31-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હવે જૂની દુનિયાનાં ગેટ ( દ્વાર ) થી નીકળી ને શાંતિધામ અને સુખધામ માં જઈ રહ્યાં
છો , બાપ જ મુક્તિ - જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે”
પ્રશ્ન :-
વર્તમાન સમયે સૌથી સારું કર્મ કયું છે?
ઉત્તર :-
સૌથી સારું કર્મ છે મન્સા, વાચા, કર્મણા આંધળાઓ ની લાઠી બનવું. આપ બાળકોએ વિચાર
સાગર મંથન કરવું જોઈએ કે એવા કયા શબ્દો લખીએ જે મનુષ્યો ને ઘર નો (મુક્તિ) અને
જીવનમુક્તિ નો રસ્તો મળી જાય. મનુષ્ય સહજ સમજી લે કે અહીં શાંતિ-સુખ ની દુનિયામાં
જવાનો રસ્તો બતાવાય છે.
ઓમ શાંતિ!
જાદુગરની બત્તી
સાંભળ્યું છે? અલ્લાઉદ્દીન ની બત્તી પણ ગવાય છે. અલ્લાઉદ્દીન ની બત્તી તથા જાદુગર
ની બતી શું-શું દેખાડે છે? વૈકુંઠ, સ્વર્ગ, સુખધામ. બત્તી ને પ્રકાશ કહેવાય છે. હમણાં
તો અંધકાર છે ને? હવે આ જે પ્રકાશ દેખાડવા માટે બાળકો પ્રદર્શન, મેળા કરે છે, આટલાં
ખર્ચા કરે છે, માથુ મારે છે. પૂછે છે બાબા આનું નામ શું રાખીએ? અહીં બોમ્બે ને કહે
છે ગેટ-વે ઓફ ઈન્ડિયા. સ્ટીમર પહેલાં બોમ્બે માં જ આવે છે. દિલ્લી માં પણ ઈન્ડિયા
ગેટ છે. હવે આપણો આ છે ગેટ ઓફ મુક્તિ-જીવનમુક્તિ. બે દ્વાર છે ને? હંમેશા દ્વાર બે
હોય છે ઈન (અંદર) અને આઉટ (બહાર). એક થી આવવાનું, બીજા થી જવાનું. આ પણ એવું છે -
આપણે નવી દુનિયામાં આવીએ છીએ પછી જૂની દુનિયા થી બહાર નીકળી પોતાનાં ઘરે ચાલ્યાં
જઈએ છીએ. પરંતુ પાછા જાતેજ તો આપણે જઈ નથી શકતા કારણકે ઘર ને ભૂલી ગયા છીએ, ગાઈડ (માર્ગદર્શક)
જોઈએ. એ પણ આપણને મળ્યાં છે જે રસ્તો બતાવે છે. બાળકો જાણે છે બાબા આપણને
મુક્તિ-જીવનમુક્તિ, શાંતિ અને સુખ નો રસ્તો બતાવે છે. તો ગેટ ઓફ શાંતિધામ, સુખધામ
લખો. વિચાર સાગર મંથન કરવાનું હોય છે ને? ખૂબ વિચાર ચાલે છે - મુક્તિ-જીવનમુક્તિ
કોને કહેવાય છે, તે પણ કોઈને ખબર નથી. શાંતિ અને સુખ તો બધા ઈચ્છે છે. શાંતિ પણ હોય
અને ધન-સંપત્તિ પણ હોય. તે તો હોય જ છે સતયુગ માં. તો નામ લખી દો-ગેટ ઓફ શાંતિધામ
અને સુખધામ અથવા ગેટ ઓફ પ્યોરીટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસપર્ટી (સમૃદ્ધિ). આ
તો સારા શબ્દો છે. ત્રણેય અહીં નથી. તો આનાં પર પછી સમજાવવું પણ પડે. નવી દુનિયામાં
આ બધું હતું. નવી દુનિયા ની સ્થાપના કરવાવાળા છે પતિત-પાવન, ગોડફાધર. તો જરુર આપણે
આ જૂની દુનિયા થી નીકળી ઘરે જવું પડે. તો આ ગેટ થયો ને - પ્યોરિટી, પીસ, પ્રોસપર્ટી
નો. બાબા ને આ નામ ગમે છે. હવે હકીકત માં તેની ઓપનિંગ (ઉદ્દઘાટન) તો શિવબાબા કરે
છે. પરંતુ આપણા બ્રાહ્મણો દ્વારા કરાવે છે. દુનિયા માં ઓપનિંગ સેરેમની તો બહુ જ થતી
રહે છે ને? કોઈ હોસ્પિટલ ની કરશે, કોઈ યુનિવર્સિટી ની કરશે. આ તો એક જ વાર થાય છે
અને આ સમયે જ થાય છે એટલે વિચાર કરાય છે. બાળકોએ લખ્યું-બ્રહ્મા બાબા આવીને
ઉદ્દઘાટન કરે. બાપદાદા બંને ને બોલાવીએ. બાપ કહે છે તમે (બ્રહ્મા બાબા) બહાર ક્યાંય
જઈ ન શકો. ઉદ્દઘાટન કરવા માટે જાય, વિવેક નથી કહેતો, કાયદો નથી. આ તો કોઈ પણ ખોલી
શકે છે. સમાચાર માં પણ આવશે - પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. આ નામ પણ બહુ જ સારું
છે ને? પ્રજાપિતા તો બધા નાં બાપ થઈ ગયાં. તે કંઈ ઓછું છે શું? અને પછી બાપ પોતે
સેરેમની કરાવે છે. કરનકરાવનહાર છે ને? બુદ્ધિ માં રહેવું જોઈએ ને આપણે સ્વર્ગ ની
સ્થાપના કરી રહ્યાં છીએ. તો કેટલો પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલવું જોઈએ? વર્તમાન
સમયે મન્સા-વાચા-કર્મણા સૌથી સારું કર્મ તો એક જ છે - આંધળાઓ ની લાઠી બનવું. ગાય પણ
છે-હે પ્રભુ, આંધળાઓ ની લાઠી. બધા આંધળા જ આંધળા છે. તો બાપ આવીને લાઠી બને છે.
જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે, જેનાં થી તમે સ્વર્ગ માં નંબરવાર પુરુષાર્થ અનુસાર
જાઓ છો. નંબરવાર તો છે જ. આ ખૂબ મોટી બેહદ ની હોસ્પિટલ ની સાથે યુનિવર્સિટી છે.
સમજાવાય છે-આત્માઓ નાં બાપ પરમપિતા પરમાત્મા પતિત-પાવન છે. તમે એ બાપ ને યાદ કરો તો
સુખધામ માં ચાલ્યાં જશો. આ છે હેલ (નર્ક), આને હેવન (સ્વર્ગ) નહીં કહેવાશે. હેવન
માં છે જ એક ધર્મ. ભારત સ્વર્ગ હતું બીજો કોઈ ધર્મ નહોતો. આ ફક્ત યાદ કરો, એ પણ
મનમનાભવ છે. આપણે સ્વર્ગ માં આખાં વિશ્વ નાં માલિક હતાં-એટલું પણ યાદ નથી આવતું!
બુદ્ધિ માં છે આપણને બાપ મળ્યાં છે તો તે ખુશી રહેવી જોઈએ. પરંતુ માયા પણ ઓછી નથી.
એવાં બાપ નાં બનીને પછી પણ એટલી ખુશી માં નથી રહેતાં. ઘુટકા ખાતા રહે છે. માયા
ઘડી-ઘડી ખૂબ ઘુટકા ખવડાવે છે. શિવબાબા ની યાદ ભૂલાવી દે છે. પોતે પણ કહે છે યાદ
સ્થાઈ રહેતી નથી. બાપ ઘુટકા ખવડાવે છે જ્ઞાનસાગર માં, માયા પછી ઘુટકા ખવડાવે છે
વિષય સાગર માં. ખૂબ ખુશી થી ઘુટકા ખાવા લાગી જાય છે. બાપ કહે છે શિવબાબા ને યાદ કરો.
માયા પછી ભુલાવી દે છે. બાપ ને યાદ જ નથી કરતાં. બાપ ને જાણતા જ નથી. દુઃખહર્તા,
સુખકર્તા તો પરમપિતા પરમાત્મા છે ને? એ છે જ દુઃખ હરવા વાળા. તેઓ પછી ગંગા માં જઈને
ડૂબકી લગાવે છે. સમજે છે ગંગા પતિત-પાવની છે. સતયુગ માં ગંગા ને દુઃખ હરનાર, પાપ
કાપનાર નહીં કહેવાશે. સાધુ-સંત વગેરે બધા જઈને નદીઓ નાં કિનારે બેસે છે. સાગર નાં
કિનારે કેમ નથી બેસતાં? હમણાં આપ બાળકો સાગર નાં કિનારે બેઠાં છો. અનેકાનેક બાળકો
સાગર પાસે આવે છે. પછી સમજે છે સાગર થી નીકળેલી આ નાની-નાની નદીઓ પણ છે.
બ્રહ્મપુત્રા, સિંધ, સરસ્વતી આ પણ નામ રાખેલા છે.
બાપ સમજાવે છે - બાળકો,
તમારે મન્સા-વાચા-કર્મણા બહુ જ-બહુ જ ધ્યાન રાખવાનું છે, ક્યારેય પણ તમને ક્રોધ ન
આવવો જોઈએ. ક્રોધ પહેલાં મન્સા માં આવે પછી વાચા અને કર્મણા માં પણ આવી જાય છે. આ
ત્રણ બારીઓ છે એટલે બાપ સમજાવે છે-મીઠાં બાળકો, વાચા (વાણી) વધારે ન ચલાવો, શાંતિ
માં રહો, વાચા માં આવે તો કર્મણા માં આવી જશે. ગુસ્સો પહેલાં મન્સા માં આવે છે પછી
વાચા-કર્મણા માં આવે છે. ત્રણેય બારીઓ થી નીકળે છે. પહેલાં મન્સા માં આવશે.
દુનિયાવાળા તો એક-બીજા ને દુઃખ આપતા રહે છે, લડતાં-ઝઘડતાં રહે છે. તમારે તો કોઈ ને
પણ દુઃખ નથી આપવાનું. વિચાર પણ ન આવવો જોઈએ. સાઈલેન્સ (શાંતિ) માં રહેવું ખૂબ સારું
છે. તો બાપ આવીને સ્વર્ગ નો અથવા સુખ-શાંતિ નો ગેટ બતાવે છે. બાળકો ને જ બતાવે છે.
બાળકો ને કહે છે તમે પણ બીજાઓ ને બતાવો. પ્યોરિટી, પીસ, પ્રોસપર્ટી હોય છે સ્વર્ગ
માં. ત્યાં કેવી રીતે જવાય છે, તે સમજવાનું છે. આ મહાભારત લડાઈ પણ ગેટ ખોલે છે. બાબા
નું વિચાર સાગર મંથન તો ચાલે છે ને? શું નામ રાખીએ? સવારે વિચાર સાગર મંથન કરવાથી
માખણ નીકળે છે. સારી સલાહ નીકળે છે, ત્યારે બાબા કહે છે સવારે ઉઠી બાપ ને યાદ કરો
અને વિચાર સાગર મંથન કરો-શું નામ રખાય? વિચાર કરવો જોઈએ, કોઈનો સારો વિચાર પણ નીકળે
છે. હવે તમે સમજો છો પતિત ને પાવન બનાવવા એટલે નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવવાં.
દેવતાઓ પાવન છે, ત્યારે તો તેમની આગળ માથું નમાવે છે. તમે હમણાં કોઈ ને માથું ન
નમાવી શકો, કાયદો નથી. બાકી યુક્તિ થી ચાલવાનું હોય છે. સાધુ લોકો પોતાને ઊંચ
પવિત્ર સમજે છે, બીજા ને અપવિત્ર નીંચ સમજે છે. તમે ભલે જાણો છો આપણે સૌથી ઊંચા છીએ
પરંતુ કોઈ હાથ જોડે તો રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) આપવો પડે. હરિ ઓમ્ તત્સત્ કરે છે, તો
કરવું પડે. યુક્તિ થી નહીં ચાલશો તો તે હાથ નહીં આવે. ખૂબ યુક્તિઓ જોઈએ. જ્યારે મોત
માથા પર આવે છે તો બધા ભગવાન નું નામ લે છે. આજકાલ ઇતફાક (અનાયાસ) તો બહુજ થતાં રહે
છે. ધીમે-ધીમે આગ ફેલાય છે. આગ શરુ થશે વિલાયત થી પછી ધીમે-ધીમે આખી દુનિયા બળી જશે.
અંત માં આપ બાળકો જ રહી જાઓ છો. તમારો આત્મા પવિત્ર બની જાય છે તો પછી તમને ત્યાં
નવી દુનિયા મળે છે. દુનિયા ની નવી નોટ આપ બાળકો ને મળે છે. તમે રાજ્ય કરો છો.
અલાઉદ્દીન ની બત્તી પણ પ્રસિદ્ધ છે ને? નોટ આમ કરવાથી કારુન નો ખજાનો મળી જાય છે.
છે પણ બરોબર. તમે જાણો છો અલ્લાહ અવલદિન ઝટ ઈશારા થી સાક્ષાત્કાર કરાવે છે. ફક્ત તમે
શિવબાબા ને યાદ કરો તો બધા સાક્ષાત્કાર થઈ જશે. નૌધા ભક્તિ થી પણ સાક્ષાત્કાર થાય
છે ને? અહીં તમને મુખ્ય-ઉદ્દેશ નો સાક્ષાત્કાર તો થાય જ છે પછી તમે બાબાને, સ્વર્ગ
ને બહુ જ યાદ કરશો. ઘડી-ઘડી જોતા રહેશો. જે બાબા ની યાદ માં અને જ્ઞાન માં મસ્ત હશે
તે જ અંત નાં બધા દૃશ્યો જોઈ શકશે. ઊંચી મંઝિલ છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ
કરવા, માસી નું ઘર નથી. ખૂબ મહેનત છે. યાદ જ મુખ્ય છે. જેમ બાબા દિવ્ય દૃષ્ટિ દાતા
છે તો સ્વયં પોતાનાં માટે દિવ્ય દૃષ્ટિ દાતા બની જશે. જેમ ભક્તિમાર્ગ માં તીવ્ર વેગ
થી યાદ કરે છે તો સાક્ષાત્કાર થાય છે. પોતાની મહેનત થી જેમ દિવ્ય દૃષ્ટિ દાતા બની
જાય છે. તમે પણ યાદ ની મહેનત માં રહેશો તો ખૂબ ખુશી માં રહેશો અને સાક્ષાત્કાર થતા
રહેશે. આ આખી દુનિયા ભૂલાઈ જાય. મનમનાભવ થઈ જવાય. બાકી શું જોઈએ? યોગબળ થી પછી તમે
પોતાનું શરીર છોડી દો છો. ભક્તિ માં પણ મહેનત હોય છે, આમાં પણ મહેનત જોઈએ. મહેનત નો
રસ્તો બાબા બહુજ ફર્સ્ટ ક્લાસ બતાવતા રહે છે. સ્વયં ને આત્મા સમજવા થી પછી દેહ નું
ભાન જ નહીં રહે. જાણે બાપ સમાન બની જશો. સાક્ષાત્કાર કરતા રહેશો. ખુશી પણ બહુ જ
રહેશે. રીઝલ્ટ (પરિણામ) આખું અંત નું ગવાયેલું છે. પોતાનાં નામ-રુપ થી પણ ન્યારા
થવાનું છે તો પછી બીજા નાં નામ-રુપ ને યાદ કરવા થી શું હાલત થશે? નોલેજ ખૂબ સહજ છે.
પ્રાચીન ભારત નો યોગ જે છે, જાદુ એમાં છે. બાબા એ સમજાવ્યું છે બ્રહ્મ-જ્ઞાની પણ આવી
રીતે શરીર છોડે છે. અમે આત્મા છીએ, પરમાત્મા માં લીન થવાનું છે. લીન કોઈ થતા નથી.
છે બ્રહ્મ જ્ઞાની. બાબાએ જોયું છે બેઠાં-બેઠાં શરીર છોડી દે છે. વાયુમંડળ બહુ જ
શાંત રહે છે, સન્નાટો થઈ જાય છે. સન્નાટો પણ તેમને ભાસશે (ગમશે) જે જ્ઞાન માર્ગ માં
હશે, શાંતિ માં રહેવા વાળા હશે. બાકી ઘણાં બાળકો તો હજી બેબીઓ (બાળક બુદ્ધિ) છે.
ઘડી-ઘડી નીચે પડી જાય છે, આમાં બહુ જ-બહુ જ ગુપ્ત મહેનત છે. ભક્તિ માર્ગ ની મહેનત
પ્રત્યક્ષ હોય છે. માળા ફેરવો, કોઠી માં બેસીને ભક્તિ કરો. અહીં તો હરતાં-ફરતાં તમે
યાદ માં રહો છો. કોઈ ને ખબર પડી ન શકે કે આ રાજાઈ લઈ રહ્યાં છે. યોગ થી જ બધા
હિસાબ-કિતાબ ચૂક્તું કરવાના છે. જ્ઞાન થી થોડી ચૂક્તું થાય છે? હિસાબ-કિતાબ ચૂક્તું
થશે યાદ થી. કર્મ ભોગ યાદ થી ચૂક્તું થશે. આ છે ગુપ્ત. બાબા બધું ગુપ્ત શીખવાડે છે.
અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
મન્સા-વાચા-કર્મણા ક્યારેય પણ ક્રોધ નથી કરવાનો. આ ત્રણેય બારીઓ પર ખુબ જ ધ્યાન
રાખવાનું છે. વાચા અધિક નથી ચલાવવાની. એક-બીજા ને દુઃખ નથી આપવાનું.
2. જ્ઞાન અને યોગ માં
મસ્ત રહી અંતિમ દૃશ્યો જોવાનાં છે. પોતાનાં તથા બીજા નાં નામ-રુપ ને ભૂલી હું આત્મા
છું, આ સ્મૃતિ થી દેહભાન ને સમાપ્ત કરવાનું છે.
વરદાન :-
સ્નેહ નાં બાણ
દ્વારા સ્નેહ માં ઘાયલ કરવા વાળા સ્નેહ અને પ્રાપ્તિ સંપન્ન લવલીન આત્મા ભવ
જેમ લૌકિક રીતે કોઈ,
કોઈ નાં સ્નેહ માં લવલીન હોય છે તો ચહેરા થી, નયનો થી, વાણી થી, અનુભવ થાય છે કે આ
લવલીન છે - આશિક છે-એવી રીતે જ્યારે સ્ટેજ પર જાઓ છો તો જેટલો પોતાની અંદર બાપ નો
સ્નેહ ઈમર્જ હશે એટલું જ સ્નેહનું બાણ બીજાઓ ને પણ સ્નેહ માં ઘાયલ કરી દેશે. ભાષણ
ની લિંક વિચારવી, પોઈન્ટ વારંવાર વિચારવા - આ સ્વરુપ ન હોય, સ્નેહ અને પ્રાપ્તિ નું
સંપન્ન સ્વરુપ, લવલીન સ્વરુપ હોય. ઓથોરિટી બનીને બોલવા થી તેનો પ્રભાવ પડે છે.
સ્લોગન :-
સંપૂર્ણતા
દ્વારા સમાપ્તિ નાં સમય ને સમીપ લાવો.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
આ તો બધા સમજવા લાગ્યા
છે કે આ ‘કોઈ છે’, પરંતુ આ જ છે અને આ એક જ છે, આ હલચલ નું હળ હવે ચલાવો. હમણાં બીજા
પણ છે, આ પણ છે અહીં સુધી પહોંચ્યા છે પરંતુ આ એક જ છે, હવે એવું તીર લગાવો. ધરણી
તો બની ગઈ અને બનતી જશે. પરંતુ જે ફાઉન્ડેશન છે, નવીનતા છે, બીજ છે, તે છે નવું
જ્ઞાન. નિઃસ્વાર્થ પ્રેમ છે, રુહાની પ્રેમ છે આ તો અનુભવ કરે છે પરંતુ હવે પ્રેમ ની
સાથે-સાથે જ્ઞાન નાં ઓથોરિટી વાળા આત્માઓ છો, સત્ય જ્ઞાન ની ઓથોરિટી છે, આ
પ્રત્યક્ષ કરો ત્યારે પ્રત્યક્ષતા થાય.