30-01-2025 
  પ્રાતઃ  ગુજરાતી મુરલી  
 ઓમ શાંતિ   
બાપદાદા    મધુબન
“ મીઠાં બાળકો - આ 
જૂની દુનિયામાં કોઈ પણ સાર નથી , એટલે તમારે આની સાથે દિલ નથી લગાવવાનું , બાપ ની 
યાદ તૂટી તો સજા ખાવી પડશે”
પ્રશ્ન :-
બાપ નું મુખ્ય ડાયરેક્શન (માર્ગદર્શન) શું છે? તેનું ઉલ્લંઘન કેમ થાય છે?
ઉત્તર :-
બાપ નું ડાયરેક્શન છે કોઈ ની પાસે થી સેવા નહીં લો કારણકે તમે પોતે સર્વેન્ટ (સેવક) 
છો. પરંતુ દેહ-અભિમાન નાં કારણે બાપ નાં આ ડાયરેક્શન નું ઉલ્લંઘન કરે છે. બાબા કહે 
છે તમે અહીં સુખ લેશો તો ત્યાં નું સુખ ઓછું થઈ જશે. ઘણાં બાળકો કહે છે અમે તો 
ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) રહીશું પરંતુ તમે બધા બાપ પર ડીપેન્ડ કરો (આધારિત) છો.
ગીત :- 
દિલ કા સહારા 
તૂટ ન જાય…
ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ 
પોતાનાં સાલિગ્રામો પ્રત્યે. શિવ અને સાલિગ્રામ ને તો બધા મનુષ્ય જાણે છે. બંને 
નિરાકાર છે. હવે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ કહી ન શકાય. ભગવાન એક જ હોય છે. તો શિવ 
ભગવાનુવાચ કોનાં પ્રત્યે? રુહાની બાળકો પ્રત્યે. બાબાએ સમજાવ્યું છે બાળકો નું હવે 
કનેક્શન છે જ બાપ સાથે કારણકે પતિત-પાવન જ્ઞાન નાં સાગર, સ્વર્ગ નો વારસો આપવા વાળા 
તો શિવબાબા જ થયાં. યાદ પણ એમને કરવાના છે. બ્રહ્મા છે એમનો ભાગ્યશાળી રથ. રથ દ્વારા 
જ બાપ વારસો આપે છે. બ્રહ્મા વારસો આપવા વાળા નથી, એ તો લેવા વાળા છે. તો બાળકોએ 
સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. સમજો, રથ ને કોઈ તકલીફ થાય છે અથવા 
કારણે-અકારણે બાળકો ને મોરલી નથી મળતી તો બાળકો નું બધું અટેન્શન (ધ્યાન) જાય છે 
શિવબાબા તરફ. એ તો ક્યારેય બીમાર પડી નથી શકતાં. બાળકો ને એટલું જ્ઞાન મળ્યું છે કે 
તેઓ પણ સમજાવી શકે છે. પ્રદર્શન માં બાળકો કેટલું સમજાવે છે? જ્ઞાન તો બાળકો માં છે 
ને? દરેક ની બુદ્ધિ માં ચિત્રો નું જ્ઞાન ભરેલું છે. બાળકો ને કોઈ રુકાવટ નથી થતી (બાળકો 
ક્યાંય અટકતા નથી). સમજો, પોસ્ટ નું આવવા-જવા નું બંધ થઈ જાય છે, હડતાલ થઈ જાય છે 
પછી શું કરશે? જ્ઞાન તો બાળકો માં છે. સમજાવવા નું છે સતયુગ હતો, હમણાં કળિયુગ જૂની 
દુનિયા છે. ગીત માં પણ કહે છે જૂની દુનિયામાં કોઈ સાર નથી, આની સાથે દિલ નથી 
લગાવવાનું. નહીં તો સજા મળી જશે. બાપ ની યાદ થી સજાઓ કપાઈ જશે. એવું ન થાય બાપ ની 
યાદ તૂટી જાય પછી સજા ખાવી પડે અને જૂની દુનિયામાં ચાલ્યા જાઓ. એવાં તો અનેક ગયા 
છે, જેમને બાપ યાદ પણ નથી. જૂની દુનિયા સાથે દિલ લાગી ગયું, જમાનો ખૂબ ખરાબ છે. કોઈ 
સાથે દિલ લગાવ્યું તો સજા ખૂબ મળશે. બાળકોએ જ્ઞાન સાંભળવાનું છે. ભક્તિ માર્ગ નાં 
ગીત પણ નથી સાંભળવાનાં. હમણાં તમે છો સંગમ પર. જ્ઞાન-સાગર બાપ દ્વારા તમને સંગમ પર 
જ જ્ઞાન મળે છે. દુનિયામાં આ કોઈને ખબર નથી કે જ્ઞાન સાગર એક જ છે. એ જ્યારે જ્ઞાન 
આપે છે ત્યારે મનુષ્યો ની સદ્દગતિ થાય છે. સદ્દગતિ દાતા એક જ છે પછી એમની મત પર 
ચાલવાનું છે. માયા છોડતી કોઈ ને પણ નથી. દેહ-અભિમાન પછી જ કોઈ ને કોઈ ભૂલ થાય છે. 
કોઈ સેમી (થોડા) કામ વશ થઈ જાય છે, કોઈ ક્રોધ વશ. મન્સા માં તોફાન બહુ જ આવે છે-પ્રેમ 
કરીએ, આ કરીએ... કોઈ નાં શરીર સાથે દિલ નથી લગાવવાનું. બાપ કહે છે સ્વયં ને આત્મા 
સમજો તો શરીર નું ભાન નહીં રહે. નહીં તો બાપ ની આજ્ઞા નું ઉલ્લંઘન થઈ જાય છે. 
દેહ-અહંકાર થી નુકસાન ખૂબ થાય છે એટલે દેહ સહિત બધું જ ભૂલી જવાનું છે. ફક્ત બાપ ને 
અને ઘર ને યાદ કરવાના છે. આત્માઓ ને બાપ સમજાવે છે, શરીર દ્વારા કામ કરતા મને યાદ 
કરો તો વિકર્મ ભસ્મ થઈ જશે. રસ્તો તો ખૂબ સહજ છે. આ પણ સમજે છે તમારા થી ભૂલો થતી 
રહે છે. પરંતુ એવું ન થાય-ભૂલો માં ફસાતા જ જાઓ. એક વાર ભૂલ થઈ ફરી તે ભૂલ ન કરવી 
જોઈએ. પોતાનાં કાન પકડવા જોઈએ, ફરી આ ભૂલ નહીં થાય. પુરુષાર્થ કરવો જોઈએ. જો ઘડી-ઘડી 
ભૂલ થાય છે તો સમજવું જોઈએ અમારું ખૂબ નુકસાન થશે. ભૂલ કરતા-કરતા તો દુર્ગતિ થઈ છે 
ને? કેટલી મોટી સીડી ઉતરીને શું બન્યાં છો? પહેલાં તો આ જ્ઞાન નહોતું. હમણાં 
નંબરવાર પુરુષાર્થ અનુસાર જ્ઞાન માં બધા પ્રવીણ (હોંશિયાર) થઈ ગયા છે. જેટલું થઈ શકે 
અંતર્મુખી પણ રહેવાનું છે, મુખ થી કંઈ કહેવાનું નથી. જે જ્ઞાન માં પ્રવીણ બાળકો છે, 
તે ક્યારેય જૂની દુનિયા સાથે દિલ નહીં લગાવશે. તેમની બુદ્ધિ માં રહેશે અમે તો રાવણ 
રાજ્ય નો વિનાશ કરવા ઈચ્છીએ છીએ. આ શરીર પણ જૂનું રાવણ સંપ્રદાય નું છે તો અમે રાવણ 
સંપ્રદાય ને કેમ યાદ કરીએ? એક રામ ને યાદ કરીએ. સાચાં પિતાવ્રતા બનીએ ને?
બાપ કહે છે મને યાદ 
કરતા રહો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે. પિતાવ્રતા અથવા ભગવાન વ્રતા બનવું જોઈએ. 
ભક્ત ભગવાન ને જ યાદ કરે છે કે હે ભગવાન, આવીને અમને સુખ-શાંતિ નો વારસો આપો. 
ભક્તિમાર્ગ માં તો કુરબાન જાય છે, બલિ ચઢે છે. અહીં બલિ ચઢવાની વાત તો નથી. આપણે તો 
જીવતા જ મરીએ છીએ એટલે બલિ ચઢીએ છીએ. આ છે જીવતા જ બાપ નાં બનવું કારણકે એમની પાસે 
થી વારસો લેવાનો છે. એમની મત પર ચાલવાનું છે. જીવતા જ બલિ ચઢવું, વારી જવું હકીકત 
માં હમણાં ની વાત છે. ભક્તિ માર્ગ માં તે પછી કેટલાં જીવઘાત વગેરે કરે છે. અહીં 
જીવઘાત ની વાત નથી. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો, બાપ સાથે યોગ લગાવો, 
દેહ-અભિમાન માં ન આવો. ઉઠતાં-બેસતાં બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. ૧૦૦ ટકા 
પાસ તો કોઈ થયું નથી. નીચે-ઉપર થતા રહે છે. ભૂલો થાય છે, એના પર સાવધાની નહીં મળશે 
તો ભૂલો છોડશો કેવી રીતે? માયા કોઈને પણ છોડતી નથી. કહે છે બાબા અમે માયા થી હારી 
જઈએ છીએ, પુરુષાર્થ કરીએ પણ છીએ પછી ખબર નહીં શું થાય છે? અમારા થી આટલી મોટી ભૂલો 
ખબર નહીં કેવી રીતે થઈ જાય છે? સમજે પણ છે બ્રાહ્મણ કુળ માં આનાથી અમારું નામ બદનામ 
થાય છે. છતાં પણ માયા નો એવો વાર થાય છે જે સમજ માં નથી આવતું. દેહ-અભિમાન માં 
આવવાથી જાણે બેસમજ બની જાય છે. બેસમજી નાં કામ થાય છે તો ગ્લાનિ પણ થાય છે, વારસો 
પણ ઓછો થઈ જાય છે. એવી ખૂબ ભૂલો કરે છે. માયા એવી જોર થી થપ્પડ લગાવી દે છે જે પોતે 
તો હાર ખાય છે અને પછી ગુસ્સા માં આવીને કોઈને થપ્પડ કે ચપ્પલ વગેરે મારવા લાગી જાય 
છે પછી પશ્ચાતાપ પણ કરે છે. બાબા કહે છે કે હવે તો ખૂબ મહેનત કરવી પડે. પોતાનું પણ 
નુકસાન કર્યુ તો બીજાઓ નું પણ નુકસાન કર્યુ, કેટલું નુકસાન થઈ ગયું. રાહુ નું ગ્રહણ 
બેસી ગયું. હવે બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. રાહુ નું ગ્રહણ બેસે છે તો પછી તે 
સમય લે છે. સીડી ચઢીને પછી ઉતરવાનું મુશ્કેલ થાય છે. મનુષ્ય ને દારુ ની આદત પડે છે 
તો પછી તે છોડવા માં કેટલી મુશ્કેલીઓ થાય છે? સૌથી મોટી ભૂલ છે-કાળુ મોઢું કરવું. 
ઘડી-ઘડી શરીર યાદ આવે છે. પછી બાળકો વગેરે હોય છે તો તેમની જ યાદ બની રહે છે. તે પછી 
બીજાઓને જ્ઞાન શું આપશે? તેમનું કોઈ સાંભળશે પણ નહીં. આપણે તો હમણાં બધાને ભૂલવાની 
કોશિશ કરી એક ને યાદ કરીએ છીએ. આમાં સંભાળ ખૂબ કરવી પડે છે. માયા બહુ જ હોંશિયાર 
છે. આખો દિવસ શિવબાબા ને યાદ કરવાના જ વિચાર રહેવા જોઈએ. હવે નાટક પૂરું થાય છે, 
આપણે જવાનું છે. આ શરીર પણ ખતમ થઈ જવાનું છે. જેટલા બાપ ને યાદ કરશો તો દેહ-અભિમાન 
તૂટતું જશે બીજા કોઈ ની પણ યાદ નહીં રહેશે. કેટલી ઊંચી મંઝિલ છે, એક બાપ સિવાય બીજા 
કોઈની સાથે દિલ નથી લગાવવાનું. નહીં તો જરુર તે સામે આવશે. વેર જરુર લેશે. ખૂબ ઊંચી 
મંઝિલ છે. કહેવું તો ખૂબ સહજ છે, લાખો માં કોઈ એક દાણો નીકળે છે. કોઈ સ્કોલરશિપ પણ 
લે છે ને? જે સારી મહેનત કરશે, જરુર સ્કોલરશિપ લેશે. સાક્ષી થઈને જોવાનું છે, કેવી 
રીતે સર્વિસ (સેવા) કરું છું? ઘણાં બાળકો ઈચ્છે છે શારીરીક સર્વિસ છોડી આમાં લાગી 
જઈએ. પરંતુ બાબા સંજોગો પણ જુએ છે. એકલો છે, કોઈ સંબંધ નથી તો વાંધો નહીં. છતાં પણ 
કહે છે નોકરી પણ કરો અને આ સેવા પણ કરો. નોકરી માં પણ અનેક ની સાથે મુલાકાત થશે. આપ 
બાળકો ને જ્ઞાન તો ખૂબ મળેલું છે. બાળકો દ્વારા પણ બાપ ખૂબ સર્વિસ કરાવતા રહે છે. 
કોઈ માં પ્રવેશ કરી સર્વિસ કરે છે. સર્વિસ તો કરવાની જ છે. જેમના માથે મામલો તે કેવી 
રીતે ઊંઘ કરે? શિવબાબા તો છે જ જાગતી જ્યોત. બાપ કહે છે હું તો દિવસ-રાત સર્વિસ કરું 
છું, થાકે શરીર છે. પછી આત્મા પણ શું કરે, શરીર કામ નથી આપતું. બાપ તો અથક છે ને? એ 
છે જાગતી જ્યોત, આખી દુનિયા ને જગાડે છે. એમનો પાર્ટ જ વન્ડરફુલ છે, જેમને આપ બાળકો 
માં પણ થોડા જાણે છે. કાળો નાં કાળ છે બાપ. એમની આજ્ઞા નહીં માનશે તો ધર્મરાજ થી 
ડંડા ખાશે. બાપ નું મુખ્ય ડાયરેક્શન છે કોઈ પાસે થી સેવા નહીં લો. પરંતુ દેહ-અભિમાન 
માં આવીને બાપ ની આજ્ઞા નું ઉલ્લંઘન કરે છે. બાબા કહે છે તમે પોતે સર્વેન્ટ છો. અહીં 
સુખ લેશો તો ત્યાં સુખ ઓછું થઈ જશે. આદત પડી જાય છે તો સર્વેન્ટ વગર રહી નથી શકતાં. 
ઘણાં કહે છે અમે તો ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) રહીશું પરંતુ બાપ કહે છે ડિપેન્ડ (આધારિત) 
રહેવું સારું છે. તમે બધા બાપ પર ડિપેન્ડ કરો છો. ઇન્ડિપેન્ડન્ટ બનવાથી પડી જાઓ છો. 
તમે બધા ડિપેન્ડ કરો છો શિવબાબા પર. આખી દુનિયા ડિપેન્ડ કરે છે, ત્યારે તો કહે છે 
પતિત-પાવન આવો. એમની પાસે થી જ સુખ-શાંતિ મળે છે, પરંતુ સમજતા નથી. આ ભક્તિમાર્ગ નો 
સમય પણ પસાર કરવાનો જ છે, જ્યારે રાત પૂરી થાય છે ત્યારે બાપ આવે છે. એક સેકન્ડ નો 
પણ ફરક નથી પડી શકતો. બાપ કહે છે હું આ ડ્રામા ને જાણવા વાળો છું. ડ્રામા નાં 
આદિ-મધ્ય -અંત ને બીજા કોઈ પણ નથી જાણતાં. સતયુગ થી લઈને આ જ્ઞાન પ્રાયઃલોપ છે. હમણાં 
તમે રચયિતા અને રચના નાં આદિ, મધ્ય, અંત ને જાણો છો, આને જ જ્ઞાન કહેવાય છે, બાકી 
બધી છે ભક્તિ. બાપ ને નોલેજફુલ કહે છે. આપણને એ નોલેજ મળી રહી છે. બાળકો ને નશો પણ 
સારો હોવો જોઈએ. પરંતુ આ પણ સમજે છે કે રાજધાની સ્થાપન થાય છે. કોઈ તો પ્રજા માં પણ 
સાધારણ નોકર-ચાકર બને છે. જરા પણ જ્ઞાન સમજ માં નથી આવતું. વન્ડર છે ને? જ્ઞાન તો 
ખૂબ સહજ છે. ૮૪ જન્મો નું ચક્ર હવે પૂરું થયું છે. હવે જવાનું છે આપણા ઘરે. આપણે 
ડ્રામા નાં મુખ્ય એક્ટર્સ છીએ. આખા ડ્રામા ને જાણી ગયા છીએ. આખા ડ્રામા માં 
હીરો-હીરોઈન એક્ટર્સ આપણે છીએ. કેટલું સહજ છે? પરંતુ તકદીર માં નથી તો તદબીર પણ શું 
કરે? ભણતર માં આવું થાય છે. કોઈ નપાસ થઈ જાય છે, કેટલી મોટી સ્કૂલ છે? રાજધાની 
સ્થાપન થવાની છે. હવે જેટલું જે ભણશે, બાળકો જાણી શકે છે કે અમે શું પદ મેળવીશું? 
અનેકાનેક છે, બધા વારીસ તો નહીં બનશે. પવિત્ર બનવું ખૂબ મુશ્કેલ છે. બાપ કેટલું સહજ 
સમજાવે છે, હવે નાટક પૂરું થાય છે. બાપ ની યાદ થી સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયાનાં 
માલિક બનવાનું છે. જેટલું થઈ શકે યાદ માં રહેવાનું છે. પરંતુ તકદીર માં નથી તો પછી 
બાપ ને બદલે બીજા-બીજા ને યાદ કરે છે. દિલ લગાવવા થી પછી રડવું પણ ખૂબ પડે છે. બાપ 
કહે છે આ જૂની દુનિયા સાથે દિલ નથી લગાવવાનું. આ તો ખતમ થવાની છે. આ બીજા કોઈને ખબર 
નથી. તે તો સમજે છે કળિયુગ હજી ઘણો સમય ચાલવાનો છે. ઘોર નિદ્રા માં સૂતેલા છે. તમારું 
આ પ્રદર્શન પ્રજા બનાવવા માટે વિહંગ માર્ગ ની સર્વિસ નું સાધન છે. રાજા-રાણી પણ કોઈ 
નીકળી પડશે. ઘણાં છે જે સર્વિસ નો સારો શોખ રાખે છે. પછી કોઈ ગરીબ, કોઈ સાહુકાર છે. 
બીજાઓને આપ સમાન બનાવે છે, તેનો પણ ફાયદો તો મળે છે ને? આંધળાઓ ની લાઠી બનવાનું છે, 
ફક્ત આ બતાવવાનું છે કે બાપ અને વારસા ને યાદ કરો, વિનાશ સામે છે. જ્યારે વિનાશ નો 
સમય નજીક જોશે ત્યારે તમારી વાતો ને સાંભળશે. તમારી સર્વિસ ની પણ વૃદ્ધિ થતી જશે, 
સમજશે બરોબર ઠીક છે. તમે કહેતા તો રહો છો કે વિનાશ થવાનો છે.
તમારું પ્રદર્શન, મેળા 
ની સર્વિસ ની વૃદ્ધિ થતી રહેશે. કોશિશ કરવાની છે કોઈ સારો હોલ મળી જાય, ભાડું આપવા 
માટે તો અમે તૈયાર છીએ. બોલો, તમારું વધારે જ નામ પ્રસિદ્ધ થશે. એવા ઘણાં ની પાસે 
હોલ પડ્યા હોય છે. પુરુષાર્થ કરવાથી ૩ પગ પૃથ્વી નાં મળી જશે. ત્યાં સુધી તમે 
નાનાં-નાનાં પ્રદર્શન રાખો. શિવજયંતિ પણ તમે મનાવશો તો અવાજ થશે. તમે લખો પણ છો 
શિવજયંતિ ની રજા નો દિવસ નિશ્ચિત કરો. હકીકત માં જન્મ દિવસ તો એક નો જ મનાવવો જોઈએ. 
એ જ પતિત-પાવન છે. સ્ટેમ્પ પણ હકીકત માં અસલી આ ત્રિમૂર્તિ ની છે. સત્યમેવ જયતે… આ 
છે વિજય મેળવવા નો સમય. સમજાવવા વાળા પણ સારા જોઈએ. બધા સેવાકેન્દ્ર નાં જે મુખ્ય 
છે તેમણે અટેન્શન (ધ્યાન) આપવું પડે. પોતાની સ્ટેમ્પ કાઢી શકે છે. આ છે ત્રિમૂર્તિ 
શિવ જયંતિ. ફક્ત શિવ જયંતિ કહેવાથી સમજી નહીં શકે. હવે કામ તો બાળકોએ જ કરવાનું છે. 
અનેક નું કલ્યાણ થશે તો કેટલી લિફ્ટ મળશે, સર્વિસ ની લિફ્ટ ખૂબ મળે છે. પ્રદર્શન થી 
ખૂબ સર્વિસ થઈ શકે છે. પ્રજા તો બનશે ને? બાબા જુએ છે સર્વિસ પર કયા બાળકો નું 
અટેન્શન રહે છે! દિલ પર પણ તે જ ચઢશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા 
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં 
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જો એકવાર 
કોઈ ભૂલ થઈ તો તે જ સમયે કાન પકડવાના છે, બીજી વાર તે ભૂલ ન થાય. ક્યારેય પણ 
દેહ-અહંકાર માં નથી આવવાનું. જ્ઞાન માં પ્રવીણ બની અંતર્મુખી રહેવાનું છે.
2. સાચાં પિતાવ્રતા 
બનવાનું છે, જીવતા જ બલિ ચઢવાનું છે. કોઈ સાથે પણ દિલ નથી લગાવવાનું. બેસમજી નું 
કોઈ પણ કામ નથી કરવાનું.
વરદાન :- 
જુદાઈ ને 
સદાકાળ માટે વિદાય આપવા વાળા સ્નેહી સ્વરુપ ભવ
જે સ્નેહી ને પસંદ છે 
તે જ સ્નેહ કરવા વાળા ને પસંદ હોય - આ જ સ્નેહ નું સ્વરુપ છે. 
ચાલવાનું-ખાવા-પીવાનું-રહેવાનું સ્નેહી નું દિલપસંદ હોય, એટલે જે પણ સંકલ્પ અથવા 
કર્મ કરો તો પહેલાં વિચારો કે આ સ્નેહી બાપ નું દિલપસંદ છે. એવા સાચાં સ્નેહી બનો 
તો નિરંતર યોગી, સહજયોગી બની જશો. જો સ્નેહી સ્વરુપ ને સમાન સ્વરુપ માં પરિવર્તન કરી 
દો તો અમર ભવ નું વરદાન મળી જશે અને જુદાઈ ને સદાકાળ માટે વિદાય મળી જશે.
સ્લોગન :- 
સ્વભાવ ઈઝી (સરળ) 
અને પુરુષાર્થ અટેન્શન વાળો બનાવો.
પોતાની શક્તિશાળી 
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
જેવી રીતે બીજ માં આખું 
વૃક્ષ સમાયેલું રહે છે, એવી રીતે સંકલ્પ રુપી બીજ માં આખા વૃક્ષ નો વિસ્તાર સમાઈ 
જાય ત્યારે સંકલ્પો ની હલચલ સમાપ્ત થશે. જેવી રીતે આજકાલ દુનિયામાં રાજનીતિ ની હલચલ, 
વસ્તુઓ નાં મૂલ્ય ની હલચલ, કરન્સી ની હલચલ, કર્મભોગ ની હલચલ, ધર્મ ની હલચલ… વધતી જઈ 
રહી છે. એ હલચલ થી સ્વયં ને તથા સર્વ ને બચાવવા માટે મન-બુદ્ધિ ને એકાગ્ર કરવાનો 
અભ્યાસ કરતા સકાશ આપવાની સેવા કરતા રહો.