04-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ તમને અવિનાશી જ્ઞાન - રત્નો નું દાન આપે છે , તમે પછી બીજાઓને દાન આપતા રહો , આ જ દાન થી સદ્દગતિ થઈ જશે”
પ્રશ્ન :-
કયો નવો રસ્તો આપ બાળકો સિવાય કોઈ પણ નથી જાણતાં?

ઉત્તર :-
ઘર નો રસ્તો તથા સ્વર્ગ જવાનો રસ્તો હમણાં બાપ દ્વારા તમને મળ્યો છે. તમે જાણો છો શાંતિધામ આપણું આત્માઓ નું ઘર છે, સ્વર્ગ અલગ છે, શાંતિધામ અલગ છે. આ નવો રસ્તો તમારા સિવાય કોઈ પણ નથી જાણતાં. તમે કહો છો હવે કુંભકરણ ની નિંદર છોડો, આંખ ખોલો, પાવન બનો. પાવન બનીને જ ઘરે જઈ શકશો.

ગીત :-
જાગ સજનિયાઁ જાગ…

ઓમ શાંતિ!
ભગવાનુવાચ. આ તો બાપે સમજાવ્યું છે કે મનુષ્ય ને તથા દેવતાઓ ને ભગવાન નથી કહેવાતાં કારણકે એમનું સાકારી રુપ છે. બાકી પરમપિતા પરમાત્મા નથી આકારી, નથી સાકારી રુપ એટલે એમને શિવ પરમાત્માય નમઃ કહેવાય છે. જ્ઞાન નાં સાગર એ એક જ છે. કોઈ મનુષ્ય માં જ્ઞાન હોઈ ન શકે. કોનું જ્ઞાન? રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન અથવા આત્મા અને પરમાત્મા નું આ જ્ઞાન કોઈ માં નથી. તો બાપ આવીને જગાડે છે-હે સજનીઓ, હે ભક્તિઓ જાગો. બધા મેલ (પુરુષ) અથવા ફીમેલ (સ્ત્રી) ભક્તિઓ છે. ભગવાન ને યાદ કરે છે. બધી બ્રાઈડસ (સજનીઓ) યાદ કરે છે એક બ્રાઈડગ્રુમ (સાજન) ને. બધા આશૂક આત્માઓ પરમપિતા પરમાત્મા માશૂક ને યાદ કરે છે. બધી સીતાઓ છે, રામ એક પરમપિતા પરમાત્મા છે. રામ શબ્દ કેમ કહે છે? રાવણ રાજ્ય છે ને? તો તેની તુલના માં રામ રાજ્ય કહેવાય છે. રામ છે બાપ, જેમને ઈશ્વર પણ કહે છે, ભગવાન પણ કહે છે. અસલી (સાચ્ચું) નામ એમનું છે શિવ. તો હવે કહે છે જાગો, હવે નવયુગ આવે છે. જૂનો ખતમ થઈ રહ્યો છે. આ મહાભારત લડાઈ પછી સતયુગ સ્થાપન થાય છે અને આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે. જૂનો કળિયુગ ખતમ થઈ રહ્યો છે એટલે બાપ કહે છે-બાળકો કુંભકરણ ની નિંદર છોડો. હવે આંખ ખોલો. નવી દુનિયા આવે છે. નવી દુનિયા ને સ્વર્ગ, સતયુગ કહેવાય છે. આ છે નવો રસ્તો. આ ઘરે તથા સ્વર્ગ માં જવાનો રસ્તો કોઈ પણ જાણતું નથી. સ્વર્ગ અલગ છે, શાંતિધામ જ્યાં આત્માઓ રહે છે, તે અલગ છે. હવે બાપ કહે છે જાગો, તમે રાવણ રાજ્ય માં પતિત થઈ ગયા છો. આ સમયે એક પણ પવિત્ર આત્મા હોઈ ન શકે. પુણ્ય આત્મા નહીં કહેવાશે. ભલે મનુષ્ય દાન-પુણ્ય કરે છે, પરંતુ પવિત્ર આત્મા તો એક પણ નથી. અહીં કળિયુગ માં છે પતિત આત્માઓ, સતયુગ માં છે પાવન આત્માઓ, એટલે કહે છે-હે શિવબાબા, આવીને અમને પાવન આત્મા બનાવો. આ પવિત્રતા ની વાત છે. આ સમયે બાપ આવીને આપ બાળકોને અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન આપે છે. કહે છે તમે પણ બીજાઓને દાન આપતા રહો તો ૫ વિકારો નું ગ્રહણ છૂટી જાય. ૫ વિકારો નું દાન આપો તો દુઃખ નું ગ્રહણ છૂટી જાય. પવિત્ર બની સુખધામ માં ચાલ્યા જશો. ૫ વિકારો માં નંબરવન છે કામ, તેને છોડી પવિત્ર બનો. સ્વયં પણ કહે છે-હે પતિત-પાવન, અમને પાવન બનાવો. પતિત વિકારી ને કહેવાય છે. આ સુખ અને દુઃખ નો ખેલ ભારત માટે જ છે. બાપ ભારત માં જ આવીને સાધારણ તન માં પ્રવેશ કરે છે પછી તેમની પણ બાયોગ્રાફી (જીવન કહાણી) સંભળાવે છે. આ છે બધા બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ, પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન. તમે બધાને પવિત્ર બનવાની યુક્તિ બતાવો છો. બ્રહ્માકુમાર અને કુમારીઓ તમે વિકાર માં જઈ ન શકો. આપ બ્રાહ્મણો નો આ એક જ જન્મ છે. દેવતા વર્ણ માં તમે ૨૦ જન્મ લો છો, વૈશ્ય, શૂદ્ર વર્ણ માં ૬૩ જન્મ. બ્રાહ્મણ વર્ણ નો આ એક અંતિમ જન્મ છે, જેમાં જ પવિત્ર બનવાનું છે. બાપ કહે છે પવિત્ર બનો. બાપ ની યાદ અથવા યોગબળ થી વિકર્મ ભસ્મ થશે. આ એક જન્મ પવિત્ર બનવાનું છે. સતયુગ માં તો કોઈ પતિત હોતું નથી. હમણાં આ અંતિમ જન્મ પાવન બનશો તો ૨૧ જન્મ પાવન રહેશો. પાવન હતાં, હવે પતિત બન્યા છો. પતિત છે ત્યારે તો બોલાવે છે. પતિત કોણે બનાવ્યા છે? રાવણ ની આસુરી મતે. મારા સિવાય આપ બાળકો ને રાવણ રાજ્ય થી, દુઃખ થી કોઈ પણ લિબરેટ (મુક્ત) કરી ન શકે. બધા કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયા છે. મારે આવીને જ્ઞાન ચિતા પર બેસાડવા પડે છે. જ્ઞાન જળ નાખવું પડે છે. સર્વ ની સદ્દગતિ કરવી પડે. જે સારી રીતે ભણતર ભણે છે એમની જ સદ્દગતિ થાય છે. બાકી બધા ચાલ્યાં જાય છે શાંતિધામ માં. સતયુગ માં ફક્ત દેવી-દેવતાઓ છે, એમને જ સદ્દગતિ મળેલી છે. બાકી સર્વ ને ગતિ અથવા મુક્તિ મળે છે. ૫ હજાર વર્ષ પહેલાં આ દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. લાખો વર્ષ ની વાત નથી. હવે બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, મુજ બાપ ને યાદ કરો. મનમનાભવ શબ્દ તો પ્રસિદ્ધ છે. ભગવાનુવાચ-કોઈ પણ દેહધારી ને ભગવાન નથી કહેવાતાં. આત્માઓ તો એક શરીર છોડી બીજું લે છે. ક્યારેક સ્ત્રી, ક્યારેક પુરુષ બને છે. ભગવાન ક્યારેય પણ જન્મ-મરણ નાં ખેલ માં નથી આવતાં. આ ડ્રામા અનુસાર નોંધ છે. એક જન્મ ન મળે બીજા થી. ફરી તમારો આ જન્મ રીપીટ થશે તો આ એક્ટ, આ ફિચર્સ ફરી લેશો. આ ડ્રામા અનાદિ પૂર્વ નિર્ધારિત છે. આ બદલાઈ નથી શકતો. શ્રીકૃષ્ણ નું જે શરીર સતયુગ માં હતું તે ફરી ત્યાં મળશે. એ આત્મા તો હમણાં અહીં છે. તમે હમણાં જાણો છો આપણે જ બનીશું. આ લક્ષ્મી-નારાયણ નાં ફિચર્સ એક્યુરેટ નથી. બનશે ફરી પણ એ જ. આ વાતો નવાં કોઈ સમજી ન શકે. સારી રીતે જ્યારે કોઈને સમજાવો ત્યારે ૮૪ નું ચક્ર જાણશે અને સમજશે બરોબર દરેક જન્મ માં નામ, રુપ, ફિચર્સ વગેરે અલગ-અલગ હોય છે. હમણાં આમનાં અંતિમ ૮૪ માં જન્મ નાં ફિચર્સ આ છે એટલે નારાયણ નાં ફિચર્સ થોડા-થોડા એવા દેખાડયા છે. નહીં તો મનુષ્ય સમજી ન શકે.

આપ બાળકો જાણો છો - મમ્મા-બાબા જ આ લક્ષ્મી-નારાયણ બને છે. અહીં તો ૫ તત્વ પવિત્ર નથી. આ શરીર બધા પતિત છે. સતયુગ માં શરીર પણ પવિત્ર હોય છે. શ્રીકૃષ્ણ ને મોસ્ટ બ્યુટીફુલ (સૌથી સુંદર) કહે છે. નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) હોય છે. અહીં વિલાયત માં ભલે ગોરા મનુષ્ય છે પરંતુ તેમને દેવતા થોડી કહેવાશે? દૈવીગુણ તો નથી ને? તો બાપ કેટલું સારી રીતે સમજાવે છે. આ છે ઊંચા માં ઊંચું ભણતર, જેનાંથી તમારી કેટલી ઊંચી કમાણી થાય છે. અગણિત હીરા-ઝવેરાત, ધન હોય છે. ત્યાં તો હીરા-ઝવેરાત નાં મહેલ હતાં. હમણાં તે બધું ગુમ થઈ ગયું છે. તો તમે કેટલાં ધનવાન બનો છો. અપરમઅપાર કમાણી છે ૨૧ જન્મો માટે, આમાં ખૂબ મહેનત જોઈએ. દેહી-અભિમાની બનવાનું છે, આપણે આત્મા છીએ, આ જૂનું શરીર છોડી હવે પાછું પોતાનાં ઘરે જવાનું છે. બાપ હવે લેવા માટે આવ્યા છે. આપણે આત્માએ ૮૪ જન્મ હવે પૂરા કર્યા, હવે ફરી પાવન બનવાનું છે, બાપ ને યાદ કરવાના છે. નહીં તો કયામત નો સમય છે. સજાઓ ખાઈને પાછા ચાલ્યા જઈશું. હિસાબ-કિતાબ તો બધાએ ચૂક્તુ કરવાના જ છે. ભક્તિ માર્ગ માં કાશી કલવટ ખાતા હતાં તો પણ કોઈને મુક્તિ નથી મળતી. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ. આમાં જીવઘાત કરવાની જરુર નથી રહેતી. તે છે જીવઘાત. છતાં પણ ભાવના રહે છે કે મુક્તિ તો મેળવીએ એટલે પાપો નો હિસાબ-કિતાબ ચૂક્તુ થઈ ફરી ચાલુ થાય છે. હવે તો કાશી કલવટ નું કોઈ મુશ્કેલ સાહસ રાખે છે. બાકી મુક્તિ તથા જીવનમુક્તિ ન મળી શકે. બાપ વગર જીવનમુક્તિ કોઈ આપી જ ન શકે. આત્માઓ આવતા રહે છે પછી પાછા કેવી રીતે જશે? બાપ જ આવીને સર્વ ની સદ્દગતિ કરી પાછા લઈ જશે. સતયુગ માં ખૂબ થોડા મનુષ્ય રહે છે. આત્મા નો તો ક્યારેય વિનાશ નથી થતો. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. સતયુગ માં આયુષ્ય બહુ જ લાંબું હોય છે. દુઃખ ની વાત નથી. એક શરીર છોડી બીજું લઈ લે છે. જેમ સર્પ નું ઉદાહરણ છે, તેને મરવું નથી કહેવાતું. દુઃખ ની વાત નથી. સમજે છે હવે સમય પૂરો થયો છે, આ શરીર ને છોડી બીજું લેશે. આપ બાળકોએ આ શરીર થી ડિટેચ (અલગ) થવાનો અભ્યાસ અહીં જ કરવાનો છે. આપણે આત્મા છીએ, હવે આપણે ઘરે જવાનું છે પછી નવી દુનિયામાં આવીશું, નવી ખાલ (નવું શરીર) લઈશું, આ અભ્યાસ કરો. તમે જાણો છો આત્મા ૮૪ શરીર લે છે. મનુષ્યોએ પછી ૮૪ લાખ કહી દીધાં છે. બાપ માટે તો પછી અસંખ્ય ઠીક્કર-ભિત્તર માં કહી દે છે. આને કહેવાય છે ધર્મ ની ગ્લાનિ. મનુષ્ય સ્વચ્છ બુદ્ધિ થી બિલકુલ તુચ્છ બની જાય છે. હવે બાપ તમને સ્વચ્છ બુદ્ધિ બનાવે છે. સ્વચ્છ બનો છો યાદ થી. બાપ કહે છે હવે નવયુગ આવે છે, તેની નિશાની આ મહાભારત લડાઈ છે. આ એ જ મૂસળો વાળી લડાઈ છે, જેમાં અનેક ધર્મ વિનાશ, એક ધર્મ ની સ્થાપના થઈ હતી, તો જરુર ભગવાન હશે ને? શ્રીકૃષ્ણ અહીં કેવી રીતે આવી શકે? જ્ઞાન નાં સાગર નિરાકાર કે શ્રીકૃષ્ણ? શ્રીકૃષ્ણ ને આ જ્ઞાન જ નહીં હશે. આ જ્ઞાન જ ગુમ થઈ જાય છે. તમારા પણ પછી ભક્તિમાર્ગ માં ચિત્ર બનશે. તમે પૂજ્ય જ પુજારી બનો છો, કળા ઓછી થઈ જાય છે. આયુષ્ય પણ ઓછું થતું જાય છે કારણકે ભોગી બની જાઓ છો. ત્યાં છે યોગી. એવું નથી કે કોઈ ની યાદ માં યોગ લગાવો છો. ત્યાં છો જ પવિત્ર. શ્રીકૃષ્ણ ને પણ યોગેશ્વર કહેવાય છે. આ સમયે શ્રીકૃષ્ણ નો આત્મા બાપ ની સાથે યોગ લગાવી રહ્યો છે. શ્રીકૃષ્ણ નો આત્મા આ સમયે યોગેશ્વર છે, સતયુગ માં યોગેશ્વર નહીં કહેવાશે. ત્યાં તો પ્રિન્સ (રાજકુમાર) બને છે. તો તમારી અંત માં એવી અવસ્થા રહેવી જોઈએ જે બાપ સિવાય બીજા કોઈ શરીર ની યાદ ન રહે. શરીર થી અને જૂની દુનિયા થી મમત્વ નિકળી જાય. સંન્યાસી રહે તો જૂની દુનિયામાં છે પરંતુ ઘરબાર થી મમત્વ ખતમ કરી દે છે. બ્રહ્મ ને ઈશ્વર સમજી તેમની સાથે યોગ લગાવે છે. પોતાને બ્રહ્મ જ્ઞાની, તત્વ જ્ઞાની કહે છે. સમજે છે અમે બ્રહ્મ માં લીન થઈ જઈશું. બાપ કહે છે આ બધું ખોટું છે. સત્ય તો હું છું, મને જ સત્ય કહેવાય છે.

તો બાપ સમજાવે છે યાદ ની યાત્રા ખૂબ પાક્કી જોઈએ. જ્ઞાન તો ખૂબ સહજ છે. દેહી-અભિમાની બનવામાં જ મહેનત છે. બાપ કહે છે કોઈનો પણ દેહ યાદ ન આવે, આ છે ભૂતો ની યાદ, ભૂત પૂજા. હું તો અશરીરી છું, તમારે યાદ કરવાનો છે મને. આ આંખો થી જોવા છતાં બુદ્ધિ થી બાપ ને યાદ કરો. બાપ નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલો તો ધર્મરાજ ની સજાઓ થી છૂટી જશો. પાવન બનશો તો સજાઓ ખતમ થઈ જશે, ખૂબ ઊંચી મંઝિલ છે. પ્રજા બનવું તો ખૂબ સહજ છે, તેમાં પણ સાહૂકાર પ્રજા, ગરીબ પ્રજા કોણ-કોણ બની શકે છે, બધું સમજાવે છે. અંત માં તમારી બુદ્ધિ નો યોગ રહેવો જોઈએ બાપ અને ઘર સાથે. જેમ એક્ટર્સ નો નાટક માં પાર્ટ પૂરો થાય છે તો બુદ્ધિ ઘર માં ચાલી જાય છે. આ છે બેહદ ની વાત. તે હોય છે હદ ની આવક, આ છે બેહદ ની આવક. સારા એક્ટર્સ ની આવક પણ ખૂબ હોય છે ને? તો બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં બુદ્ધિયોગ ત્યાં લગાવવાનો છે. તે આશૂક-માશૂક હોય છે એક-બીજા નાં. અહીં તો બધા આશૂક છે એક માશૂક નાં. એમને જ બધા યાદ કરે છે. વન્ડરફુલ મુસાફર છે ને? આ સમયે આવ્યા છે બધા દુઃખો થી છોડાવીને સદ્દગતિ માં લઈ જવા માટે. એમને કહેવાય છે સાચાં-સાચાં માશૂક. તે એક-બીજા નાં શરીર પર આશૂક હોય છે, વિકાર ની વાત નથી. તેને કહેવાશે દેહ-અભિમાન નો યોગ. તે ભૂતો ની યાદ થઈ ગઈ. મનુષ્ય ને યાદ કરવા એટલે ૫ ભૂતો ને, પ્રકૃતિ ને યાદ કરવા. બાપ કહે છે પ્રકૃતિ ને ભૂલી મને યાદ કરો. મહેનત છે ને અને પછી દૈવીગુણ પણ જોઈએ. કોઈની સાથે બદલો લેવો, આ પણ આસુરી ગુણ છે. સતયુગ માં હોય જ છે એક ધર્મ, બદલાની વાત નથી. એ છે જ અદ્વેત દેવતા ધર્મ જે શિવબાબા વગર કોઈ સ્થાપન કરી ન શકે. સૂક્ષ્મવતનવાસી દેવતાઓ ને કહેવાશે ફરિશ્તા. આ સમયે તમે છો બ્રાહ્મણ પછી ફરિશ્તા બનશો. ફરી પાછા જશો ઘરે પછી નવી દુનિયામાં આવીને દૈવી ગુણ વાળા મનુષ્ય અર્થાત્ દેવતા બનશો. હમણાં શૂદ્ર થી બ્રાહ્મણ બનો છો. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળક ન બને તો વારસો કેવી રીતે લેશે? આ પ્રજાપિતા બ્રહ્મા અને મમ્મા, તે પછી લક્ષ્મી-નારાયણ બને છે. હવે જુઓ તમને જૈન લોકો કહે છે અમારો જૈન ધર્મ સૌથી જૂનો છે. હવે હકીકત માં મહાવીર તો આદિ દેવ બ્રહ્મા ને જ કહે છે. છે બ્રહ્મા જ, પરંતુ કોઈ જૈન મુનિ આવ્યા તો તેમને મહાવીર નામ રાખી દીધું. હમણાં તમે બધા મહાવીર છો ને? માયા પર જીત મેળવી રહ્યા છો. તમે બધા બહાદુર બનો છો. સાચાં-સાચાં મહાવીર-મહાવીરણીઓ તમે છો. તમારું નામ છે શિવ શક્તિ, સિંહ પર સવારી છે અને મહારથીઓની હાથી પર. તો પણ બાપ કહે છે ખૂબ ઊંચી મંઝિલ છે. એક બાપ ને યાદ કરવાના છે તો વિકર્મ વિનાશ થાય, બીજો કોઈ રસ્તો નથી. યોગબળ થી તમે વિશ્વ પર રાજ્ય કરો છો. આત્મા કહે છે, હવે મારે ઘરે જવાનું છે, આ જૂની દુનિયા છે, આ છે બેહદ નો સંન્યાસ. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનવાનું છે અને ચક્ર ને સમજવાથી ચક્રવર્તી રાજા બની જશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ધર્મરાજ ની સજાઓ થી બચવા માટે કોઈ નાં પણ દેહ ને યાદ નથી કરવાનો, આ આંખો થી બધું જોતા એક બાપ ને યાદ કરવાના છે, અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. પાવન બનવાનું છે.

2. મુક્તિ અને જીવનમુક્તિ નો રસ્તો બધાને બતાવવાનો છે. હવે નાટક પૂરું થયું, ઘરે જવાનું છે - આ સ્મૃતિ થી બેહદ ની આવક જમા કરવાની છે.

વરદાન :-
એક સેકન્ડ ની બાજી થી આખા કલ્પ ની તકદીર બનાવવા વાળા શ્રેષ્ઠ તકદીરવાન ભવ

આ સંગમ નાં સમય ને વરદાન મળ્યું છે જે ઈચ્છો, જેવું ઈચ્છો, જેટલું ઈચ્છો એટલું ભાગ્ય બનાવી શકો છો કારણકે ભાગ્ય વિધાતા બાપે તકદીર બનાવવાની ચાવી બાળકો નાં હાથ માં આપી છે. લાસ્ટ વાળા પણ ફાસ્ટ જઈને ફર્સ્ટ આવી શકે છે. ફક્ત સેવાઓ નાં વિસ્તાર માં સ્વયં ની સ્થિતિ સેકન્ડ માં સાર સ્વરુપ બનાવવાનો અભ્યાસ કરો. હમણાં-હમણાં ડાયરેકશન મળે એક સેકન્ડ માં માસ્ટર બીજ બની જાઓ તો સમય ન લાગે. આ એક સેકન્ડ ની બાજી થી આખા કલ્પ ની તકદીર બનાવી શકો છો.

સ્લોગન :-
ડબલ સેવા દ્વારા પાવરફુલ વાયુમંડળ બનાવો તો પ્રકૃતિ દાસી બની જશે.

અવ્યક્ત ઈશારા - એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

અનેક વૃક્ષોની ડાળીઓ હવે એક જ ચંદન નું વૃક્ષ થઈ ગયું. લોકો કહે છે - બે ચાર માતાઓ પણ એક સાથે ભેગી નથી રહી શકતી અને હમણાં માતાઓ આખા વિશ્વ માં એકતા સ્થાપન કરવા માટે નિમિત્ત છે. માતાઓએ જ ભિન્નતા માં એકતા લાવી છે. દેશ ભિન્ન છે, ભાષા ભિન્ન-ભિન્ન છે, સંસ્કૃતિ ભિન્ન-ભિન્ન છે, પરંતુ તમે લોકોએ ભિન્નતા ને એકતા માં લાવી છે.