31-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
છો આધ્યાત્મિક , રુહાની ગુપ્ત સેલવેશન આર્મી ( સૈનિક ), તમારે આખી દુનિયા ને સેલવેજ
કરવાની છે , ડૂબેલા બેડા ને પાર લગાવવાનો છે”
પ્રશ્ન :-
સંગમ પર બાપ કઈ યુનિવર્સિટી ખોલે છે જે આખાં કલ્પ માં નથી હોતી?
ઉત્તર :-
રાજાઈ પ્રાપ્ત કરવા માટે ભણવાની ગોડ ફાધરલી યુનિવર્સિટી અથવા કોલેજ સંગમ પર બાપ જ
ખોલે છે. આવી યુનિવર્સિટી આખાં કલ્પ માં નથી હોતી. આ યુનિવર્સિટી માં ભણવાનું ભણીને
તમે ડબલ સિરતાજ રાજાઓ નાં રાજા બનો છો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો ને પહેલાં-પહેલાં બાબા પૂછે છે અહીં આવીને જ્યારે બેસો છો તો સ્વયં ને
આત્મા સમજી બાપ ને યાદ કરો છો? કારણકે અહીં તમને કોઈ ધંધાદોરી, મિત્ર-સંબંધી વગેરે
પણ નથી. તમે આ વિચાર કરીને આવો છો કે અમે બેહદ નાં બાપ ને મળવા જઈએ છીએ. કોણ કહે
છે? આત્મા શરીર દ્વારા બોલે છે. પારલૌકિક બાપે આ શરીર ઉધાર પર લીધું છે, એનાથી
સમજાવે છે. આ એક જ વાર થાય છે જે બેહદ નાં બાપ આવીને શીખવાડે છે. સ્વયં ને આત્મા
સમજી બાપ ને યાદ કરવાથી તમારો બેડો પાર થશે. દરેક નો બેડો ડૂબેલો છે, જે જેટલો
પુરુષાર્થ કરશે એટલો બેડો પાર થશે. ગાય છે ને - હે માંઝી (કેવટ) બેડી (નૈયા) મારી
પાર લગાવો. હકીકત માં દરેકે પોતાનાં પુરુષાર્થ થી પાર જવાનું છે. જેમ તરતા શીખવાડે
છે પછી શીખી જાય છે તો જાતે જ તરે છે. તે બધી છે શારીરિક વાતો. આ છે રુહાની વાતો.
તમે જાણો છો આત્મા હમણાં કચરા નાં દુબન (નર્ક) માં ફસાઈ ગયો છે. આનાં પર હરણ નું પણ
ઉદાહરણ આપે છે. પાણી સમજી જાય છે, પરંતુ તે હોય છે કીચડ, તો એમાં ફસાઈ જાય છે.
ક્યારેક-ક્યારેક સ્ટીમર્સ, મોટરો વગેરે પણ કીચડ માં ફસાઈ જાય છે. પછી તેને સેલવેજ
કરે છે. તે બધા છે સેલવેશન આર્મી. તમે છો રુહાની. તમે જાણો છો બધા માયા નાં દુબન (દલદલ)
માં બહુજ ફસાયેલા છે, આને માયા નું દુબન કહેવાય છે. બાપ આવીને સમજાવે છે - આનાથી તમે
કેવી રીતે નીકળી શકો છો. એ સેલવેજ કરે છે, તેમાં મદદ જોઈએ મનુષ્ય ને મનુષ્ય ની. અહીં
તો પછી આત્મા જઈને દુબન માં ફસાયો છે. બાપ રસ્તો બતાવે છે આનાથી તમે કેવી રીતે નીકળી
શકો છો. પછી બીજાઓ ને પણ રસ્તો બતાવી શકો છો. પોતાને અને બીજાને રસ્તો બતાવવાનો છે
કે તમારી નાવ આ વિષય સાગર થી ક્ષીર સાગર માં કેવી રીતે જાય? સતયુગ ને કહેવાય છે
ક્ષીર સાગર અર્થાત્ સુખ નો સાગર. આ છે દુઃખ નો સાગર. રાવણ દુઃખ નાં સાગર માં ડુબાડે
છે. બાપ આવીને સુખ નાં સાગર માં લઈ જાય છે. તમને રુહાની સેલવેશન આર્મી કહેવાય છે.
તમે શ્રીમત પર બધાને રસ્તો બતાવો છો. દરેક ને સમજાવો છો - બે બાપ છે, એક હદ નાં,
બીજા બેહદ નાં. લૌકિક બાપ હોવા છતાં પણ બધા પારલૌકિક બાપ ને યાદ કરે છે પરંતુ એમને
જાણતા બિલકુલ નથી. બાબા કોઈ ગ્લાનિ નથી કરતા પરંતુ ડ્રામા નાં રહસ્ય સમજાવે છે. આ
પણ સમજાવવા માટે જ કહે છે કે આ સમયે બધા મનુષ્ય માત્ર પાંચ વિકારો રુપી દલદલ માં
ફસાયેલા આસુરી સંપ્રદાય છે. દૈવી સંપ્રદાય ને આસુરી સંપ્રદાય જઈને નમન કરે છે કારણકે
એ સંપૂર્ણ નિર્વિકારી છે. સંન્યાસીઓ ને નમન કરે છે તે પણ ઘરબાર છોડીને જાય છે.
પવિત્ર રહે છે. આ સંન્યાસીઓ અને દેવતાઓમાં રાત-દિવસ નો ફરક છે. દેવતાઓ નો તો જન્મ
પણ યોગબળ થી થાય છે. આ વાતો ને કોઈ જાણતા નથી. બધા કહે છે ઈશ્વર ની ગતિ મત ન્યારી,
ઈશ્વર નો અંત નથી મેળવી શકાતો. ફક્ત ઈશ્વર કે ભગવાન કહેવાથી એટલો પ્રેમ નથી આવતો.
સૌથી સારો શબ્દ છે બાપ. મનુષ્ય બેહદ નાં બાપ ને નથી જાણતા તો જાણે ઓરફન (અનાથ) છે.
મેગેઝીન માં પણ લખ્યું
છે, મનુષ્ય શું કહે છે અને ભગવાન શું કહે છે. બાપ કોઈ ગાળ નથી આપતાં, બાળકો ને
સમજાવે છે કારણકે બાપ તો બધાને જાણે છે ને? સમજાવવા માટે કહે છે - આમનાં માં આસુરી
ગુણ છે, પરસ્પર લડતા રહે છે. અહીં તો લડવાની જરુર નથી. તે છે કૌરવ અર્થાત્ આસુરી
સંપ્રદાય. આ છે દૈવી સંપ્રદાય. બાપ સમજાવે છે - મનુષ્ય, મનુષ્ય ને મુક્તિ તથા
જીવનમુક્તિ માટે રાજયોગ શીખવાડે આ બની ન શકે. આ સમયે બાપ જ આપ આત્માઓ ને શીખવાડી
રહ્યાં છે. દેહ-અભિમાન, દેહી-અભિમાન માં ફરક જુઓ કેટલો છે! દેહ-અભિમાન થી તમે નીચે
પડતા આવ્યાં છો. બાપ એક જ વાર આવીને તમને દેહી-અભિમાની બનાવે છે. એવું નથી કે તમે
સતયુગ માં દેહ નાં સંબંધ નહીં રાખશો. ત્યાં આ જ્ઞાન નથી રહેતું કે હું આત્મા પરમપિતા
પરમાત્મા ની સંતાન છું. આ જ્ઞાન હમણાં જ તમને મળે છે જે પ્રાય: લોપ થઈ જાય છે. તમે
જ શ્રીમત પર ચાલી પ્રારબ્ધ મેળવો છો. બાપ આવે જ છે રાજયોગ શીખવાડવાં. આવું ભણતર બીજું
કોઈ હોતું નથી. ડબલ સિરતાજ રાજાઓ સતયુગ માં હોય છે. પછી સિંગલ તાજવાળા રાજાઓ ની
રાજાઈ પણ છે, હમણાં તે રાજાઈ નથી રહી, પ્રજા નું પ્રજા પર રાજ્ય છે. આપ બાળકો હમણાં
રાજાઈ માટે ભણો છો, આને ગોડફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિદ્યાલય) કહેવાય છે. તમારું
નામ પણ લખેલું છે. તે લોકો ભલે નામ રાખે છે ગીતા પાઠશાળા. ભણાવે કોણ છે? શ્રીકૃષ્ણ
ભગવાનુવાચ કહી દેશે. હવે કૃષ્ણ તો ભણાવી ન શકે. શ્રીકૃષ્ણ તો પોતે પાઠશાળા માં ભણવા
જાય છે. પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) કેવાં સ્કૂલ માં જાય છે, ત્યાંની
ભાષા જ બીજી છે. એવું પણ નથી કે સંસ્કૃત માં ગીતા ગવાઈ છે. અહીં તો અનેક ભાષાઓ છે.
તો જેવાં રાજા હોય છે તે પોતાની ભાષા ચલાવે છે. સંસ્કૃત ભાષા કોઈ રાજાઓ ની નથી. બાબા
કોઈ સંસ્કૃત નથી શીખવાડતાં. બાપ તો રાજયોગ શીખવાડે છે, સતયુગ માટે.
બાપ કહે છે કામ
મહાશત્રુ છે, આનાં પર જીત મેળવો. પ્રતિજ્ઞા કરાવે છે, અહીં જે પણ આવે છે એમની પાસે
પ્રતિજ્ઞા કરાવાય છે. કામ પર જીત મેળવવા થી તમે જગતજીત બનશો. આ છે મુખ્ય વિકાર. આ
હિંસા દ્વાપર થી ચાલી આવે છે, જેનાથી વામમાર્ગ શરુ થયો. દેવતાઓ કેવી રીતે વામમાર્ગ
માં જાય છે, તેનું પણ મંદિર છે. ત્યાં બહુજ છી-છી ચિત્ર બનાવ્યાં છે. બાકી વામમાર્ગ
માં ક્યારે ગયા, તેની તીથિ-તારીખ તો નથી. સિદ્ધ થાય છે કામ ચિતા પર બેસવા થી કાળા
બને છે પરંતુ નામ-રુપ તો બદલાઈ જાય છે ને? કામ ચિતા પર ચઢવાથી આયરન એજડ બની જાય છે.
હમણાં તો પાંચ તત્વ પણ તમોપ્રધાન છે ને, એટલે શરીર પણ એવાં તમોપ્રધાન બને છે. જન્મ
થી જ કોઈ કેવાં, કોઈ કેવાં થઈ જાય છે! ત્યાં તો એકદમ સુંદર શરીર હોય છે. હમણાં
તમોપ્રધાન હોવાનાં કારણે શરીર પણ એવાં છે. મનુષ્ય ઈશ્વર, પ્રભુ વગેરે ભિન્ન-ભિન્ન
નામો થી યાદ કરે છે પરંતુ એ બિચારાઓ ને ખબર જ નથી. આત્મા પોતાનાં બાપ ને યાદ કરે છે
- હે બાબા, આવીને શાંતિ આપો. અહીં તો કર્મેન્દ્રિયો થી પાર્ટ ભજવી રહ્યાં છે તો
શાંતિ કેવી રીતે મળશે? વિશ્વ માં શાંતિ હતી જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું.
પરંતુ લાખો વર્ષ કલ્પ ની આયુ કહી દીધી છે તો મનુષ્ય બિચારા કેવી રીતે સમજશે. જ્યારે
આમનું (દેવતાઓનું) રાજ્ય હતું તો એક રાજ્ય એક ધર્મ હતો બીજા કોઈ ખંડ માં એવું નથી
કહેતાં કે એક ધર્મ એક રાજ્ય હોય. અહીં આત્મા માંગે છે એક રાજ્ય હોય. તમારો આત્મા
જાણે છે હમણાં આપણે એક રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. ત્યાં આખાં વિશ્વ નાં માલિક
આપણે રહીશું. બાપ આપણને બધું જ આપી દે છે. કોઈ પણ આપણી પાસે થી રાજાઈ છીનવી ન શકે.
આપણે આખાં વિશ્વ નાં માલિક બની જઈએ છીએ. વિશ્વ માં કોઈ સૂક્ષ્મવતન, મૂળવતન નથી હોતું.
આ સૃષ્ટિ નું ચક્ર અહીં જ ફરતું રહે છે. આને બાપ, જે રચયિતા છે તે જ જાણે છે. એવું
નથી કે રચના રચે છે. બાપ આવે જ છે સંગમ પર, જૂની દુનિયા માંથી નવી દુનિયા બનાવવાં.
દૂરદેશ થી બાબા આવેલા છે, તમે જાણો છો નવી દુનિયા આપણા માટે બની રહી છે. બાબા આપણો
આત્માઓ નો શૃંગાર કરી રહ્યાં છે. તેની સાથે પછી શરીરો નો પણ શૃંગાર થઈ જશે. આત્મા
પવિત્ર હોવાથી પછી શરીર પણ સતોપ્રધાન મળશે. સતોપ્રધાન તત્વો થી શરીર બનશે. એમનું
સતોપ્રધાન શરીર છે ને એટલે નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) રહે છે. ગવાય પણ છે ધર્મ
એ શક્તિ છે. હવે શક્તિ મળી ક્યાંથી? એક જ દેવી-દેવતાઓ નો ધર્મ છે જેનાથી શક્તિ મળે
છે. આ દેવતાઓ જ આખાં વિશ્વ નાં માલિક બને છે બીજા કોઈ વિશ્વ નાં માલિક નથી બનતાં.
તમને કેટલી શક્તિ મળે છે. લખેલું પણ છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના
શિવબાબા બ્રહ્મા દ્વારા કરે છે. આ વાતો દુનિયામાં કોઈ જાણે થોડી છે? બાપ કહે છે હું
બ્રાહ્મણ કુળ સ્થાપન કરું છું પછી એમને સૂર્યવંશી ડિનાયસ્ટી (રાજાઈ) માં લઈ આવું
છું. જે સારી રીતે ભણે છે તે પાસ થઈ સૂર્યવંશી માં આવે છે. છે બધી જ્ઞાન ની વાત.
તેમણે પછી સ્થૂળ બાણ હથિયાર વગેરે દેખાડ્યાં છે. બાણ ચલાવવાનું પણ શીખે છે. નાનાં
બાળકો ને પણ બંદૂક ચલાવતા શીખવાડે છે. તમારું પછી છે યોગબાણ. બાપ કહે છે મામેકમ્
યાદ કરશો તો તમારા વિકર્મ વિનાશ થશે. હિંસા ની કોઈ વાત નથી. તમારું ભણતર પણ છે
ગુપ્ત. તમે છો આધ્યાત્મિક, રુહાની સેલવેશન આર્મી. આ કોઈને ખબર નથી કે રુહાની આર્મી
કેવી હોય છે? તમે છો ગુપ્ત, આધ્યાત્મિક, રુહાની સેલવેશન આર્મી. આખી દુનિયા ને તમે
સેલવેજ કરો છો. બધાનો બેડો ડૂબેલો છે. બાકી સોના ની લંકા કોઈ નથી. એવું નથી કે સોના
ની દ્વારકા નીચે ચાલી ગઈ છે, તે નીકળી આવશે. ના, દ્વારકા માં પણ આમનું રાજ્ય હતું
પરંતુ સતયુગ માં હતું. સતયુગી રાજાઓ નો ડ્રેસ જ અલગ હોય છે, ત્રેતા નો અલગ.
ભિન્ન-ભિન્ન ડ્રેસ, ભિન્ન-ભિન્ન રીત-રિવાજ હોય છે. દરેક રાજા નાં રીત-રિવાજ
પોત-પોતાનાં, સતયુગ નું તો નામ લેતા જ દિલ ખુશ થઈ જાય છે. કહે જ છે સ્વર્ગ,
પેરેડાઇઝ પરંતુ મનુષ્ય કાંઈ પણ જાણતા નથી. મુખ્ય તો છે આ દેલવાડા મંદિર. હૂબહૂ તમારું
યાદગાર છે. મોડેલ (નમૂના) તો હંમેશા નાનાં બનાવે છે ને? આ બિલકુલ એક્યુરેટ મોડેલ
છે. શિવબાબા પણ છે, આદિદેવ પણ છે, ઉપર વૈકુંઠ દેખાડ્યું છે. શિવબાબા હશે તો જરુર રથ
પણ હશે. આદિદેવ બેઠાં છે, આ પણ કોઈને ખબર નથી. આ શિવબાબા નો રથ છે. મહાવીર જ રાજાઈ
પ્રાપ્ત કરે છે. આત્મા માં તાકાત કેવી રીતે આવે છે, એ પણ તમે હમણાં સમજો છો. ઘડી-ઘડી
પોતાને આત્મા સમજો. આપણે આત્મા સતોપ્રધાન હતાં તો પવિત્ર હતાં. શાંતિધામ, સુખધામ
માં જરુર પવિત્ર જ રહીશું. હવે બુદ્ધિ માં આવે છે, કેટલી સહજ વાત છે. ભારત સતયુગ
માં પવિત્ર હતું. ત્યાં અપવિત્ર આત્મા રહી ન શકે. આટલાં બધા પતિત આત્માઓ ઉપર કેવી
રીતે જશે? જરુર પવિત્ર બનીને જ જશે. આગ લાગે છે તો પણ બધા આત્માઓ ચાલ્યાં જશે. બાકી
શરીર રહી જાય છે. આ બધી નિશાનીઓ પણ છે. હોળીકા નો અર્થ કોઈ સમજે થોડી છે? આખી દુનિયા
આમાં સ્વાહા થવાની છે. આ જ્ઞાન-યજ્ઞ છે. જ્ઞાન શબ્દ કાઢી બાકી રુદ્ર-યજ્ઞ કહી દે
છે. હકીકત માં આ છે રુદ્ર જ્ઞાન-યજ્ઞ. આ બ્રાહ્મણો દ્વારા જ રચાય છે. સાચાં-સાચાં
બ્રાહ્મણ તમે છો. પ્રજાપિતા બ્રહ્મા નાં તો બધા સંતાન છે ને? બ્રહ્મા દ્વારા જ
મનુષ્ય સૃષ્ટિ રચાય છે. બ્રહ્મા ને જ ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેવાય છે, આમનો
સિજરો (વંશ) હોય છે ને? જેમ અલગ-અલગ સંપ્રદાય નાં સિજરા રાખે છે. તમારી બુદ્ધિ માં
છે કે મૂળવતન માં છે આત્માઓ નો સિજરો, કાયદા મુજબ. શિવબાબા પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર
પછી લક્ષ્મી-નારાયણ વગેરે એ બધા છે મનુષ્ય નાં સિજરા. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
સેલવેશન આર્મી બની સ્વયં ને અને સર્વ ને સાચ્ચો રસ્તો બતાવવાનો છે. આખી દુનિયા ને
વિષય સાગર માંથી સેલવેજ કરવા માટે બાપ નાં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે.
2. જ્ઞાન-યોગ થી
પવિત્ર બની આત્મા નો શૃંગાર કરવાનો છે, શરીર નો નહીં. આત્મા પવિત્ર બનવાથી શરીર નો
શૃંગાર સ્વતઃ થઈ જશે.
વરદાન :-
કિનારો કરવા
ને બદલે દરેક પળ બાપ નો સહારો અનુભવ કરવાવાળા નિશ્ચય બુદ્ધિ વિજયી ભવ
વિજયી ભવ નાં વરદાની
આત્મા દરેક પળ સ્વયં ને સહારા ની નીચે અનુભવ કરે છે. એમનાં મન માં સંકલ્પ માત્ર પણ
બેસહારા કે એકલાપણા નો અનુભવ નથી થતો. ક્યારેય ઉદાસી કે અલ્પકાળ નો હદ નો વૈરાગ નથી
આવતો. તે ક્યારેય કોઈ કાર્ય થી, સમસ્યા થી, વ્યક્તિ થી કિનારો નથી કરતા પરંતુ દરેક
કર્મ કરતા, સામનો કરતા, સહયોગી બનતા બેહદ ની વૈરાગ વૃત્તિ માં રહે છે.
સ્લોગન :-
એક બાપ ની
કંપની માં રહો અને બાપ ને જ પોતાનાં કમ્પેનિયન બનાવો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો
દિવ્ય-બુદ્ધિ રુપી
વિમાન દ્વારા સૌથી ઊંચી ચોટી (ટોચ) ની સ્થિતિ માં સ્થિત થઈ, અવ્યક્ત વતનવાસી બની
વિશ્વ નાં સર્વ આત્માઓ પ્રત્યે શુભભાવના અને શ્રેષ્ઠ કામના નાં સહયોગ ની લહેર ફેલાવો.
યોગ નાં પ્રયોગ દ્વારા દુઃખી-અશાંત આત્માઓને શાંતિ અને શક્તિ નો સકાશ આપો.