29-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
એક - એક ને પરિસ્તાની બનાવવાના છે . તમે છો સર્વ નું કલ્યાણ કરવા વાળા , તમારું
કર્તવ્ય છે ગરીબો ને સાહૂકાર બનાવવાં”
પ્રશ્ન :-
બાપ નું કયું નામ ભલે સાધારણ છે પરંતુ કર્તવ્ય ખૂબ મહાન છે?
ઉત્તર :-
બાબા ને કહે છે બાગવાન-ખેવૈયા. આ નામ કેટલું સાધારણ છે પરંતુ ડૂબવા વાળા ને પાર લઈ
જવા, આ કેટલું મહાન કર્તવ્ય છે. જેમ તરવા વાળા તરવૈયા એક-બીજા ને હાથ માં હાથ આપી
પાર લઈ જાય છે, એમ બાપ નો હાથ મળવાથી તમે સ્વર્ગવાસી બની જાઓ છો. હમણાં તમે પણ
માસ્ટર ખેવૈયા છો. તમે દરેક ની નાવ ને પાર લગાવવા નો રસ્તો બતાવો છો.
ઓમ શાંતિ!
યાદ માં તો
બાળકો બેઠાં જ હશે. પોતાને આત્મા સમજવાનો છે, દેહ પણ છે. એવું નથી કે દેહ વગર બેઠાં
છો. પરંતુ બાપ કહે છે દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનીને બેસો. દેહી-અભિમાન છે
શુદ્ધ, દેહ-અભિમાન છે અશુદ્ધ. તમે જાણો છો દેહી-અભિમાની બનવાથી આપણે શુદ્ધ પવિત્ર
બની રહ્યાં છીએ. દેહ-અભિમાની બનવાથી અશુદ્ધ, અપવિત્ર બની ગયા હતાં. પોકારે પણ છે હે
પતિત-પાવન આવો. પાવન દુનિયા હતી. હમણાં પતિત છે ફરી થી પાવન દુનિયા જરુર બનશે.
સૃષ્ટિ નું ચક્ર ફરશે. જે આ સૃષ્ટિ ચક્ર ને જાણે છે એમને કહેવાય છે સ્વદર્શન
ચક્રધારી. તમે દરેક સ્વદર્શન ચક્રધારી છો. સ્વ આત્મા ને સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન મળ્યું
છે. જ્ઞાન કોણે આપ્યું? જરુર એ પણ સ્વદર્શન ચક્રધારી હશે. બાપ સિવાય બીજા કોઈ
મનુષ્ય શીખવાડી ન શકે. બાપ સુપ્રીમ રુહ જ બાળકો ને શીખવાડે છે. કહે છે બાળકો, તમે
દેહી-અભિમાની બનો. સતયુગ માં આ જ્ઞાન અથવા શિક્ષા આપવાની જરુર નહીં રહેશે. નથી ત્યાં
ભક્તિ. જ્ઞાન થી વારસો મળે છે. બાપ શ્રીમત આપે છે આવાં તમે શ્રેષ્ઠ બનશો. તમે જાણો
છો આપણે કબ્રસ્તાની હતાં, હવે બાપ શ્રેષ્ઠ પરિસ્તાની બનાવે છે. આ જૂની દુનિયા
કબ્રદાખલ થવાની છે. મૃત્યુલોક ને કબ્રસ્તાન જ કહેવાશે. પરિસ્તાન નવી દુનિયા ને
કહેવાય છે. ડ્રામા નાં રહસ્ય બાપ સમજાવે છે. આ આખી સૃષ્ટિ ને ભંભોર કહેવાય છે.
બાબાએ સમજાવ્યું છે -
આખી સૃષ્ટિ પર આ સમયે રાવણ નું રાજ્ય છે. દશેરા પણ મનાવે છે, કેટલાં ખુશ થાય છે.
બાપ કહે છે બધા બાળકો ને દુઃખ થી છોડાવવા મારે પણ જૂની દુનિયા માં આવવું પડે છે. એક
કથા સંભળાવે છે. કોઈએ પૂછ્યું પહેલાં તમને સુખ જોઈએ કે દુઃખ? તો બોલ્યાં સુખ જોઈએ.
સુખ માં જશો તો ત્યાં કોઈ યમદૂત વગેરે આવી નહીં શકશે. આ પણ એક કહાણી છે. બાપ કહે
છે, સુખધામ માં ક્યારેય કાળ આવતો નથી, અમરપુરી બની જાય છે. તમે મૃત્યુ પર જીત મેળવો
છો. તમે કેટલાં સર્વશક્તિમાન્ બનો છો. ત્યાં ક્યારેય એવું નહીં કહેશે કે ફલાણા મરી
ગયા, મરવાનું નામ જ નથી. એક વસ્ત્ર (શરીર) બદલી ને બીજું લીધું. સાપ પણ ખાલ બદલે છે
ને? તમે પણ જૂની ખાલ છોડી નવી ખાલ અર્થાત્ શરીર માં આવશો. ત્યાં ૫ તત્વ પણ
સતોપ્રધાન બની જાય છે. બધી ચીજો સતોપ્રધાન થઈ જાય છે. દરેક ચીજ, ફળ વગેરે ખૂબ સરસ
હોય છે. સતયુગ ને કહેવાય જ છે સ્વર્ગ. ત્યાં ખૂબ ધનવાન હતાં. એમનાં જેવાં સુખી
વિશ્વ નાં માલિક કોઈ હોય ન શકે. હમણાં તમે જાણો છો આપણે જ આ હતાં, તો કેટલી ખુશી થવી
જોઈએ. એક-એક ને પરિસ્તાની બનાવવાનાં છે, અનેક નું કલ્યાણ કરવાનું છે. તમે ખૂબ
સાહૂકાર બનો છો. તે બધા છે ગરીબ. જ્યાં સુધી તમારા હાથ માં હાથ ન મળે ત્યાં સુધી
સ્વર્ગવાસી બની ન શકે. બાપ નો હાથ તો બધાને નથી મળતો. બાપ નો હાથ મળે છે તમને. તમારો
હાથ પછી મળે છે બીજાઓ ને. બીજાઓ નો પછી મળશે બીજાઓ ને. જેમ કોઈ તરવા વાળા હોય છે તો
એક-એક ને તે પાર લઈ જાય છે. તમે પણ માસ્ટર ખેવૈયા છો. અનેક ખેવૈયા બની રહ્યાં છે.
તમારો ધંધો જ આ છે. આપણે દરેક ની નાવ પર લગાવવાનો રસ્તો બતાવીએ. ખેવૈયા નાં બાળકો
ખેવૈયા બન્યાં. નામ કેટલું હલકું છે - બાગવાન, ખેવૈયા. હવે પ્રેક્ટિકલ તમે જુઓ છો.
તમે પરિસ્તાન ની સ્થાપના કરી રહ્યાં છો. તમારા યાદગાર સામે છે. નીચે રાજયોગ ની
તપસ્યા, ઉપર રાજાઈ છે. નામ પણ દેલવાડા ખૂબ સરસ છે. બાપ બધાનું દિલ લે છે. સર્વ ની
સદ્દગતિ કરે છે. દિલ લેવાવાળા કોણ છે? આ થોડી કોઈને ખબર છે? બ્રહ્મા નાં પણ બાપ
શિવબાબા. બધા નું દિલ લેવાવાળા બેહદ નાં બાપ જ હશે. તત્વો વગેરે બધાનું કલ્યાણ કરે
છે, આ પણ બાળકો ને સમજાવ્યું છે બીજા ધર્મ વાળા નાં શાસ્ત્ર વગેરે કાયમ (સદૈવ) છે.
તમને જ્ઞાન મળે જ છે સંગમ પર, પછી વિનાશ થઈ જાય છે તો કોઈ શાસ્ત્ર નથી રહેતાં.
શાસ્ત્ર છે ભક્તિમાર્ગ ની નિશાની. આ છે જ્ઞાન. ફરક જોયો ને? ભક્તિ અથાહ છે, દેવીઓ
વગેરે ની પૂજા માં કેટલો ખર્ચો કરે છે. બાપ કહે છે આનાથી અલ્પકાળ નું સુખ છે.
જેવી-જેવી ભાવના રાખે છે તે પૂરી થાય છે. દેવીઓ ને સજાવતા-સજાવતા કોઈ ને
સાક્ષાત્કાર થયો બસ ખૂબ ખુશ થઈ જાય. ફાયદો કાંઈ પણ નથી. મીરા નું પણ નામ ગવાયેલું
છે. ભક્તમાળા છે ને? સ્ત્રી માં મીરા, પુરુષ માં નારદ શિરોમણી ભગત માનેલા છે. આપ
બાળકો માં પણ નંબરવાર છે. માળા નાં દાણા તો અનેક છે. ઉપર બાબા છે ફૂલ, પછી યુગલ મેરુ.
ફૂલ ને બધા નમસ્તે કરે છે. એક-એક દાણા ને નમસ્તે કરે છે. રુદ્ર યજ્ઞ રચે છે તો તેમાં
પણ વધારે પૂજા શિવ ની કરે છે. સાલિગ્રામો ની એટલી નથી કરતાં. બધા વિચાર શિવ ની તરફ
રહે છે કારણકે શિવબાબા દ્વારા જ સાલિગ્રામ આવાં પાવન બને છે, જેમ હમણાં તમે પાવન બની
રહ્યાં છો. પતિત-પાવન બાપ નાં બાળકો તમે પણ માસ્ટર પતિત-પાવન છો. જો કોઈને રસ્તો નથી
બતાવતા તો પાઈ-પૈસા નું પદ મળી જશે. છતાં પણ બાપ ને તો મળ્યાં ને? એ પણ ઓછું થોડી
છે? સર્વ નાં ફાધર (પિતા) એક છે. શ્રીકૃષ્ણ માટે થોડી કહેશે? શ્રીકૃષ્ણ કોનાં ફાધર
બનશે? શ્રીકૃષ્ણ ને ફાધર નહીં કહેવાશે. બાળક ને ફાધર થોડી કહી શકાય? ફાધર ત્યારે
કહેવાય જ્યારે યુગલ બને, બાળકો જન્મે. પછી તે બાળક ફાધર કહેશે. બીજું કોઈ કહી ન શકે.
બાકી તો કોઈ પણ વૃદ્ધ ને બાપુજી કહી દે છે. આ (શિવબાબા) તો સર્વ નાં બાપ છે. ગાય પણ
છે બ્રધરહુડ (બંધુત્વ). ઈશ્વર ને સર્વવ્યાપી કહેવાથી ફાધરહુડ (પિતૃત્વ) થઈ જાય છે.
આપ બાળકોએ મોટી-મોટી
સભાઓ માં સમજાવવું પડશે. હંમેશા ક્યાંય પણ ભાષણ પર જાઓ તો જે ટોપિક (વિષય) પર ભાષણ
કરવાનું છે તેનાં પર વિચાર સાગર મંથન કરી લખવું જોઈએ. બાપ ને તો વિચાર સાગર મંથન નથી
કરવાનું. કલ્પ પહેલાં જે સંભળાવ્યું હતું એ સંભળાવીને જશે. તમારે તો ટોપિક પર
સમજાવવાનું છે. પહેલાં લખીને પછી વાંચવું જોઈએ. ભાષણ કર્યા પછી સ્મૃતિ માં આવે છે -
આ-આ પોઈન્ટ્સ (મુદ્દા) નથી બતાવ્યાં. આ સમજાવ્યું હોત તો સારું હતું. એવું થાય છે,
કોઈ ન કોઈ પોઈન્ટ્સ ભૂલી જવાય છે. પહેલાં-પહેલાં તો બોલવું જોઈએ - ભાઈઓ-બહેનો,
આત્મ-અભિમાની બનીને બેસો. આ તો ક્યારેય ભૂલવું ન જોઈએ. આવાં કોઈ સમાચાર લખતા નથી.
પહેલાં-પહેલાં બધાને કહેવાનું છે - આત્મ-અભિમાની બનીને બેસો. તમે આત્મા અવિનાશી છો.
હમણાં બાપ આવીને જ્ઞાન આપી રહ્યાં છે. બાપ કહે છે મને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે.
કોઈ પણ દેહધારી ને યાદ ન કરો. સ્વયં ને આત્મા સમજો, આપણે ત્યાં નાં રહેવા વાળા છીએ.
આપણા બાબા કલ્યાણકારી શિવ છે, આપણે આત્માઓ એમનાં બાળકો છીએ. બાપ કહે છે આત્મ-અભિમાની
બનો. હું આત્મા છું. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થશે. ગંગાસ્નાન વગેરે થી વિકર્મ
વિનાશ નહીં થશે. બાપ નું ડાયરેક્શન (સલાહ) છે તમે મને યાદ કરો. તે લોકો ગીતા વાંચે
છે યદા યદાહિ ધર્મસ્ય… કહે છે પરંતુ અર્થ કાંઈ નથી જાણતાં. તો બાબા સર્વિસ (સેવા)
ની સલાહ આપે છે - શિવબાબા કહે છે સ્વયં ને આત્મા સમજી શિવબાબા ને યાદ કરો. તેઓ સમજે
છે શ્રીકૃષ્ણએ કહ્યું, તમે કહેશો શિવબાબા આપણને બાળકો ને કહે છે મને યાદ કરો. જેટલું
મને યાદ કરશો એટલાં સતોપ્રધાન બની ઊંચું પદ મેળવશો. મુખ્ય ઉદ્દેશ પણ સામે છે.
પુરુષાર્થ થી ઊંચું પદ મેળવવાનું છે. તે તરફ વાળા પોતાનાં ધર્મ માં ઊંચું પદ મેળવશે,
આપણે બીજા નાં ધર્મ માં જતા નથી. તે તો આવે જ છે અંત માં. તેઓ પણ જાણે છે અમારી
પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. ભારત સૌથી પ્રાચીન છે. પરંતુ ક્યારે હતું, તે કોઈ
નથી જાણતું. તેમને તો ભગવાન-ભગવતી પણ કહે છે, પરંતુ બાપ કહે છે ભગવાન-ભગવતી ન કહી
શકાય. ભગવાન તો એક જ હું છું. આપણે બ્રાહ્મણ છીએ. બાપ ને તો બ્રાહ્મણ નહીં કહેવાશે.
એ છે ઊંચા માં ઊંચા ભગવાન, એમનાં શરીર નું નામ નથી. તમારા બધા શરીર નાં નામ પડે છે.
આત્મા તો આત્મા જ છે. એ પણ પરમ આત્મા છે. એ આત્મા નું નામ શિવ છે, એ છે નિરાકાર. નથી
સૂક્ષ્મ, નથી સ્થૂળ શરીર. એવું નથી કે એમનો આકાર નથી. જેમનું નામ છે, આકાર પણ જરુર
છે. નામ-રુપ વગર કોઈ ચીજ નથી. પરમાત્મા બાપ ને નામ-રુપ થી ન્યારા કહેવા, કેટલું મોટું
અજ્ઞાન છે! બાપ પણ નામ-રુપ થી ન્યારા, બાળકો પણ નામ-રુપ થી ન્યારા પછી તો કોઈ સૃષ્ટિ
જ ન હોય. તમે હવે સારી રીતે સમજાવી શકો છો. ગુરુ લોકો અંત માં સમજશે. હમણાં તેમની
બાદશાહી છે.
તમે હવે ડબલ અહિંસક
બનો છો. અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ ડબલ અહિંસક ગવાયેલું છે. કોઈને હાથ લગાવવો,
દુઃખ આપવું તે પણ હિંસા થઈ ગઈ. બાપ રોજ-રોજ સમજાવે છે - મન્સા-વાચા-કર્મણા કોઈને
દુઃખ નથી આપવાનું. મન્સા માં આવશે જરુર. સતયુગ માં મન્સા માં પણ નથી આવતું. અહીં તો
મન્સા-વાચા-કર્મણા આવે છે. આ શબ્દ તમે ત્યાં સાંભળશો પણ નહીં. નથી ત્યાં કોઈ સત્સંગો
વગેરે હોતાં. સત્સંગ થાય જ છે સત્ દ્વારા, સત્ બનવા માટે. સત્ય એક જ બાપ છે. બાપ
બેસી નર થી નારાયણ બનવાની કથા સંભળાવે છે, જેનાથી તમે નારાયણ બની જાઓ છો. પછી
ભક્તિમાર્ગ માં સત્યનારાયણ ની કથા ખૂબ પ્રેમ થી સાંભળે છે. તમારું યાદગાર દેલવાડા
મંદિર જુઓ કેવું સરસ છે. જરુર સંગમયુગ પર દિલ લીધું હશે. આદિદેવ અને દેવી, બાળકો
બેઠાં છે. આ છે સાચ્ચું યાદગાર. તેમની હિસ્ટ્રી-જોગ્રોફી કોઈ નથી જાણતું તમારા
સિવાય. તમારું જ યાદગાર છે. આ પણ વન્ડર (અદ્દભુત) છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં
જશો તો તમે કહેશો આ અમે બની રહ્યાં છીએ. ક્રાઈસ્ટ પણ અહીં છે. ઘણાં કહે છે ક્રાઈસ્ટ
બેગર (ગરીબ) રુપ માં છે. તમોપ્રધાન અર્થાત્ બેગર થયા ને? પુનર્જન્મ તો જરુર લેશે
ને? શ્રીકૃષ્ણ પ્રિન્સ તે હમણાં બેગર (ગરીબ) છે. ગોરા અને શ્યામ. તમે પણ જાણો છો -
ભારત શું હતું, હમણાં શું છે? બાપ તો છે જ ગરીબ નિવાઝ. મનુષ્ય દાન-પુણ્ય પણ ગરીબો
ને કરે છે ઈશ્વર અર્થ. અનેક ને અનાજ નથી મળતું. આગળ ચાલીને તમે જોશો મોટાં-મોટાં
સાહૂકારો ને પણ અનાજ નહીં મળશે. ગામડા-ગામડા માં પણ સાહૂકાર રહે છે ને, જેમને પછી
ડાકુ લોકો લૂંટી જાય છે. પદ માં ફરક તો રહે છે ને? બાપ કહે છે પુરુષાર્થ એવો કરો જે
નંબરવન માં જાઓ. શિક્ષક નું કામ છે સાવધાન કરવાનું. પાસ વિથ ઓનર બનવાનું છે. આ બેહદ
ની પાઠશાળા છે. આ છે જ રાજાઈ સ્થાપન કરવા માટે રાજયોગ. છતાં પણ જૂની દુનિયાનો વિનાશ
થવાનો છે. નહીં તો રાજાઈ ક્યાં કરશો? આ તો છે જ પતિત ધરણી.
મનુષ્ય કહે છે ગંગા
પતિત-પાવની છે. બાપ કહે છે આ સમયે ૫ તત્વ બધા તમોપ્રધાન પતિત છે. બધું ગંદકી, કચરો
વગેરે ત્યાં જઈને પડે છે. માછલીઓ વગેરે પણ તેમાં રહે છે. પાણી ની પણ એક જાણે દુનિયા
છે. પાણી માં જીવ કેટલાં રહે છે. મોટાં-મોટાં સાગર માંથી પણ કેટલું ભોજન મળે છે. તે
ગામ થઈ ગયું ને? ગામ ને પછી પતિત-પાવન કેવી રીતે કહેવાશે. બાપ સમજાવે છે -
મીઠાં-મીઠાં બાળકો, પતિત-પાવન એક બાપ છે. તમારો આત્મા અને શરીર પતિત બની ગયા છે, હવે
મને યાદ કરો તો પાવન બની જશો. તમે વિશ્વ નાં માલિક, સુંદર બની જાઓ છો. ત્યાં બીજો
કોઈ ખંડ હોતો નથી. ભારત નો જ ઓલરાઉન્ડ પાર્ટ (સર્વાંગી ભૂમિકા) છે. તમે બધા
ઓલરાઉન્ડર છો. નાટક માં એક્ટર તો નંબરવાર આવે-જાય છે. આ પણ એવું છે. બાબા કહે છે તમે
સમજો આપણને ભગવાન ભણાવે છે. આપણે પતિત-પાવન ગોડ ફાધરલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી)
છીએ, આમાં બધું આવી ગયું. પતિત-પાવન પણ થઈ ગયાં, ગુરુ, શિક્ષક પણ થઈ ગયાં. ફાધર (પિતા)
પણ થઈ ગયાં. એ પણ નિરાકાર છે. આ છે ઇનકારપોરિયલ ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી (નિરાકારી
ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય). કેટલું સરસ નામ છે. ઈશ્વર ની કેટલી મહિમા કરે છે. જ્યારે
બિંદુ સાંભળે છે તો વન્ડર (અદ્દભુત) લાગે છે. ઈશ્વર ની મહિમા એટલી કરે છે, અને ચીજ
શું છે! બિંદુ. એમનાં માં પાર્ટ કેટલો ભરેલો છે. હવે બાપ કહે છે દેહ હોવા છતાં,
ગૃહસ્થ વ્યવહાર માં રહેવા છતાં મામેકમ્ યાદ કરો. ભક્તિમાર્ગ માં જે નૌધા ભક્તિ કરે
છે, તેમને કહેવાય છે - સતોપ્રધાન નૌધા ભક્તિ. કેટલી પાક્કી ભક્તિ હોય છે. હવે પછી
તેજ રફતાર (તીવ્ર ગતિ) જોઈએ - યાદ ની. તેજ યાદ કરવા વાળા નું જ ઊંચ નામ થશે. વિજય
માળા નાં દાણા બનશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. નર થી
નારાયણ બનવા માટે રોજ સત્ય બાપ પાસે થી સાંભળવાનું છે. સત્-સંગ કરવાનો છે. ક્યારેય
મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું.
2. વિજય માળા નાં દાણા
બનવા કે પાસ વિથ ઓનર થવા માટે યાદ ની રફતાર તેજ કરવાની છે. માસ્ટર પતિત-પાવન બની
સર્વ ને પાવન બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
પરમાત્મ - યાદ
નાં ખોળા માં સમાવવા વાળા સંગમયુગી શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા ભવ
સંગમયુગ સતયુગી
સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે કારણકે હમણાં નું ગાયન છે અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ
બ્રાહ્મણો નાં સંસાર માં. એક બાપ મળ્યાં તો બધું જ મળ્યું. હમણાં આપ બાળકો ક્યારેક
અતીન્દ્રિય સુખ નાં ઝૂલા માં ઝૂલો છો, ક્યારેક ખુશી, ક્યારેક શાંતિ, ક્યારેક જ્ઞાન,
ક્યારેક આનંદ અને ક્યારેક પરમાત્મ-ખોળા નાં ઝૂલા માં ઝૂલો છો. પરમાત્મ-ખોળો છે -
યાદ ની લવલીન અવસ્થા. આ ખોળો સેકન્ડ માં અનેક જન્મો નાં દુઃખ-દર્દ ભુલાવી દે છે. તો
આ શ્રેષ્ઠ સંસ્કાર ને સદા સ્મૃતિ માં રાખી ભાગ્યવાન આત્મા બનો.
સ્લોગન :-
એવાં સપૂત બનો
જે બાપ તમારા ગીત ગાય અને તમે બાબા નાં ગીત ગાઓ.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો
પહેલાં સ્વયં પર યોગ
નો પ્રયોગ કરીને જુઓ. દરેક મહિના અથવા દરેક ૧૫ દિવસ માટે કોઈ ન કોઈ વિશેષ ગુણ કે
કોઈ ન કોઈ વિશેષ શક્તિ નો સ્વ પ્રત્યે પ્રયોગ કરીને જુઓ કારણકે સંગઠન માં તથા
સંબંધ-સંપર્ક માં પેપર તો આવે જ છે, તો પહેલાં પોતાનાં ઉપર પ્રયોગ કરીને ચેક કરો,
કોઈ પણ પેપર આવ્યું તો કયા ગુણ અથવા શક્તિ નો પ્રયોગ કરવાથી કેટલાં સમય માં સફળતા
મળી? જ્યારે સ્વ પ્રત્યે સફળ થશો ત્યારે બીજાઓ પ્રત્યે પણ પ્રયોગ કરવાનો
ઉમંગ-ઉત્સાહ સ્વતઃ જ વધતો જશે.