02-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
જૂની પતિત દુનિયા થી તમારો બેહદ નો વૈરાગ જોઈએ કારણકે તમારે પાવન બનવાનું છે , તમારી
ચઢતી કળા થી સર્વ નું ભલું થાય છે”
પ્રશ્ન :-
કહેવાય છે, આત્મા સ્વયં નો જ શત્રુ, સ્વયં નો જ મિત્ર છે, સાચ્ચી મિત્રતા શું છે?
ઉત્તર :-
એક બાપ ની શ્રીમત પર સદા ચાલતાં રહેવું - આ સાચ્ચી મિત્રતા છે. સાચ્ચી મિત્રતા છે
એક બાપ ને યાદ કરી પાવન બનવું અને બાપ પાસે થી પૂરો વારસો લેવો. આ મિત્રતા કરવાની
યુક્તિ બાપ જ બતાવે છે. સંગમયુગ પર જ આત્મા સ્વયં નો મિત્ર બને છે.
ગીત :-
તૂને રાત ગવાઈ…
ઓમ શાંતિ!
આમ તો આ ગીત
છે ભક્તિમાર્ગ નાં, આખી દુનિયા માં જે ગીત ગાય છે અથવા શાસ્ત્ર વાંચે છે, તીર્થો પર
જાય છે, તે બધો છે ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ કોને કહેવાય છે, ભક્તિ માર્ગ કોને
કહેવાય છે, આ આપ બાળકો જ સમજો છો. વેદ શાસ્ત્ર, ઉપનિષદ વગેરે આ બધું છે ભક્તિ નું.
અડધોકલ્પ ભક્તિ ચાલે છે અને અડધોકલ્પ પછી જ્ઞાન ની પ્રારબ્ધ ચાલે છે. ભક્તિ
કરતા-કરતા ઉતરવાનું જ છે. ૮૪ પુનર્જન્મ લેતા નીચે ઉતરે છે. પછી એક જન્મ માં તમારી
ચઢતી કળા થાય છે. આને કહેવાય છે જ્ઞાન માર્ગ. જ્ઞાન માટે ગવાયેલું છે એક સેકન્ડ માં
જીવનમુક્તિ. રાવણ રાજ્ય જે દ્વાપર થી ચાલ્યું આવે છે, તે ખતમ થઈ પછી રામરાજ્ય
સ્થાપન થાય છે. ડ્રામા માં જ્યારે તમારા ૮૪ જન્મ પૂરાં થાય છે ત્યારે ચઢતી કળા થી
બધા નું ભલું થાય છે. આ શબ્દ ક્યાંક ને ક્યાંક કોઈ શાસ્ત્રો માં છે. ચઢતી કળા સર્વ
નું ભલું. સર્વ ની સદ્દગતિ કરવા વાળા તો એક જ બાપ છે ને? સંન્યાસી, ઉદાસી તો અનેક
પ્રકાર નાં છે. ખૂબ મત-મતાંતર છે. જેમ શાસ્ત્રો માં લખેલું છે કલ્પ ની આયુ લાખો
વર્ષ, હવે શંકરાચાર્ય ની મત નીકળી ૧૦ હજાર વર્ષ… કેટલો ફરક થઈ જાય છે. કોઈ પછી કહેશે
આટલાં હજાર. કળિયુગ માં છે અનેક મનુષ્ય, અનેક મતો, અનેક ધર્મ. સતયુગ માં હોય છે જ
એક મત. આ બાપ આપ બાળકો ને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું નોલેજ સંભળાવે છે. આ સંભળાવવા
માં પણ કેટલો સમય લાગે છે. સંભળાવતા જ રહે છે. એવું ન કહી શકાય પહેલાં કેમ આ બધું ન
સંભળાવ્યું? સ્કૂલ માં ભણતર નંબરવાર હોય છે. નાનાં બાળકો નાં ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો)
નાનાં હોય છે તો એમને થોડું શીખવાડે છે. પછી જેમ-જેમ ઓર્ગન્સ મોટા થતા જશે, બુદ્ધિ
નું તાળું ખુલતું જશે. ભણતર ધારણ કરતા જશે. નાનાં બાળકો ની બુદ્ધિ માં કાંઈ ધારણા
થઈ ન શકે. મોટા થાય છે તો પછી બેરિસ્ટર, જ્જ વગેરે બને છે, અહીં પણ એવું છે. કોઈ ની
બુદ્ધિ માં ધારણા સારી થાય છે. બાપ કહે છે હું આવ્યો છું પતિત થી પાવન બનાવવાં. તો
હવે પતિત દુનિયાથી વૈરાગ થવો જોઈએ. આત્મા પાવન બને તો પછી પતિત દુનિયા માં રહી ન શકે.
પતિત દુનિયા માં આત્મા પણ પતિત છે, મનુષ્ય પણ પતિત છે. પાવન દુનિયામાં મનુષ્ય પણ
પાવન, પતિત દુનિયામાં મનુષ્ય પણ પતિત રહે છે. આ છે જ રાવણ રાજ્ય. યથા રાજા-રાણી તથા
પ્રજા. આ બધું જ્ઞાન છે બુદ્ધિ થી સમજવા નું. આ સમયે બધાની બાપ સાથે છે વિપરીત
બુદ્ધિ. આપ બાળકો તો બાપ ને યાદ કરો છો. અંદર બાપ માટે પ્રેમ છે. આત્મા માં બાપ માટે
પ્રેમ છે, રીગાર્ડ (આદર) છે કારણકે બાપ ને જાણે છે. અહીં તમે સન્મુખ છો. શિવબાબા
પાસે થી સાંભળી રહ્યાં છો. એ મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ, જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં
સાગર, આનંદ નાં સાગર છે. ગીતા જ્ઞાન દાતા પરમપિતા ત્રિમૂર્તિ શિવ પરમાત્મા ઉવાચ.
ત્રિમૂર્તિ શબ્દ જરુર લખવાનો છે કારણકે ત્રિમૂર્તિ નું તો ગાયન છે ને? બ્રહ્મા
દ્વારા સ્થાપના તો જરુર બ્રહ્મા દ્વારા જ જ્ઞાન સંભળાવશે. શ્રીકૃષ્ણ તો એવું નહીં
કહેશે કે શિવ ભગવાનુવાચ. પ્રેરણા થી તો કાંઈ થતું નથી. નથી એમના માં શિવબાબા ની
પ્રવેશતા થઈ શકતી. શિવબાબા તો પારકા દેશ માં આવે છે. સતયુગ તો શ્રીકૃષ્ણ નો દેશ છે
ને? તો બંને ની મહિમા અલગ-અલગ છે. મુખ્ય વાત જ આ છે.
સતયુગ માં ગીતા તો
કોઈ વાંચતું નથી. ભક્તિ માર્ગ માં તો જન્મ-જન્માંતર વાંચે છે. જ્ઞાનમાર્ગ માં તો તે
હોઈ ન શકે. ભક્તિમાર્ગ માં જ્ઞાન ની વાતો હોતી નથી. હમણાં રચયિતા બાપ જ રચના નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. મનુષ્ય તો રચયિતા હોઈ ન શકે. મનુષ્ય કહી ન શકે હું
રચયિતા છું. બાપ સ્વયં કહે છે - હું મનુષ્ય સૃષ્ટિ નું બીજરુપ છું. હું જ્ઞાન નો
સાગર, પ્રેમ નો સાગર, સર્વ નો સદ્દગતિ દાતા છું. શ્રીકૃષ્ણ ની મહિમા જ અલગ છે. તો આ
પૂરો કોન્ટ્રાસ્ટ (તફાવત) લખવો જોઈએ. જે મનુષ્ય વાંચવાથી ઝટ સમજી જાય કે ગીતા નાં
જ્ઞાન દાતા શ્રીકૃષ્ણ નથી, આ વાત ને સ્વીકાર કરી તો આ તમે જીત મેળવી. મનુષ્ય
શ્રીકૃષ્ણ ની પાછળ કેટલાં હેરાન થાય છે, જેમ શિવ નાં ભક્ત શિવ પર ગળું કાપી નાખવા
તૈયાર થઈ જાય છે, બસ અમારે શિવ ની પાસે જવું છે, એમ તે સમજે છે શ્રીકૃષ્ણ ની પાસે
જવું છે. પરંતુ શ્રીકૃષ્ણ ની પાસે જઈ ન શકે. શ્રીકૃષ્ણ ની પાસે બલિ ચઢવાની વાત નથી
હોતી. દેવીઓ પર બલિ ચઢે છે. દેવતાઓ પર ક્યારેય કોઈ બલિ નહીં ચઢશે. તમે દેવીઓ છો ને?
તમે શિવબાબા નાં બન્યાં છો તો શિવબાબા પર પણ બલિ ચઢે છે. શાસ્ત્રો માં હિંસક વાતો
લખી દીધી છે. તમે તો શિવબાબા નાં બાળકો છો. તન-મન-ધન બલિ ચઢાવો છો, બીજી કોઈ વાત નથી
એટલે શિવ અને દેવીઓ ઉપર બલિ ચઢાવે છે. હવે ગવર્મેન્ટે (સરકારે) શિવ કાશી પર બલિ
ચઢાવવા નું બંધ કરી દીધું છે. હવે તે તલવાર જ નથી. ભક્તિ માર્ગ માં જે આપઘાત કરે છે
એ પણ જાણે પોતાની સાથે શત્રુતા કરવાનો ઉપાય છે. મિત્રતા કરવાનો એક જ ઉપાય છે જે બાપ
બતાવે છે-પાવન બનીને બાપ પાસે થી પૂરો વારસો લો. એક બાપ ની શ્રીમત પર ચાલતાં રહો, આ
જ મિત્રતા છે. કહેવાય છે જીવાત્મા પોતાનો જ શત્રુ છે. પછી બાપ આવીને જ્ઞાન આપે છે
તો જીવાત્મા પોતાનો મિત્ર બને છે, આત્મા પવિત્ર બની બાપ પાસે થી વારસો લે છે,
સંગમયુગ પર દરેક આત્મા ને બાપ આવીને મિત્ર બનાવે છે.આત્મા પોતાનો મિત્ર બને છે,
શ્રીમત મળે છે તો સમજે છે અમે બાપ ની મત પર જ ચાલીશું. પોતાની મત પર અડધોકલ્પ ચાલ્યાં.
હવે શ્રીમત પર સદ્દગતિ મેળવવાની છે, આમાં પોતાની મત ચાલી ન શકે. બાપ તો ફક્ત મત આપે
છે. તમે દેવતા બનવા આવ્યાં છો ને? અહીં સારા કર્મ કરશો તો બીજા જન્મ માં પણ સારું
ફળ મળશે, અમરલોક માં. આ તો છે જ મૃત્યુલોક. આ રહસ્ય પણ આપ બાળકો જ જાણો છો. તે પણ
નંબરવાર. કોઈની બુદ્ધિ માં સારી રીતે ધારણા થાય છે, કોઈ ધારણા નથી કરી શકતા તો એમાં
શિક્ષક શું કરી શકે છે? શિક્ષક પાસે કૃપા અથવા આશીર્વાદ માંગશે શું? શિક્ષક તો ભણાવી
ને પોતાનાં ઘરે ચાલ્યાં જાય છે. સ્કૂલ માં પહેલાં-પહેલાં ખુદા ની બંદગી (ઈશ્વરને
પ્રાર્થના) આવીને કરે છે-હે ખુદા, અમને પાસ કરાવજો તો પછી અમે ભોગ લગાવીશું. શિક્ષક
ને ક્યારેય નહીં કહેશે કે આશીર્વાદ કરો. આ સમયે પરમાત્મા આપણા બાપ પણ છે તો શિક્ષક
પણ છે. બાપ નાં આશીર્વાદ તો અન્ડરસ્ટુડ (હોય) છે જ. બાપ બાળકો ને પ્રેમ કરે છે,
બાળક આવે તો એમને ધન આપું. તો આશીર્વાદ થયા ને? આ એક કાયદો છે. બાળક ને તો બાપ પાસે
થી વારસો મળે છે. હવે તો તમોપ્રધાન જ થતા જાય છે. જેવાં બાપ તેવાં બાળકો.
દિવસે-દિવસે દરેક ચીજ તમોપ્રધાન થતી જાય છે. તત્વ પણ તમોપ્રધાન જ થતા જાય છે. આ છે
જ દુઃખધામ. ૪૦ હજાર વર્ષ હજી વધારે આયુષ્ય હોય તો શું હાલ થઈ જશે? મનુષ્યો ની બુદ્ધિ
બિલકુલ તમોપ્રધાન બની ગઈ છે.
હમણાં આપ બાળકો ની
બુદ્ધિ માં બાપ ની સાથે યોગ રાખવા થી પ્રકાશ આવી ગયો છે. બાપ કહે છે જેટલાં યાદ માં
રહેશો એટલી લાઈટ વધતી જશે. યાદ થી આત્મા પવિત્ર બને છે. લાઈટ વધતી જાય છે. યાદ જ નહીં
કરશો તો લાઈટ મળશે નહીં. યાદ થી લાઈટ ની વૃદ્ધિ થશે. યાદ ન કર્યા અને કોઈ વિકર્મ કરી
લીધું તો લાઈટ ઓછી થઈ જશે. તમે પુરુષાર્થ કરો છો સતોપ્રધાન બનવાનો. આ ખૂબ સમજવાની
વાતો છે. યાદ થી જ તમારો આત્મા પવિત્ર થતો જશે. તમે લખી પણ શકો છો આ રચયિતા અને રચના
નું જ્ઞાન શ્રીકૃષ્ણ આપી ન શકે. તે તો છે પ્રારબ્ધ. આ પણ લખી દેવું જોઈએ કે ૮૪ માં
અંતિમ જન્મ માં શ્રીકૃષ્ણ નો આત્મા ફરી થી જ્ઞાન લઈ રહ્યો છે પછી ફર્સ્ટ નંબર માં
જાય છે. બાપે આ પણ સમજાવ્યું છે સતયુગ માં ૯ લાખ જ હશે, પછી એનાં થી વૃદ્ધિ પણ થશે
ને? દાસ-દાસીઓ પણ ખૂબ હશે ને, જે પૂરાં ૮૪ જન્મ લે છે. ૮૪ જન્મ જ ગણાય છે. જે સારી
રીતે પરીક્ષા પાસ કરશે તે પહેલાં-પહેલાં આવશે. જેટલાં મોડે થી જશે તો મકાન જુનું તો
કહેવાશે ને? નવું મકાન બને છે પછી દિવસે-દિવસે આયુ ઓછી થતી જશે. ત્યાં તો સોના નાં
મહેલ બને છે, તે તો જૂનાં થઈ ન શકે. સોનું તો સદૈવ ચમકતું જ રહેશે. તો પણ સાફ જરુર
કરવું પડે. દાગીના પણ ભલે સાચાં સોના નાં બનાવો તો પણ અંતે ચમક તો ઓછી થાય છે, પછી
તેને પોલીશ જોઈએ. આપ બાળકો ને સદૈવ એ ખુશી રહેવી જોઈએ કે આપણે નવી દુનિયા માં જઈએ
છીએ. આ નર્ક માં આ અંતિમ જન્મ છે. આ આંખો થી જે જુઓ છો, જાણો છો આ જૂની દુનિયા, જૂનું
શરીર છે. હવે આપણે સતયુગ નવી દુનિયામાં નવું શરીર લેવાનું છે. ૫ તત્વ પણ નવાં હોય
છે. એવું વિચાર સાગર મંથન ચાલવું જોઈએ. આ ભણતર છે ને? અંત સુધી તમારું આ ભણતર ચાલશે.
ભણતર બંધ થયું તો વિનાશ થઈ જશે. તો પોતાને સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સમજી આ ખુશી માં
રહેવું જોઈએ ને? ભગવાન આપણને ભણાવે છે. આ ખુશી કોઈ ઓછી થોડી છે? પરંતુ સાથે-સાથે
માયા પણ ઉલ્ટા કામ કરાવી લે છે. ૫-૬ વર્ષ પવિત્ર રહે પછી માયા પાડી દે. એક વખત પડ્યા
તો પછી તે અવસ્થા બની ન શકે. આપણે પડ્યા છીએ તો તે ઘૃણા આવે છે. હવે આપ બાળકોએ બધી
સ્મૃતિ રાખવાની છે. આ જન્મ માં જે પાપ કર્યા છે, દરેક આત્મા ને પોતાનાં જીવન ની તો
ખબર જ છે ને? કોઈ મંદબુદ્ધિ, કોઈ વિશાળબુદ્ધિ હોય છે. નાનપણ ની હિસ્ટ્રી (જૂની વાતો)
યાદ તો રહે છે ને? આ બાબા પણ નાનપણ ની હિસ્ટ્રી સંભળાવે છે ને? બાબા ને તે મકાન
વગેરે પણ યાદ છે. પરંતુ હમણાં તો ત્યાં પણ બધા નવાં મકાન બની ગયા હશે. ૬ વર્ષ થી
લઈને પોતાની જીવન કહાણી યાદ રહે છે. જો ભૂલી ગયા તો ડલ બુદ્ધિ કહેવાશે. બાપ કહે છે
પોતાની જીવન કહાણી લખો. લાઈફ (જીવન) ની વાત છે ને? ખબર પડે છે લાઈફ માં કેટલાં
ચમત્કાર હતાં. ગાંધી, નેહરુ વગેરે નાં કેટલાં મોટા-મોટા વોલ્યુમ (પુસ્તકો) બને છે.
લાઈફ તો હકીકત માં તમારી ખૂબ વેલ્યુબલ છે. વન્ડરફુલ લાઈફ આ છે. આ છે મોસ્ટ વેલ્યુબલ,
અમૂલ્ય જીવન. આનું મૂલ્ય કથન નથી કરી શકાતું. આ સમયે તમે જ સર્વિસ કરો છો. આ
લક્ષ્મી-નારાયણ કાંઈ પણ સર્વિસ નથી કરતાં. તમારી લાઈફ ખૂબ વેલ્યુબલ છે, જ્યારે
બીજાઓ નું પણ એવું જીવન બનાવવા ની સર્વિસ કરો છો. જો સારી સર્વિસ કરે છે તે ગાયન
લાયક હોય છે. વૈષ્ણવ દેવી નું પણ મંદિર છે ને? હમણાં તમે સાચાં-સાચાં વૈષ્ણવ બનો
છો. વૈષ્ણવ એટલે જે પવિત્ર છે. હમણાં તમારું ખાવા-પીવાનું પણ વૈષ્ણવ છે. પહેલાં
નંબર નાં વિકાર માં તો તમે વૈષ્ણવ (પવિત્ર) છો જ. જગતઅંબા નાં આ બધા બાળકો
બ્રહ્માકુમાર-કુમારીઓ છે ને? બ્રહ્મા અને સરસ્વતી. બાકી બાળકો છે એમનાં સંતાન.
નંબરવાર દેવીઓ પણ છે, જેમની પૂજા થાય છે. બાકી આટલી ભુજાઓ વગેરે આપી છે તે બધી છે
ફાલતું. તમે અનેક ને આપ સમાન બનાવો છો તો ભુજાઓ આપી દીધી છે. બ્રહ્મા ને પણ ૧૦૦ ભુજા
વાળા, હજાર ભુજા વાળા દેખાડે છે. આ બધી ભક્તિ માર્ગ ની વાતો છે. તમને પછી બાપ કહે
છે દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. કોઈ ને પણ દુઃખ ન આપો. કોઈને ઉલ્ટો-સુલ્ટો રસ્તો
બતાવી સત્યાનાશ નહીં કરો. એક જ મુખ્ય વાત સમજાવવી જોઈએ કે બાપ અને વારસા ને યાદ કરો.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ગાયન તથા
પૂજન યોગ્ય બનવા માટે પાક્કા વૈષ્ણવ બનવાનું છે. ખાવા-પીવા ની શુદ્ધિ ની સાથે-સાથે
પવિત્ર રહેવાનું છે. આ વેલ્યુબલ જીવન માં સર્વિસ કરી અનેક નું જીવન શ્રેષ્ઠ બનાવવા
નું છે.
2. બાપ ની સાથે એવો
યોગ રાખવાનો છે જે આત્મા ની લાઈટ વધતી જાય. કોઈ પણ વિકર્મ કરી લાઈટ ઓછી નથી કરવાની.
પોતાની સાથે મિત્રતા કરવાની છે.
વરદાન :-
સ્વ - સ્થિતિ
ની સીટ પર સ્થિત રહી પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા માસ્ટર રચયિતા ભવ
કોઈપણ પરિસ્થિતિ,
પ્રકૃતિ દ્વારા આવે છે એટલે પરિસ્થિતિ રચના છે અને સ્વ-સ્થિતિ વાળા રચયિતા છે.
માસ્ટર રચયિતા તથા માસ્ટર સર્વશક્તિવાન્ ક્યારેય હાર ખાઈ ન શકે. અસંભવ છે. જો કોઈ
પોતાની સીટ છોડે છે તો હારી જાય છે. સીટ છોડવી અર્થાત્ શક્તિહીન બનવું. સીટ નાં
આધાર પર શક્તિઓ સ્વતઃ આવે છે. જે સીટ થી નીચે આવી જાય એમને માયા ની ધૂળ લાગી જાય
છે. બાપદાદા નાં લાડલા, મરજીવા જન્મધારી બ્રાહ્મણ ક્યારેય દેહ અભિમાન ની માટી માં
રમી ન શકે.
સ્લોગન :-
દૃઢતા કઠોર
સંસ્કારો ને પણ મીણ ની જેમ પીગળાવી (ખતમ કરી) દે છે.
અવ્યક્ત ઇશારા :- “
કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
જેવી રીતે જ્ઞાન
સ્વરુપ છો એવી રીતે સ્નેહ સ્વરુપ બનો, જ્ઞાન અને સ્નેહ બંને કંબાઇન્ડ છો કારણકે
જ્ઞાન બીજ છે, પાણી સ્નેહ છે. જો બીજ ને પાણી નહીં મળશે તો ફળ નહીં આપશે. જ્ઞાન ની
સાથે દિલ નો સ્નેહ છે તો પ્રાપ્તિ નું ફળ મળશે.