્કવાસી કેવી રીતે બન્યાં છીએ.
મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતા, જેમની પૂજા કરે છે તેમની બાયોગ્રાફી ને પણ નથી જાણતાં.
જેમ જગદંબા ની પૂજા કરે છે હવે તે અંબા કોણ છે, જાણતા નથી. અંબા હકીકત માં માતાઓ ને
કહેવાય છે. પૂજા તો એક ની જ થવી જોઈએ. શિવબાબા ની પણ એક જ અવ્યભિચારી યાદગાર છે.
અંબા પણ એક છે. પરંતુ જગત અંબા ને જાણતા નથી. આ છે જગત અંબા અને લક્ષ્મી છે જગત ની
મહારાણી. તમને ખબર છે કે જગત અંબા કોણ છે અને જગત મહારાણી કોણ છે? આ વાતો ક્યારેય
કોઈ જાણી ન શકે. લક્ષ્મી ને દેવી અને જગત અંબા ને બ્રાહ્મણી કહેવાશે. બ્રાહ્મણ સંગમ
પર જ હોય છે. આ સંગમયુગ ને કોઈ નથી જાણતાં. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી
પુરુષોત્તમ સૃષ્ટિ રચાય છે. પુરુષોત્તમ તમને ત્યાં દેખાશે. આ સમયે તમે બ્રાહ્મણ
ગાયન લાયક છો. સેવા કરી રહ્યાં છો પછી તમે પૂજા લાયક બનશો. બ્રહ્મા ને આટલી ભુજાઓ
આપે છે તો અંબા ને પણ કેમ નહીં આપશે? એમનાં પણ તો બધા બાળકો છે ને? મા-બાપ જ
પ્રજાપિતા બને છે. બાળકો ને પ્રજાપિતા નહીં કહેવાશે. લક્ષ્મી-નારાયણ ને ક્યારેય
સતયુગ માં જગતપિતા, જગતમાતા નહીં કહેવાશે. પ્રજાપિતા નું નામ પ્રસિદ્ધ છે. જગતપિતા
અને જગતમાતા એક જ છે. બાકી છે એમનાં બાળકો. અજમેર માં પ્રજાપિતા બ્રહ્મા નાં મંદિર
માં જશે તો કહેશે બાબા, કારણકે છે જ પ્રજાપિતા. હદ નાં પિતા બાળકો ને જન્મ આપે છે
તો તે હદ નાં પ્રજાપિતા થયાં. આ છે બેહદ નાં. શિવબાબા તો સર્વ આત્માઓ નાં બેહદ નાં
બાપ છે. આ પણ આપ બાળકોએ કોન્ટ્રાસ્ટ (તફાવત) લખવાનો છે. જગત અંબા સરસ્વતી છે એક.
નામ કેટલાં રાખી દીધાં છે - દુર્ગા, કાળી વગેરે. અંબા અને બાબા નાં તમે બધા બાળકો
છો. આ રચના છે ને? પ્રજાપિતા બ્રહ્મા ની દિકરી છે સરસ્વતી, એમને અંબા કહે છે. બાકી
છે બાળકો અને બાળકીઓ. છે બધા અડોપ્ટેડ (દત્તક). આટલાં બધા બાળકો ક્યાંથી આવી શકે
છે? આ બધા છે મુખ વંશાવલી. મુખ થી સ્ત્રી ને ક્રિયેટ (પોતાની બનાવી) કરી તો રચયિતા
થઈ ગયાં. કહે છે આ મારી છે. મેં આમનાં દ્વારા બાળકો ને જન્મ આપ્યો છે. આ બધી છે
એડોપ્શન. આ પછી છે ઈશ્વરીય મુખ દ્વારા રચના. આત્માઓ તો છે જ. એમને એડોપ્ટ નથી કરાતાં.
બાપ કહે છે આપ આત્માઓ સદૈવ મારા બાળકો છો. પછી હમણાં હું આવીને પ્રજાપિતા બ્રહ્મા
દ્વારા બાળકો ને એડોપ્ટ કરું છું. બાળકો (આત્માઓ) ને એડોપ્ટ નથી કરતાં, બાળકો અને
બાળકીઓ ને કરે છે. આ પણ ખૂબ સૂક્ષ્મ સમજવાની વાતો છે. આ વાતો ને સમજવાથી તમે આ
લક્ષ્મી-નારાયણ બનો છો. કેવી રીતે બન્યાં, આ અમે સમજાવી શકીએ છીએ. શું એવાં કર્મ
કર્યા જે આ વિશ્વ નાં માલિક બન્યાં. તમે પ્રદર્શન વગેરે માં પણ પૂછી શકો છો. તમને
ખબર છે આમણે આ સ્વર્ગ ની રાજધાની કેવી રીતે લીધી. તમારા માં પણ યથાર્થ રીતે દરેક નથી
સમજાવી શકતાં. જેમનાં માં દૈવી ગુણ હશે, આ રુહાની સેવા માં લાગેલા હશે તે સમજાવી શકે
છે. બાકી તો માયા ની બિમારી માં ફસાયેલા રહે છે. અનેક પ્રકાર નાં રોગ છે.
દેહ-અભિમાન નો પણ રોગ છે. આ વિકારોએ જ તમને રોગી બનાવ્યાં છે.
બાપ કહે છે હું તમને
પવિત્ર દેવતા બનાવું છું. તમે સર્વગુણ સંપન્ન… પવિત્ર હતાં. હવે પતિત બની ગયા છો.
બેહદ નાં બાપ એવું કહેશે. આમાં નિંદા ની વાત નથી, આ સમજાવવાની વાત છે. ભારતવાસીઓ ને
બેહદ નાં બાપ કહે છે હું અહીં ભારત માં આવું છું. ભારત ની મહિમા તો અપરંઅપાર છે. અહીં
આવીને નર્ક ને સ્વર્ગ બનાવે છે, સર્વ ને શાંતિ આપે છે. એવાં બાપ ની પણ મહિમા
અપરંઅપાર છે. પારાવાર નથી. જગત અંબા અને એમની મહિમા ને કોઈ પણ નથી જાણતાં. આમનો પણ
કોન્ટ્રાસ્ટ તમે બતાવી શકો છો. આ જગત અંબા ની બાયોગ્રાફી, આ લક્ષ્મી ની બાયોગ્રાફી.
એ જ જગત અંબા પછી લક્ષ્મી બને છે. પછી લક્ષ્મી થી ૮૪ જન્મો પછી જગત અંબા બનશે.
ચિત્ર પણ અલગ-અલગ રાખવા જોઈએ. દેખાડે છે લક્ષ્મી ને કળશ મળ્યો પરતું લક્ષ્મી પછી
સંગમ પર ક્યાંથી આવી? તે તો સતયુગ માં બની છે. આ બધી વાતો બાપ સમજાવે છે. ચિત્ર
બનાવવા માટે જે નિમિત્ત છે એમણે વિચાર સાગર મંથન કરવું જોઈએ. તો પછી સમજાવવાનું સહજ
થશે. એટલી વિશાળ બુદ્ધિ જોઈએ ત્યારે દિલ પર ચઢે. જ્યારે બાબા ને સારી રીતે યાદ કરશે,
જ્ઞાન ચિતા પર બેસશે ત્યારે દિલ પર ચઢશે. એવું નથી કે જે ખૂબ સારી વાણી ચલાવે છે,
તે દિલ પર ચઢે છે. ના, બાપ કહે છે દિલ પર અંત માં ચઢશે, નંબરવાર પુરુષાર્થ અનુસાર
જ્યારે દેહ-અભિમાન ખતમ થઈ જશે.
બાપે સમજાવ્યું છે
બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મ માં લીન થવાની મહેનત કરે છે પરંતુ એમ કોઈ લીન થઈ નથી શકતું.
બાકી મહેનત કરે છે, ઉત્તમ પદ મેળવે છે. એવાં-એવાં મહાત્મા બને છે જે એમનું
પ્લેટિનિયમ માં વજન કરે છે કારણકે બ્રહ્મ માં લીન થવાની મહેનત તો કરે છે ને? તો
મહેનત નું પણ ફળ મળે છે. બાકી મુક્તિ-જીવનમુક્તિ નથી મળી શકતી. આપ બાળકો જાણો છો હવે
આ જૂની દુનિયા ગઈ કે ગઈ. આટલાં બોમ્બ્સ બનાવ્યાં છે - રાખવા માટે થોડી બનાવ્યાં છે.
તમે જાણો છો જૂની દુનિયા નાં વિનાશ માટે આ બોમ્બ્સ કામ આવશે. અનેક પ્રકાર નાં
બોમ્બ્સ છે. બાપ જ્ઞાન અને યોગ શીખવાડે છે પછી રાજ-રાજેશ્વર ડબલ સિરતાજ દેવી-દેવતા
બનશે. કયું ઊંચું પદ છે? બ્રાહ્મણ ચોટલી છે ઉપર. ચોટલી સૌથી ઉપર છે. હમણાં આપ બાળકો
ને પતિત થી પાવન બનાવવા બાપ આવ્યાં છે. પછી તમે પણ પતિત-પાવની બનો છો - આ નશો છે?
આપણે બધાને પાવન બનાવી રાજ-રાજેશ્વર બનાવી રહ્યાં છીએ? નશો હોય તો ખૂબ ખુશી માં રહે.
પોતાનાં દિલ ને પૂછો અમે કેટલાં ને આપ સમાન બનાવીએ છીએ? પ્રજાપિતા બ્રહ્મા અને જગત
અંબા બંને એક જેવાં છે. બ્રાહ્મણો ની રચના રચે છે. શૂદ્ર થી બ્રાહ્મણ બનવાની યુક્તિ
બાપ જ બતાવે છે. આ કોઈ શાસ્ત્રો માં નથી. આ છે પણ ગીતા નો યુગ. મહાભારત લડાઈ પણ
બરોબર થઈ હતી. રાજયોગ એક ને શીખવાડ્યો હશે શું? મનુષ્યો ની બુદ્ધિ માં પછી અર્જુન
અને કૃષ્ણ જ છે. અહીં તો અનેક ભણે છે. બેઠાં પણ જુઓ કેવાં સાધારણ છો. નાનાં બાળકો
અલ્ફ-બે ભણે છે ને? તમે બેઠાં છો, તમને પણ અલ્ફ-બે ભણાવી રહ્યાં છે. અલ્ફ અને બે, આ
છે વારસો. બાપ કહે છે મને યાદ કરો તો તમે વિશ્વ નાં માલિક બનશો. કોઈ પણ આસુરી કામ
નથી કરવાનું. દૈવી ગુણ ધારણ કરવાના છે. જોવાનું છે મારા માં કોઈ અવગુણ તો નથી? મૈં
નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં... હવે નિર્ગુણ આશ્રમ પણ છે પરંતુ અર્થ કાંઈ પણ નથી.
નિર્ગુણ અર્થાત્ મારા માં કોઈ ગુણ નથી. હવે ગુણવાન બનાવવા તો બાપ નું જ કામ છે. બાપ
નાં ટાઈટલ ની ટોપી પછી પોતાનાં ઉપર રાખી દીધી છે. બાપ કેટલી વાતો સમજાવે છે.
ડાયરેક્શન (માર્ગદર્શન) પણ આપે છે. જગતઅંબા અને લક્ષ્મી નો કોન્ટ્રાસ્ટ (તફાવત)
બનાવો. બ્રહ્મા-સરસ્વતી સંગમ નાં, લક્ષ્મી-નારાયણ છે સતયુગ નાં. આ ચિત્ર છે સમજાવવા
માટે. સરસ્વતી બ્રહ્મા ની દિકરી છે. ભણે છે મનુષ્ય થી દેવતા બનવા માટે. હમણાં તમે
બ્રાહ્મણ છો. સતયુગી દેવતા પણ મનુષ્ય જ છે પરંતુ તેમને દેવતા કહે છે, મનુષ્ય કહેવાથી
તેમનું અપમાન થઈ જાય છે એટલે દેવી-દેવતા અથવા ભગવાન-ભગવતી કહી દે છે. જો રાજા-રાણી
ને ભગવાન-ભગવતી કહે તો પછી પ્રજા ને પણ કહેવું પડે, એટલે દેવી-દેવતા કહેવાય છે.
ત્રિમૂર્તિ નું ચિત્ર પણ છે. સતયુગ માં એટલાં થોડા મનુષ્ય, કળિયુગ માં આટલાં અનેક
મનુષ્ય છે. તે કેવી રીતે સમજાવે. એટલાં માટે પછી ગોળો (સૃષ્ટિ ચક્ર) પણ જરુર જોઈએ.
પ્રદર્શન માં આટલાં બધા ને બોલાવે છે. કસ્ટમ કલેક્ટર ને તો ક્યારેય કોઈએ નિમંત્રણ
નથી આપ્યું. તો આવાં-આવાં વિચાર ચલાવવા પડે, આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ.
બાપ નો તો રિગાર્ડ (આદર)
રાખવો જોઈએ. હુસેન નાં ઘોડા ને કેટલો શણગારે છે. પટકો (કમરપટ્ટો) કેટલો નાનો હોય,
ઘોડો કેટલો મોટો હોય છે. આત્મા પણ કેટલું નાનું બિન્દુ છે, તેનો શૃંગાર કેટલો બધો
છે. આ અકાળમૂર્ત નું તખ્ત છે ને? સર્વવ્યાપી ની વાત પણ ગીતા માંથી ઉઠાવી છે. બાપ કહે
છે હું આત્માઓ ને રાજયોગ શીખવાડું છું, પછી સર્વવ્યાપી કેવી રીતે હશે?
બાપ-શિક્ષક-ગુરુ સર્વવ્યાપી કેવી રીતે હશે? બાપ કહે છે હું તમારો બાપ છું પછી જ્ઞાન
સાગર છું. તમને બેહદ ની હિસ્ટ્રી-જોગ્રાફી સમજવાથી બેહદ નું રાજ્ય મળી જશે. દૈવી
ગુણ પણ ધારણ કરવા જોઈએ. માયા એકદમ નાક થી પકડી લે છે. ચલન ગંદી થઈ જાય પછી લખે છે
આવી-આવી ભૂલ થઈ ગઈ. અમે કાળું મોઢું કરી લીધું. અહીં તો પવિત્રતા શીખવાડાય છે પછી
જો કોઈ પડશે પણ, તો પછી એમાં બાપ શું કરી શકે છે? ઘર માં કોઈ બાળક ગંદુ થઈ જાય છે,
કાળું મોઢું કરી દે છે તો બાપ કહે છે તમે તો મરી જાત તો સારું થાત. બેહદ નાં બાપ ભલે
ડ્રામા ને જાણે છે તો પણ કહેશે તો ખરા ને? તમે બીજાઓ ને શિક્ષા આપીને પોતે પડો (નીચે)
છો તો હજાર ગુણા પાપ ચઢી જાય છે. કહે છે માયાએ થપ્પડ મારી દીધી. માયા એવો ઘુંસો મારે
છે જે એકદમ અક્કલ જ ગુમ કરી દે છે.
બાપ સમજાવતા રહે છે,
આંખો ખૂબ દગાબાજ છે. ક્યારેય પણ કોઈ વિકર્મ નથી કરવાનાં. તોફાન તો ખૂબ આવશે કારણકે
યુદ્ધ નાં મેદાન માં છો ને? ખબર પણ નથી પડતી કે શું થશે? માયા ઝટ થપ્પડ લગાવી દે
છે. હવે તમે કેટલાં સમજદાર બનો છો. આત્મા જ સમજદાર બને છે ને? આત્મા જ બેસમજ હતો.
હવે બાપ સમજદાર બનાવે છે. બહુજ દેહ-અભિમાન માં છે. સમજતા નથી કે આપણે આત્મા છીએ.
બાપ આપણને આત્માઓ ને ભણાવે છે. આપણે આત્મા આ કાનો દ્વારા સાંભળી રહ્યાં છીએ. હવે
બાપ કહે છે કોઈ પણ વિકાર ની વાત આ કાન દ્વારા નહીં સાંભળો. બાપ તમને વિશ્વ નાં
માલિક બનાવે છે, મંઝિલ ખૂબ ઊંચી છે. મોત જ્યારે નજીક આવશે તો પછી તમને ડર લાગશે.
મનુષ્યો ને મરતી વખતે પણ મિત્ર-સંબંધી વગેરે કહે છે ને - ભગવાન ને યાદ કરો અથવા કોઈ
પોતાનાં ગુરુ વગેરે ને યાદ કરશે. દેહધારી ને યાદ કરતા શીખવાડે છે. બાપ તો કહે છે
મામેકમ્ યાદ કરો. આ તો આપ બાળકો ની જ બુદ્ધિ માં છે. બાપ ફરમાન (આદેશ) કરે છે -
મામેકમ્ યાદ કરો. દેહધારીઓ ને યાદ નથી કરવાનાં. મા-બાપ પણ દેહધારી છે ને? હું તો
વિચિત્ર છું, વિદેહી છું, આમનાં માં બેસી તમને જ્ઞાન આપું છું. તમે હમણાં જ્ઞાન અને
યોગ શીખો છો. તમે કહો છો જ્ઞાન સાગર બાપ દ્વારા અમે જ્ઞાન શીખી રહ્યાં છીએ,
રાજ-રાજેશ્વરી બનવા માટે. જ્ઞાન-સાગર જ્ઞાન પણ શીખવાડે છે, રાજયોગ પણ શીખવાડે છે.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સમજદાર બની
માયા નાં તોફાનો થી ક્યારેય હાર નથી ખાવાની. આંખો દગો આપે છે એટલે પોતાની સંભાળ
કરવાની છે. કોઈ પણ વિકારી વાતો આ કાન થી નથી સાંભળવાની.
2. પોતાનાં દિલ ને
પૂછવાનું છે કે અમે કેટલાઓ ને આપ સમાન બનાવીએ છીએ? માસ્ટર પતિત-પાવની બની બધાને
પાવન (રાજ-રાજેશ્વર) બનાવવાની સેવા કરી રહ્યાં છીએ? અમારામાં કોઈ અવગુણ તો નથી? દૈવી
ગુણ ક્યાં સુધી ધારણ કર્યા છે?
વરદાન :-
દરેક સંકલ્પ
તથા કર્મ ને શ્રેષ્ઠ અને સફળ બનાવવા વાળા જ્ઞાન સ્વરુપ સમજદાર ભવ
જે જ્ઞાન સ્વરુપ,
સમજદાર બનીને કોઈ પણ સંકલ્પ અથવા કર્મ કરે છે, તે સફળતા મૂર્ત બને છે. આનું જ
યાદગાર ભક્તિમાર્ગ માં કાર્ય પ્રારંભ કરતી વખતે સ્વસ્તિકા કરે છે તથા ગણેશ ને નમન
કરે છે. આ સ્વસ્તિકા, સ્વ સ્થિતિ માં સ્થિત થવું અને ગણેશ નોલેજફુલ સ્થિતિ નું સૂચક
છે. તમે બાળકો જ્યારે સ્વયં નોલેજફુલ બની દરેક સંકલ્પ તથા કર્મ કરો છો તો સહજ સફળતા
નો અનુભવ થાય છે.
સ્લોગન :-
બ્રાહ્મણ-જીવન
ની વિશેષતા છે ખુશી, એટલે ખુશી નું દાન કરતા ચાલો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
જેવી રીતે કોઈપણ
સાયન્સ નાં સાધન નો યુઝ કરશે તો પહેલાં ચેક કરશે કે લાઈટ છે કે નથી. એવી રીતે જ્યારે
યોગ નો, શક્તિઓ નો, ગુણો નો પ્રયોગ કરો છો તો પહેલાં એ ચેક કરો કે મૂળ આધાર
આત્મિક-શક્તિ, પરમાત્મ-શક્તિ તથા લાઈટ (હલકી) સ્થિતિ છે? જો સ્થિતિ અને સ્વરુપ ડબલ
લાઈટ છે તો પ્રયોગ ની સફળતા બહુ જ સહજ મેળવી શકો છો.