29-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
ઘરે જવાનું છે એટલે દેહ સહિત દેહ નાં બધા સંબંધો ને ભૂલી મામેકમ્ યાદ કરો અને પાવન
બનો”
પ્રશ્ન :-
આત્મા નાં સંબંધ માં કઈ એક સૂક્ષ્મ વાત સૂક્ષ્મ બુદ્ધિવાળા જ સમજી શકે છે?
ઉત્તર :-
આત્મા પર સોય ની જેમ ધીરે-ધીરે જંક (કાટ) ચઢતો ગયો છે. તે યાદ માં રહેવાથી ઉતરતો જશે.
જ્યારે જંક ઉતરે અર્થાત્ આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બને ત્યારે બાપ ની ખેંચ થાય
અને તે બાપ ની સાથે પાછો જઈ શકે. ૨. જેટલો જંક ઉતરતો જશે એટલું બીજાઓ ને સમજાવવામાં
ખેંચશે. આ વાતો ખૂબ સૂક્ષ્મ છે, જે મોટી બુદ્ધિ વાળા સમજી નથી શકતાં.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ. હવે
બુદ્ધિ માં કોણ આવ્યું? તે જે ગીતા પાઠશાળાઓ વગેરે છે તેમને તો ભગવાનુવાચ કહેવાથી
શ્રીકૃષ્ણ જ બુદ્ધિ માં આવશે. અહીં આપ બાળકો ને તો ઊંચા માં ઊંચા બાપ યાદ આવશે. આ
સમયે આ છે સંગમયુગ, પુરુષોત્તમ બનવાનો. બાપ બાળકો ને બેસીને સમજાવે છે કે દેહ સહિત
દેહ નાં બધા સંબંધ તોડી પોતાને આત્મા સમજો. આ ખૂબ જરુરી વાત છે, જે આ સંગમયુગ પર
બાપ સમજાવે છે. આત્મા જ પતિત બન્યો છે. પછી આત્માએ પાવન બની ઘરે જવાનું છે.
પતિત-પાવન ને યાદ કરતા આવ્યાં છે, પરંતુ જાણતા કાંઈ નથી. ભારતવાસી બિલકુલ જ ઘોર
અંધારા માં છે. ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. રાત્રે અંધારુ, દિવસ માં અજવાળું હોય
છે. દિવસ છે સતયુગ, રાત છે કળિયુગ. હમણાં તમે કળિયુગ માં છો, સતયુગ માં જવાનું છે.
પાવન દુનિયા માં પતિત નો સવાલ જ નથી. જ્યારે પતિત બને છે તો પાવન બનવાનો સવાલ ઉઠે
છે. જ્યારે પાવન છે તો પતિત દુનિયા યાદ પણ નથી. હમણાં પતિત દુનિયા છે તો પાવન દુનિયા
યાદ આવે છે. પતિત દુનિયા અંત નો ભાગ છે, પાવન દુનિયા છે પહેલો ભાગ. ત્યાં કોઈ પતિત
હોય ન શકે. જે પાવન હતાં પછી પતિત બન્યાં છે. ૮૪ જન્મ પણ તેમનાં સમજાવાય છે. આ ખૂબ
ગુહ્ય વાતો સમજવાની છે. અડધોકલ્પ ભક્તિ કરી છે, તે એટલી જલ્દી છૂટી ન શકે. મનુષ્ય
બિલકુલ જ ઘોર અંધકાર માં છે, કરોડો માં કોઈ જ નીકળે છે, મુશ્કેલ કોઈ ની બુદ્ધિ માં
બેસશે. મુખ્ય વાત તો બાપ કહે છે દેહ નાં બધા સંબંધ ભૂલી મામેકમ્ યાદ કરો. આત્મા જ
પતિત બન્યો છે, તેને પવિત્ર બનવાનું છે. આ સમજણ પણ બાપ જ આપે છે કારણકે આ બાપ
આચાર્ય, સોની, ડોક્ટર, બેરિસ્ટર (વકીલ) બધું જ છે. આ નામ ત્યાં રહેશે નહીં. ત્યાં આ
ભણતર પણ નહીં રહેશે. અહીં ભણે છે નોકરી કરવા માટે. પહેલાં સ્ત્રી આટલું ભણતી નહોતી.
આ બધું પછી શીખી છે. પતિ મરી જાય તો સંભાળ કોણ કરે? એટલે સ્ત્રી પણ બધું શીખતી રહે
છે. સતયુગ માં તો આવી વાતો હોતી નથી જે ચિંતન કરવું પડે. અહીં મનુષ્ય ધન વગેરે ભેગું
કરે છે, એવાં સમય માટે. ત્યાં તો એવાં વિચાર જ નથી જે ચિંતા કરવી પડે. બાપ આપ બાળકો
ને કેટલાં ધનવાન બનાવી દે છે. સ્વર્ગમાં તો ખૂબ ખજાના રહે છે. હીરા-ઝવેરાતો ની ખાણો
બધી ભરપૂર થઈ જાય છે. અહીં ઉજ્જડ જમીન થઈ જાય છે તો તે તાકાત નથી હોતી. ત્યાં નાં
ફૂલો અને અહીં નાં ફૂલો વગેરે માં રાત-દિવસ નો ફરક છે. અહીં તો બધી ચીજો માંથી
તાકાત જ નીકળી ગઈ છે. ભલે કેટલું પણ અમેરિકા વગેરે માંથી બીજ લઈ આવે છે પરંતુ તાકાત
નીકળતી જાય છે. ધરણી (ધરતી) જ એવી છે, જેમાં વધારે મહેનત કરવી પડે છે. ત્યાં તો
દરેક ચીજ સતોપ્રધાન હોય છે. પ્રકૃતિ પણ સતોપ્રધાન તો બધું સતોપ્રધાન હોય છે. અહીં
તો બધી ચીજો તમોપ્રધાન છે. કોઈ ચીજ માં તાકાત નથી રહી. આ ફરક પણ તમે સમજો છો. જ્યારે
સતોપ્રધાન ચીજો જુઓ છો, તે તો ધ્યાન માં જ જુઓ છો. ત્યાં નાં ફૂલ વગેરે કેટલાં સારા
હોય છે! થઇ શકે છે - ત્યાં નું અનાજ વગેરે બધું તમને દેખાય. બુદ્ધિ થી સમજી શકો છો.
ત્યાં ની દરેક ચીજ માં કેટલી તાકાત રહે છે. નવી દુનિયા કોઈની બુદ્ધિ માં આવતી જ નથી.
આ જૂની દુનિયા ની તો વાત ન પૂછો. ગપ્પા પણ ખૂબ લાંબા-લાંબા લગાવે છે તો મનુષ્ય
બિલકુલ અંધકાર માં સૂઈ ગયા છે. તમે બતાવો છો બાકી થોડો સમય છે તો તમારા પર કોઈ હસે
પણ છે. હકીકત માં તો તે સમજે છે, જે પોતાને બ્રાહ્મણ સમજે છે. આ નવી ભાષા, રુહાની
ભણતર છે ને? જ્યાં સુધી સ્પ્રિચ્યુઅલ ફાધર (આધ્યાત્મિક પિતા) ન આવે, કોઈ સમજી ન શકે.
સ્પ્રિચ્યુઅલ ફાધર ને આપ બાળકો જાણો છો. તે લોકો જઈને યોગ વગેરે શીખવાડે છે, પરંતુ
તેમને શીખવાડ્યું કોણે? એવું તો નહીં કહેવાશે સ્પ્રિચ્યુઅલ ફાધરે શીખવાડ્યું. બાપ
તો શીખવાડે જ રુહાની બાળકો ને છે. તમે સંગમયુગી બ્રાહ્મણ જ સમજો છો. બ્રાહ્મણ બનશે
પણ તે જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હશે. બ્રાહ્મણ તમે કેટલાં થોડા છો. દુનિયા
માં તો ભિન્ન-ભિન્ન અથાહ જાતિઓ છે. એક પુસ્તક જરુર હશે જેનાથી ખબર પડશે કે દુનિયા
માં કેટલાં ધર્મ, કેટલી ભાષાઓ છે? તમે જાણો છો આ બધું નહીં રહેશે. સતયુગ માં તો એક
ધર્મ, એક ભાષા જ હતી. સૃષ્ટિ ચક્ર ને તમે જાણ્યું છે. તો ભાષાઓ ને પણ જાણી શકો છો
કે આ બધું રહેશે નહીં. આટલાં બધા શાંતિધામ ચાલ્યાં જશે. આ સૃષ્ટિ નું જ્ઞાન હમણાં
આપ બાળકો ને મળ્યું છે. તમે મનુષ્યો ને સમજાવો છો છતાં પણ સમજે થોડી છે? કોઈ મોટા
વ્યક્તિઓ દ્વારા ઉદ્દઘાટન પણ એટલે કરાવે છે કારણકે પ્રખ્યાત છે. અવાજ ફેલાશે વાહ!
પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ), પ્રાઇમ મિનિસ્ટરે (પ્રધાનમંત્રી) ઓપનિંગ કર્યું. આ બાબા
જાય તો મનુષ્ય થોડી સમજશે પરમપિતા પરમાત્માએ ઓપનિંગ કર્યુ, માનશે નહીં. કોઈ મોટા
વ્યક્તિ કમિશનર વગેરે આવશે તો તેમની પાછળ વધારે જ ભાગશે. આમની પાછળ તો કોઈ નહીં
ભાગશે. હમણાં આપ બ્રાહ્મણ બાળકો તો ખૂબ થોડા છો. જ્યારે મેજોરીટી (મોટી સંખ્યા) થશે
ત્યારે સમજશે. હમણાં જો સમજી જાય તો બાપ ની પાસે ભાગે. એકે બાળકી ને કહ્યું હતું કે
જેમણે તમને આ શીખવાડ્યું અમે ડાયરેક્ટ કેમ નહીં એમની પાસે જઈએ? પરંતુ સોય પર કાટ
લાગેલો છે તો ચુંબક ની કશિશ (આકર્ષણ) કેવી રીતે થાય? કાટ જ્યારે પૂરો નીકળે ત્યારે
ચુંબક ને પકડી શકે. સોય નાં એક ખૂણા ને પણ કાટ ચઢેલો હશે તો એટલું ખેંચશે નહીં. બધો
કાટ ઉતરી જાય એ તો અંત માં જ્યારે એવાં બનશે ત્યારે તો બાપ ની સાથે પાછા જશે. હમણાં
તો ફુરના (ફિકર) છે કે અમે તમોપ્રધાન છીએ, કાટ ચઢેલો છે. જેટલાં યાદ કરશો એટલો કાટ
સાફ થતો જશે. ધીમે-ધીમે કાટ નીકળતો જશે. કાટ ચઢ્યો પણ ધીમે-ધીમે છે ને, પછી ઉતરશે
પણ એવી રીતે. જેમ કાટ ચઢ્યો છે તેમ સાફ થવાનો છે તો તેનાં માટે બાપ ને યાદ પણ કરવાના
છે. યાદ થી કોઈનો વધારે કાટ ઉતર્યો છે, કોઈનો ઓછો. જેટલો વધારે કાટ ઉતર્યો હશે એટલાં
તે બીજાઓ ને સમજાવવા માં ખેંચશે. આ ખૂબ સૂક્ષ્મ વાતો છે. મોટી બુદ્ધિ વાળા સમજી ન
શકે. તમે જાણો છો રાજાઈ સ્થાપન થઈ રહી છે. સમજાવવા માટે પણ દિવસે-દિવસે યુક્તિઓ
નીકળતી રહે છે. પહેલાં થોડી ખબર હતી કે પ્રદર્શનો, મ્યુઝિયમ વગેરે બનાવીશું? આગળ
જઈને બની શકે બીજું કાંઈ નીકળે. હજી સમય તો પડ્યો છે, સ્થાપના થવાની છે. હાર્ટફેલ (હતાશ)
પણ નથી થવાનું. કર્મેન્દ્રિયો ને વશ નથી કરી શકતાં તો પડી જાય છે. વિકાર માં ગયા તો
પછી સોય પર ખૂબ કાટ લાગી જશે. વિકાર થી વધારે કાટ ચઢતો જાય છે. સતયુગ-ત્રેતા માં
બિલકુલ થોડો, પછી અડધાકલ્પ માં જલ્દી-જલ્દી કાટ ચઢે છે. નીચે પડે છે એટલે નિર્વિકારી
અને વિકારી ગવાય છે. નિર્વિકારી દેવતાઓ ની નિશાની છે ને? બાપ કહે છે દેવી-દેવતા
ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. નિશાનીઓ તો છે ને? સૌથી સારી નિશાની આ ચિત્ર છે. તમે આ
લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ઉઠાવી પરિક્રમા કરી શકો છો કારણકે તમે આ બનો છો ને? રાવણ
રાજ્ય નો વિનાશ, રામ રાજ્ય ની સ્થાપના થાય છે. એ રામ રાજ્ય, આ રાવણ રાજ્ય, આ છે
સંગમ. અનેકાનેક પોઈન્ટ્સ છે. ડોક્ટર લોકો ની બુદ્ધિ માં કેટલી દવાઓ યાદ રહે છે.
બેરિસ્ટર ની બુદ્ધિ માં પણ અનેક પ્રકાર નાં પોઈન્ટ્સ છે. અસંખ્ય ટોપિક્સ (વિષય) નું
તો ખૂબ સારું પુસ્તક બની શકે છે. પછી જ્યારે ભાષણ પર જાઓ તો પોઈન્ટ્સ નજર થી કાઢો.
શુરુડ બુદ્ધિવાળા ઝટ જોઈ લેશે. પહેલાં તો લખવું જોઈએ અમે આવું-આવું સમજાવીશું. ભાષણ
કર્યા પછી પણ યાદ આવે છે ને? આવું સમજાવ્યું હોત તો સારું થાત. આ પોઈન્ટ બીજાઓ ને
સમજાવવા થી બુદ્ધિ માં બેસશે. ટોપિક્સ નું લિસ્ટ બનેલું હોય. પછી એક ટોપિક ઉઠાવી
અંદર માં ભાષણ કરવું જોઈએ કે લખવું જોઈએ. પછી જોવું જોઈએ બધા પોઈન્ટ્સ લખ્યાં છે?
જેટલું માથું મારશો (વિચારશો) એટલું સારું છે. બાપ તો સમજે છે ને આ સારા સર્જન છે,
આમની બુદ્ધિ માં ખૂબ પોઈન્ટ્સ છે. ભરપૂર થઈ જશો તો સર્વિસ વગર મજા નહીં આવશે.
તમે પ્રદર્શન કરો છો
તો ક્યાંક થી ૨-૪, ક્યાંક થી ૬-૮ નીકળે છે. ક્યાંક તો એક પણ નથી નીકળતાં. હજારોએ
જોયું, નીકળ્યાં કેટલાં થોડા એટલે હવે મોટાં-મોટાં ચિત્ર પણ બનાવતા રહે છે. તમે
હોંશિયાર થતા જાઓ છો. મોટાં-મોટાં વ્યક્તિઓ ની શું હાલત છે, તે પણ તમે જુઓ છો.
બાબાએ સમજાવ્યું છે તપાસ કરવાની છે કોને આ નોલેજ આપવી જોઈએ.? રગ (નસ) જોવી જોઈએ જે
મારા ભક્ત હોય. ગીતા વાળાઓ ને મુખ્ય વાત એક જ સમજાવો - ભગવાન ઊંચા માં ઊંચા ને જ
કહેવાય છે. એ છે નિરાકાર. કોઈપણ દેહધારી મનુષ્યો ને ભગવાન ન કહી શકાય. આપ બાળકો ને
હવે બધી સમજ આવી છે. સંન્યાસી પણ ઘર નો સંન્યાસ કરીને ભાગે છે. કોઈ બ્રહ્મચારી જ
ચાલ્યાં જાય છે. પછી બીજા જન્મ માં પણ એવું થાય છે. જન્મ તો જરુર માતા નાં ગર્ભ થી
જ લે છે. જ્યાં સુધી લગ્ન નથી કર્યા તો બંધનમુક્ત છે, એટલાં કોઈ સંબંધી વગેરે યાદ
નહીં આવશે. લગ્ન કર્યા તો પછી સંબંધ યાદ આવશે. સમય લાગે છે, જલ્દી બંધનમુક્ત નથી થતાં.
પોતાની જીવન કહાણી ની ખબર તો બધાને રહે છે. સંન્યાસી સમજતા હશે પહેલાં અમે ગૃહસ્થી
હતાં પછી સંન્યાસ કર્યો. તમારો છે ઊંચો સંન્યાસ એટલે મહેનત થાય છે. તે સંન્યાસી
ભભૂત લગાવે, વાળ ઉતારે, વેષ બદલે. તમારે તો એવું કરવાની જરુર નથી. અહીંયા તો ડ્રેસ
બદલવાની પણ વાત નથી. તમે સફેદ સાડી ન પહેરો તો પણ વાંધો નથી. આ તો બુદ્ધિ નું જ્ઞાન
છે. આપણે આત્મા છીએ બાપ ને યાદ કરવાના છે આનાથી જ કાટ નીકળશે અને આપણે સતોપ્રધાન બની
જઈશું. પાછા તો બધાએ જવાનું છે. કોઈ યોગબળ થી પાવન બની જશે, કોઈ સજા ખાઈને જશે. આપ
બાળકોએ તો જંક ઉતારવાની જ મહેનત કરવી પડે છે, એટલે આને યોગ અગ્નિ પણ કહેવાય છે.
અગ્નિ થી પાપ ભસ્મ થાય છે. તમે પવિત્ર બની જશો. કામ ચિતા ને પણ અગ્નિ કહે છે. કામ
અગ્નિ માં બળીને કાળા બની ગયા છે. હવે બાપ કહે છે ગોરા બનો. આ વાતો આપ બ્રાહ્મણો
સિવાય કોઈની બુદ્ધિ માં બેસી નથી શકતી. આ વાતો જ ન્યારી છે. તમને કહે છે આ તો
શાસ્ત્રો ને પણ નથી માનતાં. નાસ્તિક બની ગયા છે. બોલો, શાસ્ત્ર તો અમે વાંચતા હતાં
પછી બાપે જ્ઞાન આપ્યું છે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે. ભગવાનુવાચ, વેદ-ઉપનિષદ વગેરે
વાંચવાથી, દાન-પુણ્ય વગેરે કરવાથી કોઈ પણ મને પ્રાપ્ત નથી કરતાં. મારા દ્વારા જ મને
પ્રાપ્ત કરી શકે છે. બાપ જ આવીને લાયક બનાવે છે. આત્મા પર જંક ચઢી જાય છે ત્યારે
બાપ ને બોલાવે છે કે આવીને પાવન બનાવો. આત્મા જે તમોપ્રધાન બન્યો છે તેને સતોપ્રધાન
બનવાનું છે, તમોપ્રધાન થી તમો, રજો, સતો પછી સતોપ્રધાન બનવાનું છે. જો વચ્ચે ગડબડ
થઈ તો કાટ ચઢી જશે.
બાપ આપણને આટલાં ઊંચ
બનાવે છે તો એ ખુશી રહેવી જોઈએ ને? વિદેશ માં ભણવા માટે ખુશી થી જાય છે ને? હવે તમે
કેટલાં સમજદાર બનો છો. કળિયુગ માં કેટલાં તમોપ્રધાન બેસમજ બની જાઓ છો. જેટલો પ્રેમ
કરો એટલો વધારે જ સામનો કરે છે. આપ બાળકો સમજો છો કે આપણી રાજધાની સ્થાપન થાય છે.
જે સારી રીતે ભણશે, યાદ માં રહેશે તે સારું પદ મેળવશે. સૈપલિંગ ભારત થી જ લાગે છે.
દિવસે-દિવસે સમાચાર-પત્ર વગેરે દ્વારા તમારું નામ પ્રસિદ્ધ થતું જશે. સમાચાર-પત્ર
તો બધી તરફ જાય છે. એ જ સમાચાર-પત્ર વાળા ક્યારેક જુઓ તો સારું લખશે, ક્યારેક ખરાબ
કારણકે તે પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર ચાલે છે ને? જેમણે જે સંભળાવ્યું તે લખી
દેશે. સાંભળેલી-સંભળાવેલી વાતો પર ખૂબ ચાલે છે, તેને પરમત કહેવાય છે. પરમત આસુરી મત
થઈ ગઈ. બાપ ની છે શ્રીમત. કોઈએ ઉંધી વાત બતાવી તો બસ આવવાનું જ છોડી દે છે. જે
સર્વિસ (સેવા) પર રહે છે, તેમને બધી ખબર હોય છે. અહીં તમે જે પણ સેવા કરો છો, એ છે
તમારી નંબરવન સેવા. અહીંયા તમે સેવા કરો છો, ત્યાં ફળ મળે છે. કર્તવ્ય તો અહીં બાપ
ની સાથે કરો છો ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા રુપી
સોય પર જંક ચઢ્યો છે, તેને યોગબળ થી ઉતારી સતોપ્રધાન બનાવવાની મહેનત કરવાની છે.
ક્યારેય પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર ચાલીને ભણતર નથી છોડવાનું.
2. બુદ્ધિ ને જ્ઞાન
નાં પોઈન્ટ્સ થી ભરપૂર રાખી સર્વિસ કરવાની છે. રગ જોઈને જ્ઞાન આપવાનું છે. ખૂબ
શુરુડ (તીક્ષ્ણ) બુદ્ધિ બનવાનું છે.
વરદાન :-
કળિયુગી દુનિયા
નાં દુઃખ અને અશાંતિ નાં નજારા જોવા છતાં સદા સાક્ષી તથા બેહદ નાં વૈરાગી ભવ
આ કળિયુગી દુનિયા માં
કાંઈ પણ થાય છે છતાં તમારી સદા ચઢતી કળા છે. દુનિયા માટે હાહાકાર છે અને તમારા માટે
જયજયકાર છે. તમે કોઈપણ પરિસ્થિતિ થી ગભરાતા નથી કારણકે તમે પહેલાં થી જ તૈયાર છો.
સાક્ષી થઈને દરેક પ્રકાર નાં ખેલ જોતા રહ્યાં છો. કોઈ રડે છે, ચિલ્લાવે છે, સાક્ષી
થઈને જોવામાં મજા આવે છે. જે કળિયુગી દુનિયાનાં દુઃખ અશાંતિ નાં નજારા સાક્ષી થઈને
જુએ છે તે સહજ બેહદ નાં વૈરાગી બની જાય છે.
સ્લોગન :-
કેવી પણ ધરણી
તૈયાર કરવી છે તો વાણી ની સાથે વૃત્તિ થી સેવા કરો.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો
જેવી રીતે કોઈ મશીનરી
ને સેટ કરીએ છીએ તો તે ઓટોમેટિકલી ચાલતી રહે છે. તો એવી રીતે પોતાની સંપૂર્ણ સ્ટેજ
અથવા બાપ સમાન સ્ટેજ કે કર્માતીત સ્થિતિ ની સ્ટેજ ને એવી રીતે સ્થિત કરી દો જે પછી
સંકલ્પ, શબ્દ કે કર્મ ઓટોમેટિક ચાલતાં રહે.